અંકલેશ્વર: દઢાલ ગામ નજીક પાણીની લાઇનમાં ભંગાણ, ભરઉનાળે પાણીના વેડફાટના દ્રશ્યો સામે આવ્યા !

ઉનાળાની શરૂઆત સાથે જ અંકલેશ્વરના અંતરિયાળ વિસ્તારોમાં પાણીનો કકળાટ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ હજારો લિટર પાણીનો જાણે વ્યય થઈ રહ્યો છે.

New Update
water pipe leakage

અંકલેશ્વર તાલુકાના દઢાલ ગામ નજીક આવેલ અમરાવતી ખાડીના ઓવર બ્રિજ પાસે પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું.કાળઝાળ ગરમી વચ્ચે પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા પીવાના પાણીનો વ્યય થતો નજરે પડ્યો હતો.

હજારો લિટર પાણી જાણે આમ જ વહી ગયું હતું ત્યારે પાણી પુરવઠા વિભાગ વહેલી તકે પાણીની લાઈનનું સમારકામ કરાવે તેવી માંગ ઉઠી છે.