અંકલેશ્વર: નોબેલ માર્કેટ પાછળ યુવાને ઝાડ સાથે ગળે ફાંસો લગાવી જીવન ટૂંકાવ્યું, પોલીસ તપાસ શરૂ

અંકલેશ્વરના નોબેલ માર્કેટ પાછળ ભડકોદ્રા ગામની સીમમાં ઝાડ ઉપર ફાંસો લગાવી ઉમરપાડા તાલુકાના યુવાને અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

New Update
  • અંકલેશ્વરના નોબેલ માર્કેટ પાછળનો બનાવ

  • યુવાને આપઘાત કરી લેતા ચકચાર

  • ઝાડ સાથે ગળે ફાંસો લગાવી આપઘાત કર્યો

  • યુવાન સુરતના ઉમરપાડાનો રહેવાસી હોવાનું બહાર આવ્યું

  • પોલીસે તપાસ શરૂ કરી

Advertisment
અંકલેશ્વરના નોબેલ માર્કેટ પાછળ ભડકોદ્રા ગામની સીમમાં ઝાડ ઉપર ફાંસો લગાવી ઉમરપાડા તાલુકાના યુવાને અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
સુરતના ઉમરપાડા તાલુકાના ઉંમરખાડી ગામમાં રહેતા ૨૫ વર્ષીય વિશાલ વસાવા છેલ્લા બે દિવસથી મજુરી કામ માટે અંકલેશ્વરના નોબેલ માર્કેટ ખાતે આવ્યો હતો.જેણે અગમ્ય કારણોસર અંકલેશ્વરના નોબેલ માર્કેટ પાછળ ભડકોદ્રા ગામની સીમમાં ઝાડની ડાળી ઉપર ફાંસો લગાવી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો.અને યુવાનના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.યુવાને અંતિમવાદી પગલુ શા માટે ભર્યું એ જાણવા મળી શક્યું નથી.
Advertisment
Read the Next Article

અંકલેશ્વર: NH 48 પર નિંદ્રા માણી રહેલ કારચાલકના રૂ.7.78 લાખના માલમત્તાની ચોરી, 4 આરોપીઓની પોલીસે કરી ધરપકડ

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર કારપાર કરી નિંદ્રા માણી રહેલા કારચાલકના રૂપિયા 7.78 લાખના મુદ્દામાલની ચોરી કરનાર ચાર આરોપીઓને પોલીસે ઝડપી પાડી

New Update

અંકલેશ્વરમાં બન્યો હતો બનાવ

Advertisment

NH 48 પરનો બનાવ

કારચાલકના માલમત્તાની થઈ હતી ચોરી

પોલીસે 4 આરોપીઓની કરી ધરપકડ

રૂ.7.78 લાખના માલમત્તાની કરી હતી ચોરી

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર કારપાર કરી નિંદ્રા માણી રહેલા કારચાલકના રૂપિયા 7.78 લાખના મુદ્દામાલની ચોરી કરનાર ચાર આરોપીઓને પોલીસે ઝડપી પાડી તેવો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisment
 ગત 14 મી મે 2025ના રોજ નવસારીના બીલીમોરા ખાતે રહેતા અને વલસાડ સ્થિત બાલાજી વેફર્સના પ્લાન્ટમાં રહેતા સિનિયર ઓફિસર કલ્પેશ શાહ રાત્રીના ઊંઘ આવતી હોવાથી તેઓ નવજીવન હોટલ સામે સર્વિસ રોડ પર કાર પાર્ક કરી સુઈ ગયા હતા તે દરમિયાન તેમના પહેરેલા સોનાના દાગીના અને મોબાઇલ અને તેની એસેસરીઝ મળી રૂ.  7.78 લાખની ચોરી કરી અજાણ્યા ઈસમો ફરાર થઇ ગયા હતા.
આ અંગે ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસતા શંકાસ્પદ બાઈક ચાલક નજરે પડ્યો હતો.પોલીસે બાઈક નંબરના આધારે રોયલ રેસિડેન્સી ખાતે રહેતા ભંગારીયા અલ્તાફ ઉર્ફે મોનુ જાવેદ ખાન, સાંઈ દર્શન સોસાયટી ખાતે રહેતા ખેતલા આપા હોટલના  વિપુલ પુના ગમારા ,અંસાર માર્કેટ ખાતે રહેતા ભંગારના દલાલ નૂરઆલમ , બદરુદ્દીન મનીહાર,  અને ભંગાર વેપારીને ત્યાં ન્યુ ઇન્ડિયા માર્કેટમાં મજૂરી કામ કરતા જીકરાન ઉર્ફે જીકાન ઈમરાન કુરેશી ને ઝડપી પાડ્યા હતા અને તેમની ઉલટ તપાસ કરતા તેઓ ચોરીની કબૂલાત કરી હતી.પોલીસે ચોરીમાં ગયેલ મુદ્દામાલ મળી કુલ રૂપિયા 4.35 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisment