અંકલેશ્વર: હાંસોટના અંભેટા ગામ નજીક અકસ્માતમાં બાઈક સવાર યુવાનનું મોત, માર્ગ પર બકરી આવી જતા સર્જાયો અકસ્માત

ભરૂચના હાંસોટથી કંટીયાળજાળ જતા રોડ પર બાઈક ચાલકને અકસ્માત નડતા બાઈક સવાર યુવાનનું ગંભીર ઇજાના પગલે ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.

New Update
  • ભરૂચમાં હાંસોટનો બનાવ

  • અકસ્માતનો વધુ એક બનાવ સામે આવ્યો

  • અંભેટા ગામ નજીક અકસ્માત સર્જાયો

  • બાઈક સવાર યુવાનનું મોત

  • માર્ગ પર બકરી આવી જતા સર્જાયો અકસ્માત

ભરૂચના હાંસોટથી કંટીયાળજાળ જતા રોડ પર બાઈક ચાલકને અકસ્માત નડતા બાઈક સવાર યુવાનનું ગંભીર ઇજાના પગલે ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.
ભરૂચના હાંસોટમાં અકસ્માતનો વધુ એક બનાવ સામે આવ્યો છે. હાંસોટના અંભેટા ગામ ખાતે રહેતા 37 વર્ષીય બાઈક ચાલક મનીષ વસાવા હાંસોટ- કંટીયાળજાળ  રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમના ગામ નજીક જ માર્ગ પર અચાનક બકરી આવી ગઈ હતી જેને બચાવવા જતા તેઓની બાઈક સ્લીપ મારી ગઈ હતી અને નજીકમાં આવેલ વૃક્ષ સાથે ધડાકાભેર ભટકાઈ હતી. આ અકસ્માતમાં બાઈક સવાર 37 વર્ષીય મનીષ વસાવાનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.બનાવની જાણ થતાની સાથે જ ગ્રામજનો અને પરિવારજનો દોડી આવ્યા હતા જ્યાં પરિવારજનોના કલ્પાંત કરતા દ્રશ્યો જોવા મળ્યા હતા.આ તરફ હાંસોટ પોલીસનો કાફલો પણ દોડી આવ્યો હતો અને બનાવ સંદર્ભે અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
Read the Next Article

ભરૂચ: શેરબજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચે 15 લોકો સાથે રૂ.1.59 કરોડની ઠગાઈ, એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચના કર્મકાંડી ભુદેવ સહિત 15 લોકો સાથે શેર બજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચ આપી ભેજાબાજે રૂ. રૂ.1.59 કરોડની છેતરપીંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ

New Update
  • ભરૂચમાં ચકચારી મામલો પ્રકાશમાં આવ્યો

  • 15 લોકો સાથે આચરવામાં આવી ઠગાઈ

  • શેરબજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચે ઠગાઈ

  • રૂ.1.59 કરોડની ઠગાઈ આચરવામાં આવી

  • ઠગ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ

ભરૂચના નંદેલાવ રોડ આશીર્વાદ બંગલોઝમાં રહેતા કર્મકાંડી ભુદેવ સહિત 15 લોકો સાથે શેર બજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચ આપી ભેજાબાજે રૂ. રૂ.1.59 કરોડની છેતરપીંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ભરૂચના નંદેલાવ રોડ આશીર્વાદ બંગલોઝમાં રહેતા અને કર્મકાંડ તેમજ ખેતી કરતા ચેતનકુમાર ગણપતરામ પુરોહિતનો ચાર વર્ષ પહેલાં ભરૂચના નિપન નગરમાં રહેતા રાહુલ અરવિંદ પંચાલ સાથે પરિચય થયો હતો. ચેતને પોતે મુંબઈની આઈ.આઈ એફ.એલ.નામની કંપનીમાં શેર બ્રોકર કામ તરીકે કામ કરતો હોવાનું જણાવ્યું તેમજ વધુ વળતર આપવાની ચેતનકુમારને લાલચ આપી હતી.વધુ વળતરની લાલચે ચેતન પુરોહિત અને અન્ય 15 જેટલા લોકોએ રાહુલ પંચાલને રૂ.1.59 કરોડ આપ્યા હતા.
શરૂઆતમાં રાહુલ વિશ્વાસ કેળવવા કેટલાક રૂપિયા વળતર પેટે પરત પણ આપ્યા હતા જોનકે બાદમાં તેણે રૂપિયા ચુકાવવાનું બંધ કરી દીધું હતું જેને પગલે ભેજાબાજ વિરુદ્ધ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.પોલીસે આ મામલે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.