અંકલેશ્વર: ગડખોલ ગામે પાણીની ઓવરહેડ જર્જરીત ટાંકીમાં યુવાન 15 કલાક સુધી ફસાયો, ફાયર વિભાગે રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો !

અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામે હેલ્થ સેન્ટરની સામે આવેલ પાણીની ઓવરહેડ જર્જરીત ટાંકીમાં 15 કલાકથી ફસાયેલ યુવાનનો ફાયર વિભાગે રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો હતો.

New Update
અંકલેશ્વરના ગડખોલ ગામનો બનાવ
ગામમાં આવેલ ઓવરહેડ પાણીની ટાંકીમાં યુવાન ફસાયો
15 કલાક સુધી યુવાન ટાંકીમાં જ ફસાઈ રહ્યો
ફાયર વિભાગે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી જીવ બચાવ્યો
ટાંકી જર્જરીત હોવાથી અંદર પાણી ન હતું
અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામે હેલ્થ સેન્ટરની સામે આવેલ પાણીની ઓવરહેડ જર્જરીત ટાંકીમાં 15 કલાકથી ફસાયેલ યુવાનનો ફાયર વિભાગે રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો હતો.
અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામે હેલ્થ સેન્ટર સામે પાણીની જર્જરીત ઓવરહેડ ટાંકી આવેલી છે. પાણીની ટાંકી પર ગત મધ્યરાત્રીના સમયે એક યુવાન ચઢયો હતો અને તે અચાનક જ પાણીની ટાંકીમાં પડ્યો હતો. મધ્યરાત્રીએ દુર્ઘટના સર્જાતા આ અંગે કોઈને જાણ થઈ ન હતી પરંતુ આજે બપોરના સમયે ટાંકીમાંથી અવાજ આવતા આસપાસના લોકોને આ અંગેની જાણ થઈ હતી તેઓએ તરત જ અંકલેશ્વર નગર સેવાસદનના ફાયર વિભાગમાં કોલ કરતા લાશકરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને યુવાનને બહાર કાઢવાનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. અડધોથી પોણો કલાકની જહેમત બાદ યુવાનને ટાંકીમાંથી બહાર કાઢી નીચે ઉતારવામાં આવ્યો હતો અને હેલ્થ સેન્ટરમાં તેને સારવાર આપવામાં આવી હતી. ટાંકી જર્જરીત હોવાના કારણે તેમાં પાણી ન હતું જેના કારણે યુવાનનો જીવ બચ્યો હતો યુવાન કયા કારણોસર ટાંકી પર ચઢ્યો હતો તે હજી સુધી જાણવા મળી શક્યું નથી પરંતુ ફાયર વિભાગે 15 કલાક બાદ તેને બહાર કાઢી તેનો જીવ બચાવ્યો હતો.
Read the Next Article

અંકલેશ્વર: નર્મદા નદીમાં 5 યુવાનો ભરતીના પાણીમાં ફસાતા સ્થાનિક નાવિકોએ જીવ બચાવ્યો, બોટમાં કરી રહ્યા હતા ધીંગામસ્તી

અંકલેશ્વર તરફ નર્મદા નદીના કિનારે પાંચ જેટલા યુવાનોને સેલ્ફી અને ધીંગા મસ્તી કરવી ભારે પડી હતી અચાનક જ ભરતીના પાણી ફરી વળતા 5 જેટલા યુવાનો ફસાયા હતા

New Update
  • અંકલેશ્વર નજીક નર્મદા નદીનો બનાવ

  • નર્મદા નદીમાં 5 યુવાનો ફસાયા

  • ભરતીના પાણીમાં ફસાયા

  • સ્થાનિક નાવિકોએ બચાવ્યો જીવ

  • બોટમાં કરી રહ્યા હતા ધીંગામસ્તી

અંકલેશ્વર તરફ નર્મદા નદીના કિનારે પાંચ જેટલા યુવાનોને સેલ્ફી અને ધીંગા મસ્તી કરવી ભારે પડી હતી અચાનક જ ભરતીના પાણી ફરી વળતા 5 જેટલા યુવાનો ફસાયા હતા જેમને સ્થાનિક નાવિકોએ બહાર કાઢી જીવ બચાવ્યો હતો.

અંકલેશ્વરથી ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવવાના કિસ્સા યથાવત છે ત્યારે કેટલાક યુવાનોની જોખમી સેલ્ફી અને ધીંગા મસ્તીનો બનાવ સામે આવ્યો છે. રવિવારની સાંજે કેટલા યુવાનો નર્મદા નદી કિનારે અંકલેશ્વર તરફ પહોંચ્યા હતા જ્યાં લંગારેલી બોટમાં તેઓ સેલ્ફી અને ધીંગામસ્તી કરી રહ્યા હતા. જો કે ભરતીના પાણી આવતા બોટ પાણી વચ્ચે ફસાઈ ગઈ હતી અને યુવાનોના પણ જીવ પડીકે બંધાઈ ગયા હતા.

આ અંગેની જાણ થતાં જ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ અન્ય નાવિકોને જાણ કરતા તેઓ પહોંચ્યા હતા અને નાવિકોએ નદીના પાણીમાં તરી નાવડી સાથે 5 જેટલા યુવાનોને બહાર કાઢી તેમનો જીવ બચાવ્યો હતો. આ અંગે સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ જણાવ્યું હતું કે  નર્મદા નદીના ગોલ્ડન બ્રિજના અંકલેશ્વર તરફ રવિવાર અને રજા સહિતના દિવસોમાં મોટી સંખ્યામાં પર્યટકો ઉમટી પડે છે છતાં તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવતી નથી ત્યારે મોટી દુર્ઘટના બને તો જવાબદાર કોણ એ પ્રશ્ન ઉઠી રહ્યો છે.