અંકલેશ્વર: ગડખોલ ગામે પાણીની ઓવરહેડ જર્જરીત ટાંકીમાં યુવાન 15 કલાક સુધી ફસાયો, ફાયર વિભાગે રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો !

અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામે હેલ્થ સેન્ટરની સામે આવેલ પાણીની ઓવરહેડ જર્જરીત ટાંકીમાં 15 કલાકથી ફસાયેલ યુવાનનો ફાયર વિભાગે રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો હતો.

New Update
અંકલેશ્વરના ગડખોલ ગામનો બનાવ
ગામમાં આવેલ ઓવરહેડ પાણીની ટાંકીમાં યુવાન ફસાયો
15 કલાક સુધી યુવાન ટાંકીમાં જ ફસાઈ રહ્યો
ફાયર વિભાગે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી જીવ બચાવ્યો
ટાંકી જર્જરીત હોવાથી અંદર પાણી ન હતું
અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામે હેલ્થ સેન્ટરની સામે આવેલ પાણીની ઓવરહેડ જર્જરીત ટાંકીમાં 15 કલાકથી ફસાયેલ યુવાનનો ફાયર વિભાગે રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો હતો.
અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામે હેલ્થ સેન્ટર સામે પાણીની જર્જરીત ઓવરહેડ ટાંકી આવેલી છે. પાણીની ટાંકી પર ગત મધ્યરાત્રીના સમયે એક યુવાન ચઢયો હતો અને તે અચાનક જ પાણીની ટાંકીમાં પડ્યો હતો. મધ્યરાત્રીએ દુર્ઘટના સર્જાતા આ અંગે કોઈને જાણ થઈ ન હતી પરંતુ આજે બપોરના સમયે ટાંકીમાંથી અવાજ આવતા આસપાસના લોકોને આ અંગેની જાણ થઈ હતી તેઓએ તરત જ અંકલેશ્વર નગર સેવાસદનના ફાયર વિભાગમાં કોલ કરતા લાશકરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને યુવાનને બહાર કાઢવાનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. અડધોથી પોણો કલાકની જહેમત બાદ યુવાનને ટાંકીમાંથી બહાર કાઢી નીચે ઉતારવામાં આવ્યો હતો અને હેલ્થ સેન્ટરમાં તેને સારવાર આપવામાં આવી હતી. ટાંકી જર્જરીત હોવાના કારણે તેમાં પાણી ન હતું જેના કારણે યુવાનનો જીવ બચ્યો હતો યુવાન કયા કારણોસર ટાંકી પર ચઢ્યો હતો તે હજી સુધી જાણવા મળી શક્યું નથી પરંતુ ફાયર વિભાગે 15 કલાક બાદ તેને બહાર કાઢી તેનો જીવ બચાવ્યો હતો.
Read the Next Article

ભરૂચ: અષાઢી બીજે 6 સ્થળોએથી નિકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા, પોલીસ ડ્રોન કેમેરાથી રાખશે નજર

અષાઢી બીજ નિમિત્તે ભરૂચ જિલ્લામાં છથી વધુ રથયાત્રા નિકળશે જેને ધ્યાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આવતીકાલે અષાઢી બીજના

New Update

ભરૂચમાં આવતીકાલે કરવામાં આવ્યું આયોજન

6 સ્થળોએથી રથયાત્રાનું આયોજન

પોલીસનો રહેશે ચુસ્ત બંદોબસ્ત

ડ્રોન કેમેરાથી રાખવામાં આવશે નજર

700થી વધુ પોલીસકર્મીઓ રહેશે તૈનાત

અષાઢી બીજ નિમિત્તે ભરૂચ જિલ્લામાં છથી વધુ રથયાત્રા નિકળશે જેને ધ્યાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આવતીકાલે અષાઢી બીજના પાવન દિવસે ભરૂચ જિલ્લાભરમાં વિવિધ સ્થળોએ કુલ 6 રથયાત્રાઓ યોજાવાની છે. ભરૂચ શહેરમાં ત્રણ, અંકલેશ્વરમાં બે તથા ઝઘડિયામાં એક રથયાત્રા યોજાવાની છે. ભક્તિભાવ અને શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે હેતુસર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.ભરૂચ શહેરની અતિ પૌરાણિક ગણાતી દત્ત મંદિરથી ભોઈવાડ સુધીની રથયાત્રાના માર્ગ પર આજે પોલીસ વિભાગ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી. આ ફ્લેગ માર્ચ ફુરજા ચોકથી શરૂ થઈ લાલ બજાર, ચકલા, હાથીખાના બજાર, અને સોનેરીમહલ સુધી યોજાઈ હતી. સમગ્ર ફ્લેગ માર્ચ ડીવાયએસપી  સી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ સંપન્ન થઈ હતી.રથયાત્રા દરમ્યાન પોલીસ બંદોબસ્તમાં 3 ડીવાયએસપી, 8 પીઆઈ, 23 પીએસઆઈ, 456 હેડ કોન્સ્ટેબલ તથા પોલીસ જવાનો સાથે 266 હોમગાર્ડનો સમાવેશ થાય છે. ઉપરાંત ડ્રોન કેમેરાની મદદથી સમગ્ર યાત્રામાર્ગ ઉપર નજર રાખવામાં આવશે.