અંકલેશ્વર: BJP દ્વારા આયોજિત બિહાર દિવસની ઉજવણીના કાર્યક્રમમાં અશ્લીલ ડાન્સ રજૂ કરાયો હોવાનો AAPનો આરોપ, ભાજપે કહ્યું આ જ UP-બિહારની સંસ્કૃતિ

અંકલેશ્વરમાં આયોજિત બિહાર દિવસની ઉજવણીમાં ડાન્સ પ્રોગ્રામમાં અશ્લીલ નૃત્યનું પ્રદર્શન થયું હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે વિડીયો જાહેર કર્યા

New Update
  • અંકલેશ્વરમાં યોજાયો હતો કાર્યક્રમ

  • બિહાર દિવસની કરવામાં આવી હતી ઉજવણી

  • અશ્લીલ ડાન્સ રજૂ કરાયો હોવાનો આપનો આરોપ

  • ભાજપે પણ આપ્યું નિવેદન

  • યુપી બિહારની આજ સંસ્કૃતિ: ભાજપ

અંકલેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીના અન્ય ભાષાભાષી સેલ દ્વારા કરાયેલી બિહાર દિવસની ઉજવણી વિવાદિત બની છે. આમ આદમી પાર્ટી દ્વારા આ કાર્યક્રમમાં અશ્લીલ નૃત્યનું પ્રદર્શન થયું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. 
        
અંકલેશ્વરમાં આયોજિત બિહાર દિવસની ઉજવણીમાં ડાન્સ પ્રોગ્રામમાં અશ્લીલ નૃત્યનું પ્રદર્શન થયું હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે વિડીયો જાહેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે બિહાર દિવસની ઉજવણીના કાર્યક્રમોમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અને રાજ્યના નેતાઓએ હાજરી આપી હતી.
નેતાઓની વિદાય બાદ સ્ટેજ પરથી બેનર હટાવી મ્યુઝિકલ પ્રોગ્રામ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ડાન્સરો પણ બોલાવાઇ હતી. જેમના દ્વારા અશ્લીલ નૃત્ય પીરસવામાં આવ્યું હોવાના આપ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમ વિવાદનું કારણ બન્યો છે. 
તો આ તરફ ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ અશોક ઝાએ  આ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે બિહાર અને ઉત્તર પ્રદેશની જે સંસ્કૃતિ છે.તે પ્રમાણે જ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમા કોઈ અશ્લીલ ડાન્સ રજૂ કરવામાં આવ્યો ન હતો. તો ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કાર્યકારીના સભ્ય રાજીવ કુમારે જણાવ્યું હતું કે કાર્યક્રમ સામે વાંધો ઉઠાવનાર લોકોએ ઉત્તર પ્રદેશ અને બિહારવાસીઓના રોષનો ભોગ બનવું પડશે.
Read the Next Article

અંકલેશ્વર : ભાજપ દ્વારા શ્યામાપ્રસાદ મુખર્જી બલિદાન દિવસ નિમિત્તે  પુષ્પાંજલિ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરતા કાર્યકર્તા

અંકલેશ્વર શહેર ભાજપ કાર્યકરો દ્વારા શ્યામાપ્રસાદ મુખર્જી બલિદાન દિવસ નિમિત્તે પુષ્પાંજલિ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

New Update
  • 23 જૂન શ્યામાપ્રસાદ મુખર્જીનો બલિદાન દિવસ 

  • ભાજપે કરી શ્યામાપ્રસાદ મુખર્જીને પુષ્પાંજલિ અર્પણ

  • શ્યામાપ્રસાદ મુખર્જી બલિદાન દિવસે આપી શ્રદ્ધાંજલિ 

  • વય વંદના કાર્ડના રજીસ્ટ્રેશન અભિયાનની કરાઈ શરૂઆત

  • કાર્યક્રમમાં શહેર ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા  

અંકલેશ્વર શહેર ભાજપ કાર્યકરો દ્વારા શ્યામાપ્રસાદ મુખર્જી બલિદાન દિવસ નિમિત્તે પુષ્પાંજલિ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તેમજ મોદી સુશાસનના 11 વર્ષ પૂર્ણ થતાં વય વંદના કાર્ડના રજીસ્ટ્રેશન અભિયાનની શરૂઆત પણ કરવામાં આવી હતી.

અંકલેશ્વર શહેરમાં જવાહર બાગ ખાતે ભારતના અગ્રણી, રાજકીય નેતા અને આઝાદી પછીના મંત્રી મંડળના સભ્ય અને ભારતીય જનસંઘના સ્થાપક એવા ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના દિવસે પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી.આ ઉપરાંત મોદી સુશાશનના 11 વર્ષ પૂર્ણ થતાં વય વંદના કાર્ડના રજીસ્ટ્રેશન અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ભાજપ શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા,પાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત ,પાલિકા ચેરમેન નિલેશ પટેલ સહિત ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.