અંકલેશ્વર: આપના આગેવાનો વિવિધ પ્રશ્ને રજુઆત કરવા પહોંચતા TDO કેબિન છોડી જતા રહ્યા !

અંકલેશ્વર આમ આદમી પાર્ટીના આગેવાનો  વિવિધ પ્રશ્ને તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવા પહોંચ્યા હતા પરંતુ તાલુકા વિકાસ અધિકારી કેબિન છોડી જતા રહેતા આગેવાનોએ વિરોધ નોંધાવ્યો હતો

New Update

અંકલેશ્વરમાં આપનો વિરોધ

વિવિધ પ્રશ્ને પહોંચ્યા હતા રજુઆત કરવા

તાલુકા વિકાસ અધિકારી કેબિન છોડી જતા રહ્યા

આગેવાનોએ નોંધાવ્યો વિરોધ

બિસ્માર માર્ગ સહિતના પ્રશ્ને કરવાની હતી રજુઆત

અંકલેશ્વર આમ આદમી પાર્ટીના આગેવાનો  વિવિધ પ્રશ્ને તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવા પહોંચ્યા હતા પરંતુ તાલુકા વિકાસ અધિકારી કેબિન છોડી જતા રહેતા આગેવાનોએ વિરોધ નોંધાવ્યો હતો

અંકલેશ્વર આમ આદમી પાર્ટી અને સામાજિક કાર્યકરો  આજરોજ અંકલેશ્વર તાલુકા પંચાયત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા હતા પરંતુ તાલુકા વિકાસ અધિકારી હિરેન બારોટ તેમની રજૂઆત સાંભળવાના બદલે કેબિન છોડી જતા રહેતા આગેવાનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આગેવાનો અને કાર્યકરો તાલુકા વિકાસ અધિકારીની કેબિન બહાર જ બેસી ગયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો અંકલેશ્વરમાં બિસ્માર માર્ગો સહિતના પ્રશ્ને આગેવાનો રજૂઆત કરવા પહોંચ્યા હતા ત્યારે તેમની રજૂઆત સાંભળવામાં ન આવતા તેઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે વિકાસના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલે છે જેની સામે તપાસ કરવાની તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે.બાદમાં તાલુકા વિકાસ અધિકારી આવતા રજુઆત સાંભળવામાં આવી હતી

Read the Next Article

ભરૂચ: રથયાત્રાના પર્વને અનુલક્ષી પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરાયુ

ભરૂચમાં અષાઢી બીજ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે.જેના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update

ભરૂચમાં નિકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા

અષાઢી બીજના રોજ રથયાત્રાનું આયોજન

પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવાશે

એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજાય

ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ જોડાયા

ભરૂચમાં અષાઢી બીજ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે.જેના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચમાં અષાઢી બીજ નિમિત્તે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે ત્યારે રથયાત્રાના ઉત્સવ પ્રસંગે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્રએ કમરકસી છે. જેના ભાગરૂપે ભરૂચ શહેર એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફ્લેગમાર્ચ શહેરના ફુરજા વિસ્તારમાં આવેલ જગન્નાથ મંદિરેથી નીકળી રવિવારી બજાર, સોની ફળિયુ, લાલ બજાર, લલ્લુભાઈ ચકલાથી હાથીખાના બજાર થઈ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી જેમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ જોડાયા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ હાજરી આપી શહેરીજનોને સુરક્ષા અને શાંતિનો અનુભવ કરાવ્યો હતો.