અંકલેશ્વર: UPl યુનિવર્સિટી દ્વારા અભ્યુત્થાન-૨૦૨૪ સન્માન સમારોહ યોજાયો

ભરૂચના વાલિયાના વટારીયા ગામની યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજીના વિદ્યાર્થીઓનો અભ્યુત્થાન-૨૦૨૪ સન્માન સમારોહ અંકલેશ્વરના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે યોજાયો હતો

New Update

ભરૂચના વટારીયા ખાતે આવેલી છે યુપીએલ યુનિવર્સીટી

યુનિવર્સિટી દ્વારા યોજાયો સન્માન સમારોહ

વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન

552 વિદ્યાર્થીઓને કરાયા સન્માનિત

આમંત્રીતો રહ્યા ઉપસ્થિત

ભરૂચના વાલિયાના વટારીયા ગામની યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજીના વિદ્યાર્થીઓનો અભ્યુત્થાન-૨૦૨૪ સન્માન સમારોહ અંકલેશ્વરના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે યોજાયો હતો
ભરૂચના વાલિયાના વટારીયા ગામની યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેક્નોલોજી દ્વારા વિદ્યાર્થીઓની સિદ્ધિઓને સન્માનિત કરવા માટે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થીયેટર ખાતે અભ્યુત્થાન-૨૦૨૪ સન્માન સમારોહ યોજાયો હતો જેમાં ડિપ્લોમા એન્જિનિયરિંગ, બેચલર ઑફ એન્જિનિયરિંગ, અનુસ્નાતક કાર્યક્રમો, બી.એસ.સી અને એમ.એસ.સી.ના વિદ્યાર્થીઓ મળી કુલ ૫૬૨ વિદ્યાર્થીઓને આમંત્રિત મહેમાનોના હસ્તે  ઇનામ સાથે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. 
આ કાર્યક્રમમાં ગુજરાત ગાર્ડિયન કંપનીના યુનિટ હેડ ગૌરવ ચંદ્રા અને દહેજની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના પૂર્વ પ્રમુખ સુશીલ કુમાર, અંકલેશ્વર રોટરી એજ્યુકેશન સોસાયટીના ચેરમેન સાન્દ્રા આર. શ્રોફ,યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેક્નોલોજીના પ્રમુખ અશોક પંજવાણી અને યુનિવર્સિટીના પ્રોફેશર શ્રીકાંત વાઘ અને સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read the Next Article

અંકલેશ્વર : રામકુંડ તીર્થના પટાંગણમાં ભાજપ દ્વારા વૃક્ષારોપણ થકી ગુરુપૂર્ણિમાના પાવન પર્વની વિશેષ ઉજવણી કરાય...

અંકલેશ્વર શહેરના રામકુંડ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુરુપૂર્ણિમાના પાવન પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રામકુંડ તીર્થના પટાંગણમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું

New Update
Ankleshwa Ramkund

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં રામકુંડ તીર્થના પટાંગણમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વૃક્ષારોપણ થકી ગુરુપૂર્ણિમાના પાવન પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી.

મહાભારતના રચયિતા વેદ વ્યાસનો જન્મદિવસ આ દિવસે હોવાથી તેમના સન્માનમાં ગુરુપૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા નામથી પણ ઓળખવામાં આવે છેત્યારે ભરૂચ જિલ્લામાં આજરોજ ઠેર ઠેર ગુરુપૂર્ણિમા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતીત્યારે અંકલેશ્વર શહેરના રામકુંડ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુરુપૂર્ણિમાના પાવન પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.

ગુરુપૂર્ણિમા નિમિત્તે રામકુંડ તીર્થના પટાંગણમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ વૃક્ષોનું જતન કરી પર્યાવરણની રક્ષા કરવા લોકોને અનુરોધ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા, નગરપાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિતપાલિકા ચેરમેન નિલેશ પટેલ સહિત મોટી સંખ્યામાં પક્ષના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.