અંકલેશ્વર: UPl યુનિવર્સિટી દ્વારા અભ્યુત્થાન-૨૦૨૪ સન્માન સમારોહ યોજાયો

ભરૂચના વાલિયાના વટારીયા ગામની યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજીના વિદ્યાર્થીઓનો અભ્યુત્થાન-૨૦૨૪ સન્માન સમારોહ અંકલેશ્વરના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે યોજાયો હતો

New Update

ભરૂચના વટારીયા ખાતે આવેલી છે યુપીએલ યુનિવર્સીટી

યુનિવર્સિટી દ્વારા યોજાયો સન્માન સમારોહ

વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન

552 વિદ્યાર્થીઓને કરાયા સન્માનિત

આમંત્રીતો રહ્યા ઉપસ્થિત

ભરૂચના વાલિયાના વટારીયા ગામની યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજીના વિદ્યાર્થીઓનો અભ્યુત્થાન-૨૦૨૪ સન્માન સમારોહ અંકલેશ્વરના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે યોજાયો હતો
ભરૂચના વાલિયાના વટારીયા ગામની યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેક્નોલોજી દ્વારા વિદ્યાર્થીઓની સિદ્ધિઓને સન્માનિત કરવા માટે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થીયેટર ખાતે અભ્યુત્થાન-૨૦૨૪ સન્માન સમારોહ યોજાયો હતો જેમાં ડિપ્લોમા એન્જિનિયરિંગ, બેચલર ઑફ એન્જિનિયરિંગ, અનુસ્નાતક કાર્યક્રમો, બી.એસ.સી અને એમ.એસ.સી.ના વિદ્યાર્થીઓ મળી કુલ ૫૬૨ વિદ્યાર્થીઓને આમંત્રિત મહેમાનોના હસ્તે  ઇનામ સાથે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. 
આ કાર્યક્રમમાં ગુજરાત ગાર્ડિયન કંપનીના યુનિટ હેડ ગૌરવ ચંદ્રા અને દહેજની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના પૂર્વ પ્રમુખ સુશીલ કુમાર, અંકલેશ્વર રોટરી એજ્યુકેશન સોસાયટીના ચેરમેન સાન્દ્રા આર. શ્રોફ,યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેક્નોલોજીના પ્રમુખ અશોક પંજવાણી અને યુનિવર્સિટીના પ્રોફેશર શ્રીકાંત વાઘ અને સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read the Next Article

ભરૂચ: રથયાત્રાના પર્વને અનુલક્ષી પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરાયુ

ભરૂચમાં અષાઢી બીજ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે.જેના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update

ભરૂચમાં નિકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા

અષાઢી બીજના રોજ રથયાત્રાનું આયોજન

પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવાશે

એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજાય

ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ જોડાયા

ભરૂચમાં અષાઢી બીજ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે.જેના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચમાં અષાઢી બીજ નિમિત્તે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે ત્યારે રથયાત્રાના ઉત્સવ પ્રસંગે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્રએ કમરકસી છે. જેના ભાગરૂપે ભરૂચ શહેર એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફ્લેગમાર્ચ શહેરના ફુરજા વિસ્તારમાં આવેલ જગન્નાથ મંદિરેથી નીકળી રવિવારી બજાર, સોની ફળિયુ, લાલ બજાર, લલ્લુભાઈ ચકલાથી હાથીખાના બજાર થઈ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી જેમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ જોડાયા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ હાજરી આપી શહેરીજનોને સુરક્ષા અને શાંતિનો અનુભવ કરાવ્યો હતો.