અંકલેશ્વર : અમરતપુરા એર સ્ટ્રીપ પ્રથમ ફેઝની કામગીરી પૂર્ણ,રાજ્યનો પાંચમો સૌથી લાંબો રનવે તૈયાર

અંકલેશ્વરમાં રાજ્યનો પાંચમો સૌથી લાંબો રનવે 2135 X 45 મીટરનો બનીને તૈયાર થઇ ગયો છે. અમરતપુરા એર સ્ટ્રીપની પ્રથમ ફેઝની કામગીરી પૂર્ણ થઇ છે.

New Update
  • અમરતપુરા એર સ્ટ્રીપની પ્રથમ ફેઝની કામગીરી પૂર્ણ

  • રાજ્યનો પાંચમો સૌથી લાંબો રનવે તૈયાર

  • એ.ટી.સી ટાવર તૈયાર થતા જ વિમાન ઉડાન ભરશે 

  • બોઈંગ 737 અને એરબસ 321 ઉડાન ભરી શકશે

  • એરસ્ટ્રીપનો અંદાજે 90 કરોડના ખર્ચે પ્રોજેક્ટ થયો પૂર્ણ  

અંકલેશ્વરમાં રાજ્યનો પાંચમો સૌથી લાંબો રનવે 2135 X 45 મીટરનો બનીને તૈયાર થઇ ગયો છે. અમરતપુરા એર સ્ટ્રીપની પ્રથમ ફેઝની કામગીરી પૂર્ણ થઇ છે. હવે એ.ટી.સી ટાવર તૈયાર થતા જ વિમાન ઉડાન ભરી શકાશે તેમ જાણવા મળ્યું છે. 

અંકલેશ્વર હવાઈ પટ્ટી ખાતે વિકસાવવામાં આવેલ 2200 મીટરના રનવે પર 180 સીટર પેસેન્જરની ક્ષમતા ધરાવતું વિમાન પણ ઉડ્ડયન અને ઉતરાણ કરી શકશે. ગુજ સેલ અમદાવાદની રાહબરી હેઠળ અંકલેશ્વર માર્ગ અને મકાન વિભાગની દેખરેખ હેઠળ પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ થતા હવે પ્રથમ તબક્કામાં કાર્ગો વિમાન ઉડાન ભરશે.વર્તમાન પરિસ્થિતિમાં ઈ.ટી.સી ટાવર ઉભા થતા જ ગમે ત્યારે એરસ્ટ્રીપના ટેસ્ટ માટે બોઇંગ કાર્ગો વિમાન ઉતારી શકે છે. અંકલેશ્વર-ભરૂચ શહેરને જોડાતા અને સુરક્ષિત રનવે ધરાવતા એર સ્ટ્રીપ બની છે.

અંકલેશ્વરના અમરતપુરા ગામ રનવે આજુબાજુ હાઈ રાઈઝ બિલ્ડીંગ કે ઇમારત ન હોવાથી અમદાવાદ જેવી હોનારત ન સર્જાય તેવી સુરક્ષિત સ્થિતિ જોવા મળી રહી છે. ગુજરાત રાજ્યના પાંચમી સૌથી લાંબી હવાઈ પટ્ટી અંકલેશ્વરમાં બની છે. અઢી કિમી લાંબી એર સ્ટ્રીપ તૈયાર થશે. તેના પર બોઈંગ 737 અને એરબસ 321 ઉડાન ભરી શકશે. સૌ પ્રથમ કાર્ગો સેવા શરૂ કરવામાં આવશે. પ્રથમ ફેઝમાં એરસ્ટ્રીપ અંદાજે 90 કરોડના ખર્ચે પ્રોજેક્ટ પૂર્ણ થયો છે. હવે બીજા ફેઝમાં એર રીપેરીંગ સેન્ટરહેન્ગર તેમજ એર સુવિધાને લગતી અન્ય કામગીરી શરૂ કરવામાં આવશે. આ અંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે એર સ્ટ્રીપની પ્રથમ ફેઝની કામગીરી પૂર્ણ થઇ છે. ટૂંકમાં ફેજ 2 અને 3ની કામગીરી થશે. ત્યારે જિલ્લાવાસીઓની અનેક રજૂઆતો છે. અને વિધાનસભામાં પણ પેસેન્જર વિમાન ભરૂચ જિલ્લામાં ઉડ્ડયન ભરે તેવી રજૂઆત કરવામાં આવી છે. તે માટે જિલ્લાના ધારાસભ્ય અને સંસદ સભ્ય પ્રયત્ન સીલ છીએ. 

અંકલેશ્વરના ઉદ્યોગ અગ્રણી મહેશ પટેલે જણાવ્યું હતું કે એરસ્ટ્રીપ ચાલુ થાય તો ઉદ્યોગો નવી ઉડાન ભરી શકશે. દેશ વિદેશ સાથે આયાત નિકાસનો નવો માર્ગ ખુલશે તેમજ ભવિષ્યમાં અહીં મુસાફરો માટે પેસેન્જર વિમાન ઉડ્ડયન ભરે તેવી રજૂઆત કરી છે. રાજ્ય અને દેશના ગ્રોથ એન્જીન એવા ભરૂચ જિલ્લા માટે એર સુવિધા ખૂબ જ જરૂરી હતી. જે ભરૂચ વાસીઓનું સપનું સાકાર થવા સાથે એરપોર્ટ જે સ્થળ બન્યું છે. તેને રોડ કનેક્ટિવિટી સાથે સુરક્ષિત વિમાન મથક પણ મળી રહેશે.

Latest Stories