અંકલેશ્વર : સંજયનગરમાં પાણીમાં ફસાયેલ વૃદ્ધ મહિલાનું રેસક્યું કરાયું

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના સંજયનગર વિસ્તારમાં માથા સમાન વરસાદી પાણીમાં ફસાયેલ વૃદ્ધ મહિલાનું પાલિકાના ફાયર બ્રિગેડના જવાને પોતાના ખભા પર ઉંચકીને રેસક્યું કરતા સૌએ તેઓની કામગીરીને બિરદાવી હતી.

New Update

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના સંજયનગર વિસ્તારમાં માથા સમાન વરસાદી પાણીમાં ફસાયેલ વૃદ્ધ મહિલાનું પાલિકાના ફાયર બ્રિગેડના જવાને પોતાના ખભા પર ઉંચકીને રેસક્યું કરતા સૌએ તેઓની કામગીરીને બિરદાવી હતી.

 ફાયર બ્રિગેડના બચાવ કાર્યને સ્થાનિકોએ બિરદાવ્યું

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં વરસેલા મુસળધાર વરસાદને પગલે શહેરના સંજયનગર વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતાઅને નીચાણવાળા ઘરોમાં વરસાદી પાણીએ જમાવટ કરી હતી. સ્થાનિક રહીશોને હાલાકી પડતા નગરપાલિકાના ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બચાવ કામગીરી કરવામાંઆવી હતી. ફાયર બ્રિગેડના જવાને એક વૃદ્ધ મહિલાને પોતાના ખભા પર બેસાડીને રેસક્યું કરી સુરક્ષિત સ્થળ પર ખસેડ્યા હતા. ફાયર બ્રિગેડની આ રેસ્ક્યુ કામગીરીને લોકોએ બિરદાવી ખૂબ પ્રશંસા કરી હતી.

Read the Next Article

ભરૂચ: છોટુ વસાવાને 80માં જન્મદિવસે BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવાયા, કહ્યું કેટલાક પરિબળોએ અમારું સંગઠન તોડવા કર્યો પ્રયાસ !

આદિવાસી મસીહા એવા ઝઘડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાનો આજે જન્મદિવસ હતો. આદિવાસી નેતા 80 વર્ષ પૂર્ણ કરી 81 માં વર્ષમાં પ્રવેશ્યા છે.

New Update
  • ભરૂચના ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય

  • છોટુ વસાવા બન્યા બિટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ

  • 80માં જન્મદિવસે કરાય જાહેરાત

  • મહેશ વસાવાએ ટેકો જાહેર કર્યો

  • મોટી સંખ્યામાં સમર્થકો રહ્યા ઉપસ્થિત

ભરૂચના ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાને 80 માં જન્મદિવસે  BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવતા ટેકેદારોએ આ જાહેરાતને વધાવી લીધી હતી
આદિવાસી મસીહા એવા ઝઘડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાનો આજે જન્મદિવસ હતો. આદિવાસી નેતા 80 વર્ષ પૂર્ણ કરી 81 માં વર્ષમાં પ્રવેશ્યા છે. તેઓના જન્મદિવસે તેમને શુભેચ્છા પાઠવવા દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય પુત્ર મહેશ વસાવા, દિલીપ વસાવા, કિશોર વસાવા સાથે અન્ય આગેવાનો પણ ઉમટી પડ્યા હતા.વાલિયા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ રાજુભાઇ વસાવા, રજની વસાવા, વિજય વસાવા સહિતના આગેવાનો તેમજ સમર્થકોની હાજરીમાં છોટુ વસાવાના જન્મદિવસની ઉજવણી કરી તેઓને શુભકામનાઓ પાઠવાઈ હતી.
પૂર્વ ધારાસભ્યના જન્મદિવસે જ તેઓને BTP ના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.તાજેતરમાં જ ભાજપ સાથે મોહભંગ થતા રાજીનામુ આપનાર તેમના પુત્ર મહેશ વસાવાએ આ જાહેરાતને ટેકો જાહેર કર્યો હતો. આ અંગે છોટુ વસાવાએ જણાવ્યું હતું કે કેટલાક પરિબળોએ અમારું સંગઠન તોડવા પ્રયાસ કર્યા હતા પરંતુ હવે અમે એક થઈ લડીશું