અંકલેશ્વર : સંજયનગરમાં પાણીમાં ફસાયેલ વૃદ્ધ મહિલાનું રેસક્યું કરાયું

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના સંજયનગર વિસ્તારમાં માથા સમાન વરસાદી પાણીમાં ફસાયેલ વૃદ્ધ મહિલાનું પાલિકાના ફાયર બ્રિગેડના જવાને પોતાના ખભા પર ઉંચકીને રેસક્યું કરતા સૌએ તેઓની કામગીરીને બિરદાવી હતી.

New Update

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના સંજયનગર વિસ્તારમાં માથા સમાન વરસાદી પાણીમાં ફસાયેલ વૃદ્ધ મહિલાનું પાલિકાના ફાયર બ્રિગેડના જવાને પોતાના ખભા પર ઉંચકીને રેસક્યું કરતા સૌએ તેઓની કામગીરીને બિરદાવી હતી.

Advertisment

 ફાયર બ્રિગેડના બચાવ કાર્યને સ્થાનિકોએ બિરદાવ્યું

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં વરસેલા મુસળધાર વરસાદને પગલે શહેરના સંજયનગર વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતાઅને નીચાણવાળા ઘરોમાં વરસાદી પાણીએ જમાવટ કરી હતી. સ્થાનિક રહીશોને હાલાકી પડતા નગરપાલિકાના ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બચાવ કામગીરી કરવામાં  આવી હતી. ફાયર બ્રિગેડના જવાને એક વૃદ્ધ મહિલાને પોતાના ખભા પર બેસાડીને રેસક્યું કરી સુરક્ષિત સ્થળ પર ખસેડ્યા હતા. ફાયર બ્રિગેડની આ રેસ્ક્યુ કામગીરીને લોકોએ બિરદાવી ખૂબ પ્રશંસા કરી હતી.

Advertisment
Read the Next Article

ભરૂચ: NTPC ઝનોર અને અંકલેશ્વરના CISF યુનિટ પર દુશ્મન દેશનો હુમલો થતા અનેક જવાન ઘાયલ, અંતે મોકડ્રિલ જાહેર કરાય

ભરૂચ જિલ્લામાં ઝનોર નજીક આવેલા એન.ટી.પી.સી એકમમાં સાંજના ૦૫:૦૦ વાગ્યાના અરસામાં એર સ્ટ્રાઈક થતા ભાગદોડ થઈ હતી. આપાતકાલીન પરિસ્થિતિનો સાયરન વાગતા એન.ટી.પી.સી

New Update
સી.આઈ.એસ.એફ યુનીટ અંકલેશ્વર  (4)
ભરૂચ જિલ્લામાં ઝનોર નજીક આવેલા એન.ટી.પી.સી એકમમાં સાંજના ૦૫:૦૦ વાગ્યાના અરસામાં એર સ્ટ્રાઈક થતા ભાગદોડ થઈ હતી. આપાતકાલીન પરિસ્થિતિનો સાયરન વાગતા એન.ટી.પી.સી એકમના કર્મચારીઓ સચેત થઈ તાત્કાલિક ધોરણે એકમની બહાર નીકળી ગયા હતા. સિવિલ ડિફેન્સની વિવિધ આપાતકાલીની સેવાઓના કર્મચારીઓ યુદ્ધના ધોરણે સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. અંતે વહીવટી તંત્ર દ્વારા સમગ્ર ગતિવિધિ મોકડ્રીલ જાહેર કરાતા સૌએ હાશકારો અનુભવ્યો હતો.  આ મોકડ્રીલ વખતે સિવિલ ડિફેન્સની આરોગ્ય, ફાયર, પોલીસ અને સહિતની મહત્વની ૧૨ સેવાઓ, સી.આઈ.એસ.એફના જવાનો, સિવિલ ડિફેન્સના વોલેન્ટીયર્સ, જી.આર.ડી.ના જવાનો હાજર રહ્યા હતા.
Advertisment
આ તરફ અંકલેશ્વર સ્થિત સી.આઈ.એસ.એફ યુનીટ પર ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંકલેશ્વર સી.આઈ.એસ.એફ યુનીટ ખાતે દુશ્મન તરફથી હુમલો થયો હતો. જેની સાંજે પાંચ કલાકે જિલ્લા કંટ્રોલરૂમ તથા પોલીસ કંટ્રોલરૂમ ખાતે જાણકારી મળી હતી. સૂચના મળતા જ જિલ્લાના વિવિધ વિભાગો સ્થિતિ પર કાબુ મેળવવા સી.આઈ.એસ.એફ યુનીટ સ્થળ પર પહોંચ્યા હતા. અને સામાન્ય ઇજા પામેલા ૨૫ જેટલા જવાનોને બચાવી સારવાર અપાઈ હતી. જ્યારે ૫ જેટલા વધુ ઈજાગ્રસ્તોને સારવાર આપવા તબીબી ટીમ સાથે ૩૦ યુનિટ રક્તની જરૂરીયાત ઉભી થતા યુધ્ધના ધોરણે મદદ પહોચાડી હતી. 
Advertisment