અંકલેશ્વર :  ગટ્ટુ વિદ્યાલયના CBSE વિભાગનો વાર્ષિક સમારોહની ઉજવણી કરાઈ, વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિઓ કરી રજૂ

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ સોસાયટી દ્વારા સંચાલિત અને જીઆઇડીસીમાં આવેલી શ્રી ગટ્ટુ વિદ્યાલયના સીબીએસઇ વિભાગના ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓના વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

author-image
By Connect Gujarat Desk
New Update
  • અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી છે ગટુ વિદ્યાલય

  • શાળાના વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમનું કરાયુ આયોજન

  • વિદ્યાર્થીઓએ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી

  • ધોરણ 1થી5ના વિદ્યાર્થીઓનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

  • આમંત્રિતો રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત ગટ્ટુ વિદ્યાલયનો ડાયમંડ થિયેટર ખાતેCBSE વિભાગના ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓનો વાર્ષિક સમારોહ યોજાયો હતો. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત ગટ્ટુ વિદ્યાલયનો ડાયમંડ થિયેટર ખાતેCBSE વિભાગના ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓનો વાર્ષિક સમારોહ યોજાયો હતો.

આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકેGACL કંપનીના ચીફ મેનેજર અજય શર્મા તથા શાળાના કેમ્પસ ડાયરેક્ટર શ્રીમતી મિશેલ ગણેશાણી,GSEB આચાર્ય ડો.અંશુ તિવારી તથાCBSEના ઉપાચાર્ય  સુષ્મા ચૌધરીકોર્ડીનેટર,શિક્ષક ગણવિદ્યાર્થીગણ તથા વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા.

વાર્ષિક સમારોહમાં નન્હે કદમ ઉંચી ઉડાન કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કાર્યક્રમોની રજૂઆત કરવામાં આવી હતી.જેમાં વેલકમ ડાન્સમાતાપિતા વંદનાએકલવ્ય થીમ ડાન્સદેશ કી જાન હમારે કિસાન નાટક રાજા હરિશ્ચંદ્રયોગા ડાન્સસેવ એન્વાયરમેન્ટ ડાન્સસ્પોર્ટ્સ  ડાન્સટ્રિબ્યુટ સોલ્જરસેમી ક્લાસિકલ ડાન્સજેવા વિવિધ કાર્યક્રમોની રજૂઆત કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં રાષ્ટ્રપ્રેમરાષ્ટ્રીય એકતા,મૂલ્ય શિક્ષણખેડૂતસૈનિકવડીલોનું સન્માન,પર્યાવરણની જાળવણી વગેરે અંતર્ગત કરવામાં આવ્યો હતો.વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક પોતાના કાર્યક્રમને પ્રસ્તુત કરીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

Read the Next Article

ભરૂચ: આમોદ ન.પા.માં ભાજપના જ આગેવાન અને કોન્ટ્રાકટરે આત્મવિલોપની ચીમકી ઉચ્ચારી, બાકી પેમેન્ટ માટે ટકાવારી માંગતી હોવાના આક્ષેપ

ભરૂચને આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર એવા ભાજપના જ આગેવાને બાકી પેમેન્ટ બાબતે 15મી ઓગસ્ટના રોજ આત્મવિલોપન કરી લેવાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે

New Update
  • ભરૂચની આમોદ નગરપાલિકાનો વિવાદ

  • કોન્ટ્રાકટરે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી

  • બાકી પેમેન્ટ ન ચૂકવાતા આક્ષેપ

  • શાસકો ટકાવારી માંગતા હોવાના આક્ષેપ

  • પ્રમુખે તમામ આક્ષેપ ફગાવ્યા

ભરૂચ ને આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર એવા ભાજપના જ આગેવાને બાકી પેમેન્ટ બાબતે 15મી ઓગસ્ટના રોજ આત્મવિલોપન કરી લેવાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે સાથે જ નગરપાલિકાના પ્રમુખથી મારી અધિકારીઓ બાકી પેમેન્ટની ચુકવણી માટે ટકાવારી માંગતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે.
ભરૂચની આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર અને ભાજપના જ  રૂ.14.20 લાખનું પેમેન્ટ બાકી હોવા છતાં ચુકવણી ન થતા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો વચ્ચે કોન્ટ્રાક્ટરે 15મી ઓગષ્ટના રોજ નગરપાલિકા પરિસરમાં આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ભાજપના આગેવાન મૈલેશ મોદી લાંબા સમયથી નગરપાલિકામાં  કોન્ટ્રાકટર તરીકે કામ કરે છે.ભાજપના ન આગેવાન અને કોન્ટ્રાક્ટર મૈલેશ મોદીએ જણાવ્યું હતું 31-10-2023 થી 31-10-2024 દરમિયાન કરેલા સ્વભંડોળના વિકાસ કામોના રૂ.13.10 લાખમાંથી રૂ.12.60 લાખ હજુ બાકી છે, સાથે બીજા સ્વભંડોળના કામની રકમ મેળવી કુલ રૂ.14.20 લાખનું પેમેન્ટ આઠ મહિનાથી અટક્યું છે.
તેઓએ આક્ષેપ કર્યો છે કે બાકી પેમેન્ટ માટે નગરપાલિકાના પ્રમુખ, પદાધિકારીઓ અને અધિકારીઓ ટકાવારી માગે છે.તેમના મુજબ ચીફ ઓફિસર 3%, નગરપાલિકા બોડી 7%, હિસાબી શાખા 3% અને એન્જિનિયર 1% કમિશન લે છે. આ રેશિયો તમામ કોન્ટ્રાક્ટરો માટે નક્કી છે અને નફાકારક કામોમાં સીધો હિસ્સો પણ માંગવામાં આવે છે. 
કોન્ટ્રાકટરે કરેલા આક્ષેપ અંગે આમોદ નગરપાલિકાના પ્રમુખ જલ્પાબેન પટેલે જણાવ્યું હતું કે પેમેન્ટ સ્વભંડોળના અભાવે અટક્યું છે કારણ કે નગરપાલિકાની આવક અને વેરા વસૂલાત ઓછી હોવાથી પગાર અને પી.એફ. ચુકવવામાં મુશ્કેલી પડે છે. સ્વભંડોળ પ્રાપ્ત થયા બાદ કોન્ટ્રાક્ટરને ચુકવણી કરી દેવાશે.