New Update
/connect-gujarat/media/media_files/2025/08/16/varsad-2025-08-16-18-21-03.jpg)
અંકલેશ્વરમાં લાંબા સમયના વિરામ બાદ વરસાદનું આગમન થયું છે.જન્માષ્ટમીના દિવસે બપોર બાદ સમી સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ભારે ઉકળાટ તેમજ બફારા વચ્ચે પવન સાથે વરસાદ વરસ્યો હતો જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. લાંબા સમયના વિરામ બાદ વરસાદ વરસતા લોકોએ ગરમીથી આંશિક રાહત મેળવી હતી. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં આગામી 20 મી ઓગસ્ટ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે તે મુજબ જ અંકલેશ્વરમાં વરસાદ વરસ્યો હતો.અંકલેશ્વરના ભડકોદ્રા, કાપોદ્રા કોસમડી સહિત જીઆઇડીસીના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.
Latest Stories