અંકલેશ્વર: આર્ટ ઓફ લિવિંગ દ્વારા મોહનવિણા કોન્સર્ટનું આયોજન, સંગીત પ્રેમીઓએ લીધો લાભ

આર્ટ ઓફ લિવિંગ દ્વારા અમૃત્વ નામક મોહનવિણા કોન્સર્ટ યોજાયો હતો. આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરના માર્ગદર્શન હેઠળ વનિતા ગુપ્તાજી દ્વારા મોહન વીણાની ધૂન રેલાવવામાં આવી

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • કમલમ પાર્ટી પ્લોટ ખાતે આયોજન

  • મોહનવીણા કોન્સર્ટનું આયોજન

  • વનિતા ગુપ્તાજીએ મોહનવીણાના સુર રેલાવ્યા

  • સંગીત પ્રેમીઓએ લીધો લાભ

અંકલેશ્વરમાં આર્ટ ઓફ લિવિંગ દ્વારા અમૃત્વ નામક મોહનવિણા કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો સંગીત પ્રેમીઓએ લાભ લીધો હતો. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ કમલમ પાર્ટી પ્લોટ ખાતે મ્યુઝિકલ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
આર્ટ ઓફ લિવિંગ દ્વારા અમૃત્વ નામક મોહનવિણા કોન્સર્ટ યોજાયો હતો. આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરના માર્ગદર્શન હેઠળ વનિતા ગુપ્તાજી દ્વારા મોહન વીણાની ધૂન રેલાવવામાં આવી હતી જેનો મોટી સંખ્યામાં સંગીત પ્રેમીઓએ લાભ લીધો હતો.
Read the Next Article

ભરૂચ: છોટુ વસાવાને 80માં જન્મદિવસે BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવાયા, કહ્યું કેટલાક પરિબળોએ અમારું સંગઠન તોડવા કર્યો પ્રયાસ !

આદિવાસી મસીહા એવા ઝઘડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાનો આજે જન્મદિવસ હતો. આદિવાસી નેતા 80 વર્ષ પૂર્ણ કરી 81 માં વર્ષમાં પ્રવેશ્યા છે.

New Update
  • ભરૂચના ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય

  • છોટુ વસાવા બન્યા બિટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ

  • 80માં જન્મદિવસે કરાય જાહેરાત

  • મહેશ વસાવાએ ટેકો જાહેર કર્યો

  • મોટી સંખ્યામાં સમર્થકો રહ્યા ઉપસ્થિત

ભરૂચના ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાને 80 માં જન્મદિવસે  BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવતા ટેકેદારોએ આ જાહેરાતને વધાવી લીધી હતી
આદિવાસી મસીહા એવા ઝઘડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાનો આજે જન્મદિવસ હતો. આદિવાસી નેતા 80 વર્ષ પૂર્ણ કરી 81 માં વર્ષમાં પ્રવેશ્યા છે. તેઓના જન્મદિવસે તેમને શુભેચ્છા પાઠવવા દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય પુત્ર મહેશ વસાવા, દિલીપ વસાવા, કિશોર વસાવા સાથે અન્ય આગેવાનો પણ ઉમટી પડ્યા હતા.વાલિયા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ રાજુભાઇ વસાવા, રજની વસાવા, વિજય વસાવા સહિતના આગેવાનો તેમજ સમર્થકોની હાજરીમાં છોટુ વસાવાના જન્મદિવસની ઉજવણી કરી તેઓને શુભકામનાઓ પાઠવાઈ હતી.
પૂર્વ ધારાસભ્યના જન્મદિવસે જ તેઓને BTP ના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.તાજેતરમાં જ ભાજપ સાથે મોહભંગ થતા રાજીનામુ આપનાર તેમના પુત્ર મહેશ વસાવાએ આ જાહેરાતને ટેકો જાહેર કર્યો હતો. આ અંગે છોટુ વસાવાએ જણાવ્યું હતું કે કેટલાક પરિબળોએ અમારું સંગઠન તોડવા પ્રયાસ કર્યા હતા પરંતુ હવે અમે એક થઈ લડીશું