અંકલેશ્વર: ગુજરાતમાં વસતા બિહારી સમાજને NDA તરફ વાળવા પ્રયાસ, ભાજપે મુલાકાતોનો દૌર શરૂ કર્યો !

બિહાર રાજ્યસભાના સાંસદ અને ગુજરાતના પ્રભારી ધર્મશીલા ગુપ્તા અંકલેશ્વરમાં પધાર્યા હતા તેઓએ અંકલેશ્વરમાં બિહારી સમુદાયના આગેવાનો લોકો સાથે મુલાકાત કરી

New Update
  • બિહાર વિદ્યાસભાની ચૂંટણીની તૈયારી

  • અંકલેશ્વરમાં ભાજપની બેઠક યોજાઇ

  • બિહારના MP ધર્મશીલા ગુપ્તા રહ્યા ઉપસ્થિત

  • બિહારીઓને NDA તરફી મતદાન કરવા અપીલ કરાય

  • NDAની પ્રચંડ જીતનો દાવો કરાયો

બિહાર વિધાનસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે બિહાર રાજ્ય સભાના મહિલા સાંસદ ધર્મશીલા ગુપ્તાએ અંકલેશ્વરમાં બિહારી સમુદાયના આગેવાનો સાથે મુલાકાત કરી હતી.
આગામી સમયમાં બિહારમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે ભાજપા દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બિહાર સ્થાપના દિવસની ઉજવણી બાદ હવે બિહાર રાજ્યસભાના સાંસદ અને ગુજરાતના પ્રભારી ધર્મશીલા ગુપ્તા અંકલેશ્વરમાં પધાર્યા હતા તેઓએ અંકલેશ્વરમાં બિહારી સમુદાયના આગેવાનો લોકો સાથે મુલાકાત કરી હતી.
અંકલેશ્વરને કર્મભૂમિ બનાવનાર બિહારી સમાજના સભ્યો સાથે તેઓએ મુલાકાત કરી બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએ તરફી મતદાન કરવા આહવાન કર્યું હતું. આ પ્રસંગે અન્ય ભાષાભાસી સેલ ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ અશોક ઝા,પપ્પુ સિંગ, અને અનિલ શુકલા સહિતના ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે બિહાર રાજ્યસભાના સાંસદ ધર્મશીલા ગુપ્તાએ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં આર.જે.ડી.નું ખાતું પણ નહીં ખુલે એવો હુંકાર કર્યો હતો અને એન.ડી.એ.ની પ્રચંડ જીતનો દાવો કર્યો હતો.
Read the Next Article

ભરૂચ: શેરબજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચે 15 લોકો સાથે રૂ.1.59 કરોડની ઠગાઈ, એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચના કર્મકાંડી ભુદેવ સહિત 15 લોકો સાથે શેર બજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચ આપી ભેજાબાજે રૂ. રૂ.1.59 કરોડની છેતરપીંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ

New Update
  • ભરૂચમાં ચકચારી મામલો પ્રકાશમાં આવ્યો

  • 15 લોકો સાથે આચરવામાં આવી ઠગાઈ

  • શેરબજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચે ઠગાઈ

  • રૂ.1.59 કરોડની ઠગાઈ આચરવામાં આવી

  • ઠગ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ

ભરૂચના નંદેલાવ રોડ આશીર્વાદ બંગલોઝમાં રહેતા કર્મકાંડી ભુદેવ સહિત 15 લોકો સાથે શેર બજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચ આપી ભેજાબાજે રૂ. રૂ.1.59 કરોડની છેતરપીંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ભરૂચના નંદેલાવ રોડ આશીર્વાદ બંગલોઝમાં રહેતા અને કર્મકાંડ તેમજ ખેતી કરતા ચેતનકુમાર ગણપતરામ પુરોહિતનો ચાર વર્ષ પહેલાં ભરૂચના નિપન નગરમાં રહેતા રાહુલ અરવિંદ પંચાલ સાથે પરિચય થયો હતો. ચેતને પોતે મુંબઈની આઈ.આઈ એફ.એલ.નામની કંપનીમાં શેર બ્રોકર કામ તરીકે કામ કરતો હોવાનું જણાવ્યું તેમજ વધુ વળતર આપવાની ચેતનકુમારને લાલચ આપી હતી.વધુ વળતરની લાલચે ચેતન પુરોહિત અને અન્ય 15 જેટલા લોકોએ રાહુલ પંચાલને રૂ.1.59 કરોડ આપ્યા હતા.
શરૂઆતમાં રાહુલ વિશ્વાસ કેળવવા કેટલાક રૂપિયા વળતર પેટે પરત પણ આપ્યા હતા જોનકે બાદમાં તેણે રૂપિયા ચુકાવવાનું બંધ કરી દીધું હતું જેને પગલે ભેજાબાજ વિરુદ્ધ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.પોલીસે આ મામલે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.