અંકલેશ્વર: બિહારના મંત્રી જીવેશ મિશ્રાનું મોટું નિવેદન, ચૂંટણીમાં NDA ગઠબંધન 225 બેઠક જીતશે !

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા બિહાર દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં બિહાર સરકારના મંત્રી જીવેશ મિશ્રા ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ આજરોજ પ્રેસ કોન્ફરન્સ સંબોધી

New Update
  • બિહારના મંત્રી જીવેશ મિશ્રાની પ્રેસ કોન્ફરન્સ

  • બિહાર દિવસની ઉજવણીમાં લીધો હતો ભાગ

  • બિહાર ચૂંટણી અંગે આપ્યું નિવેદન

  • 225 બેઠક પર એન.ડી.એ.જીતશે

  • વકફ કાયદાનું પણ કર્યું સમર્થન 

બિહાર સરકારના ભાજપના મંત્રી અંકલેશ્વરમાં મોટું નિવેદન આપ્યું હતું તેઓએ જણાવ્યું હતું કે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએ ગઠબંધન 225 બેઠકો સાથે ભવ્ય જીત હાંસલ કરશે

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા બિહાર દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં બિહાર સરકારના મંત્રી જીવેશ મિશ્રા ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ આજરોજ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી જેમાં મહત્વના નિવેદનો કર્યા હતા. જીવેશ મિશ્રાએ જણાવ્યું હતું કે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એન.ડી.એ 225 બેઠકો સાથે ભવ્ય જીત નોંધાવશે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે જેડીયુ અન્ય સાથે ગઠબંધન કરે તો ક્યારેય સફળ નથી રહ્યું અને વિપક્ષની 2010ની ચૂંટણી કરતા પણ ખરાબ હાલત કરશે તેવું તેઓ નિવેદન આપ્યું હતું. આ તરફ વકફ કાયદા અંગે તેઓએ નિવેદન આપતા જણાવ્યું હતું કે વકફ કાયદાના કારણે મુસ્લિમોનો એક વર્ગ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયો છે અને આ બિલ મુસ્લિમોના હિતમાં જ છે.

Read the Next Article

ભરૂચ: આમોદ નગરપાલિકા કચેરી સામે જ ગંદકીના દ્રશ્યો, સ્વરછતા અભિયાન માત્ર કાગળ પર !

ભરૂચની આમોદ નગરપાલિકા કચેરી સામે જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતા સ્વરછતા અભિયાનનો છેદ ઉડી રહ્યો છે તો બીજી તરફ સ્થાનિકો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે

New Update
  • ભરૂચની આમોદ નગરપાલિકાનો પ્રશ્ન

  • નગરપાલિકા કચેરી સામે જ ગંદકી

  • ગંદકીના કારણે લોકોને પરેશાની

  • વારંવાર રજુઆત છતાં કોઈ નિરાકરણ નહીં

  • સાફ સફાઈ કરાવવા સ્થાનિકોની માંગ

ભરૂચની આમોદ નગરપાલિકા કચેરી સામે જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતા સ્વરછતા અભિયાનનો છેદ ઉડી રહ્યો છે તો બીજી તરફ સ્થાનિકો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે
ભરૂચની આમોદ નગરપાલિકાના મુખ્ય ગેટથી માત્ર 200 મીટર અંતરે જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતું હોવાની ફરિયાદો સામે આવી રહી છે. નગરપાલિકા સામે સ્વચ્છતા અભિયાનની ધજાગરા ઉડતી હોવાના દ્રશ્યોને લઈને સ્થાનિકો અને દુકાનદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.આમોદના તિલક મેદાન, વેરાઈ માતાજી મંદિરની આસપાસ ગંદકીના કારણે ત્યાં દર્શનાર્થે આવતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે. દુકાનદારોનું કહેવું છે કે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત છતાં નગરપાલિકા દ્વારા કોઈ કાયમી પગલાં લેવામાં નથી આવતા ત્યારે પ્રશ્નના તાકીદે નિકાલની માંગ કરવામાં આવી છે.