અંકલેશ્વર: બિહારના મંત્રી જીવેશ મિશ્રાનું મોટું નિવેદન, ચૂંટણીમાં NDA ગઠબંધન 225 બેઠક જીતશે !

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા બિહાર દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં બિહાર સરકારના મંત્રી જીવેશ મિશ્રા ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ આજરોજ પ્રેસ કોન્ફરન્સ સંબોધી

New Update
  • બિહારના મંત્રી જીવેશ મિશ્રાની પ્રેસ કોન્ફરન્સ

  • બિહાર દિવસની ઉજવણીમાં લીધો હતો ભાગ

  • બિહાર ચૂંટણી અંગે આપ્યું નિવેદન

  • 225 બેઠક પર એન.ડી.એ.જીતશે

  • વકફ કાયદાનું પણ કર્યું સમર્થન 

બિહાર સરકારના ભાજપના મંત્રી અંકલેશ્વરમાં મોટું નિવેદન આપ્યું હતું તેઓએ જણાવ્યું હતું કે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએ ગઠબંધન 225 બેઠકો સાથે ભવ્ય જીત હાંસલ કરશે

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા બિહાર દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં બિહાર સરકારના મંત્રી જીવેશ મિશ્રા ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ આજરોજ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી જેમાં મહત્વના નિવેદનો કર્યા હતા. જીવેશ મિશ્રાએ જણાવ્યું હતું કે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એન.ડી.એ 225 બેઠકો સાથે ભવ્ય જીત નોંધાવશે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે જેડીયુ અન્ય સાથે ગઠબંધન કરે તો ક્યારેય સફળ નથી રહ્યું અને વિપક્ષની 2010ની ચૂંટણી કરતા પણ ખરાબ હાલત કરશે તેવું તેઓ નિવેદન આપ્યું હતું. આ તરફ વકફ કાયદા અંગે તેઓએ નિવેદન આપતા જણાવ્યું હતું કે વકફ કાયદાના કારણે મુસ્લિમોનો એક વર્ગ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયો છે અને આ બિલ મુસ્લિમોના હિતમાં જ છે.

Read the Next Article

અંકલેશ્વર : કોસમડી ગામે વીજ તાર તૂટીને પડવાથી બે અબોલ પશુઓના વીજ કરંટથી મોત

અંકલેશ્વરનાકોસમડી ખાડીમાં વીજ કંપનીનો જીવતો વીજ તાર તૂટીને પડ્યો હતો.જેના કારણે ચારો ચરતા અબોલ પશુઓને વીજ કરંટ લગતા બે અબોલ પશુઓના નિપજ્યા મોત

New Update
  • કોસમડીમાં વીજ તાર તૂટીને પડવાનો મામલો

  • બે મહિલાઓ પશુ ચરાવવા માટે ગઈ હતી 

  • સાંજે પરત ફરીથી વેળાએ બની ઘટના

  • ખાડી પાસે વીજ તાર તૂટીને પડ્યો હતો

  • વીજ કરંટ લાગતા બે અબોલ પશુઓના નિપજ્યા મોત

અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામની ખાડી પાસે વીજ લાઈનનો એક તાર તૂટીને પડ્યો હતો,જેનો કરંટ બે અબોલ પશુઓને લગતા મોતને ભેટ્યા હતા. અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામના નવાપરા ફળિયામાં રહેતા જમણા વસાવા અને રેવા વસાવા પોતાની ભેંસોને ચરાવવા માટે ગામની સીમમાં ગયા હતા,ત્યાંથી સાંજના સુમારે પરત ફરતી વેળાએ એક દુર્ઘટના સર્જાય હતી.

જેમાં કોસમડી ખાડીમાં વીજ કંપનીનો જીવતો વીજ તાર તૂટીને પડ્યો હતો.જેના કારણે ચારો ચરતા અબોલ પશુઓને વીજ કરંટ લાગ્યો હતો,વીજ કરંટના જોરદાર ઝટકાથી એક ભેંસ અને પાડાના મોત નિપજ્યા હતા,ઘટના અંગે જમના વસાવાએ જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી.