અંકલેશ્વર: ભાજપ દ્વારા સાંસદ મનસુખ વસાવાનો અભિવાદન સમારોહ યોજાયો

ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો અંકલેશ્વરમાં અભિવાદન સમારોહ યોજાયો હતો. અંકલેશ્વર વિધાનસભા ભાજપ દ્વારા આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

author-image
By Connect Gujarat Desk
New Update
Advertisment

ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો અંકલેશ્વરમાં અભિવાદન સમારોહ યોજાયો હતો. અંકલેશ્વર વિધાનસભા ભાજપ દ્વારા આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાનો સતત સાતમી વખત વિજય થયો છે ત્યારે અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે અંકલેશ્વર હાસોટ વિધાનસભા મતવિસ્તાર ભાજપ દ્વારા તેઓના અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરીયા, અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિતના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનો અને કાર્યકરો દ્વારા મનસુખ વસાવાનું સન્માન કરવામાં આવ્યું હતું. મનસુખ વસાવાએ તેઓના સંબોધનમાં તમામ મતદારો અને ભાજપના કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો સાથે વિરોધીઓ પર પ્રહાર પણ કર્યા હતા.મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે વિરોધીઓએ મારા અને પાર્ટી અંગે ઘણો અપપ્રચાર કાર્યો હતો, હું ક્વોરી ઉદ્યોગ અને લિઝ ધારકોનો વિરોધી હોવાનું જુઠાણું ચલાવ્યું પરંતુ સરકારના નિયમો પ્રમાણે કામ કરશો તો હું કોઈનો વિરોધી નથી 
Advertisment
Latest Stories