અંકલેશ્વર: ભાજપ દ્વારા સાંસદ મનસુખ વસાવાનો અભિવાદન સમારોહ યોજાયો

ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો અંકલેશ્વરમાં અભિવાદન સમારોહ યોજાયો હતો. અંકલેશ્વર વિધાનસભા ભાજપ દ્વારા આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

author-image
By Connect Gujarat
New Update
Advertisment

ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો અંકલેશ્વરમાં અભિવાદન સમારોહ યોજાયો હતો. અંકલેશ્વર વિધાનસભા ભાજપ દ્વારા આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાનો સતત સાતમી વખત વિજય થયો છે ત્યારે અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે અંકલેશ્વર હાસોટ વિધાનસભા મતવિસ્તાર ભાજપ દ્વારા તેઓના અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરીયા, અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિતના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનો અને કાર્યકરો દ્વારા મનસુખ વસાવાનું સન્માન કરવામાં આવ્યું હતું. મનસુખ વસાવાએ તેઓના સંબોધનમાં તમામ મતદારો અને ભાજપના કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો સાથે વિરોધીઓ પર પ્રહાર પણ કર્યા હતા.મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે વિરોધીઓએ મારા અને પાર્ટી અંગે ઘણો અપપ્રચાર કાર્યો હતો, હું ક્વોરી ઉદ્યોગ અને લિઝ ધારકોનો વિરોધી હોવાનું જુઠાણું ચલાવ્યું પરંતુ સરકારના નિયમો પ્રમાણે કામ કરશો તો હું કોઈનો વિરોધી નથી 
Advertisment
Read the Next Article

અંકલેશ્વર : જલારામ મંદિરથી નવી દીવી રોડ પર આવેલ નાળાનું કામ ખોરંભે ચઢ્યું, સ્થાનિકો-રાહદારીઓને હાલાકી...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના નવી દીવી રોડ પર આવેલ નાળાનું કામ છેલ્લા 4 મહિનાથી ખોરંભે ચઢતા સ્થાનિકો સહિત રાહદારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

New Update

છેલ્લા 4 મહિનાથી ચાલતી કામગીરી બંધ થઈ

Advertisment

લોકોમાં ધીમી કામગીરીને લઈને ફેલાયો છે રોષ

કમોસમી માવઠાને લઈ ડાઈવર્ઝન માર્ગ બિસ્માર

નાળાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માંગ ઉઠી

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના નવી દીવી રોડ પર આવેલ નાળાનું કામ છેલ્લા 4 મહિનાથી ખોરંભે ચઢતા સ્થાનિકો સહિત રાહદારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના નવી દીવી અને નવા દીવા ગામના માર્ગ પર જલારામ મંદિર સ્વર્ણિમ લેક-વ્યુ પાર્ક નજીક  વર્ષો જૂનું નાળું આવેલું છે. જે બિસ્માર નાળાના નવીનીકરણની કામગીરી 4 મહિના પહેલા ભરૂચ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઈજારો આપી શરૂ કરાવવામાં આવી હતી. જોકે4-4 મહિના થઈ ગયા હોવા છતાં ગોકળ ગતિએ ચાલતી કામગીરીને લઇ સ્થાનિકો સહિત રાહદારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તાજેતરમાં જ આવેલ કમોસમી વરસાદને લઇ માર્ગની બાજુમાં આપેલ ડાઈવર્ઝનનું પણ ધોવાણ થતાં ત્યાંથી વાહનો પસાર કરવું મુશ્કેલ બન્યું છે. છેલ્લા એક સપ્તાહ ઉપરાંતથી અટકેલ કામગીરી શરૂ કરાવવા માટે લોકો રસ્તે ઉતરી આવ્યા હતા. આ અંગે નવી દીવી ગામના રહેવાસીએ જણાવ્યું હતું કેછેલ્લા 4 મહિનાથી અટકી ગયેલી કામગીરી અને ડાઈવર્ઝન માર્ગ પણ અત્યંત બિસ્માર બન્યો છે. અહી 2 ગામ તેમજ વિવિધ સોસાયટીના રહીશોને આવાગમન કરવામાં ભારે અગવડતા ઉભી થઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કેચોમાસું બેસવાને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છેત્યારે હવે આ અધૂરી કામગીરીને તાકીદે શરૂ કરવામાં આવે તેવી સ્થાનિકો સહિત રાહદારીઓ માંગ કરી રહ્યા છે.

Advertisment