New Update
/connect-gujarat/media/media_files/2025/06/09/o3JtGpFTMr2OsW0uKpw2.jpg)
અંકલેશ્વર વાલિયા રોડ પર કાપોદ્રા પાટીયા પાસે અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા પોલીસે કબજો મેળવી તપાસ શરૂ કરી છે.
અંકલેશ્વર વાલિયા રોડ પર કાપોદ્રા પાટીયા પાસે એક વ્યક્તિનો મૃતદેહ હોવાની જાણ સ્થાનિકોને થઈ હતી આ અંગે તેઓએ જીઆઇડીસી પોલીસને જાણ કરતા જીઆઇડીસી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયો હતો. મૃતકની ઉંમર ૩૫ વર્ષની હોવાનું જાણવા મળી રહ્યું છે. તેનું મોત કઈ રીતે નિપજ્યું જે સહિતની વિગતો મેળવવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.