અંકલેશ્વર: બનેવીના મોબાઈલની ચોરીની શંકાએ સાળાએ યુવાનની કરી હત્યા,મૃતદેહ સ્મશાન નજીક ફેંકી દીધો

અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસની હદમાં અજાણ્યા મરાઠી યુવાનનું મોબાઈલ ચોરીની શંકાએ પાંચ ઇસમોએ સપાટા અને ગેસની રબરની પાઇપો વડે માર મારી હત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો

New Update

અંકલેશ્વરનો ચકચારી બનાવ

સાળાએ મિત્રો સાથે મળી કરી યુવાનની હત્યા

બનેવીના મોબાઈલની ચોરીની શંકાએ હત્યા કરાય

રીક્ષામાં અપહરણ કરી યુવાનને માર મરાયો

પોલીસે 2 આરોપીઓની કરી અટકાયત

અંકલેશ્વરમાં બનેવીના મોબાઇલની ચોરીની આશંકાએ સાળાએ તેના મિત્રો સાથે મળીએ એક યુવાનની હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસની હદમાં અજાણ્યા મરાઠી યુવાનનું મોબાઈલ ચોરીની શંકાએ પાંચ ઇસમોએ સપાટા અને ગેસની રબરની પાઇપો વડે માર મારી હત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
ગત તારીખ-20મી ઓગસ્ટના રોજ રાતે અંકલેશ્વર રેલ્વે સ્ટેશન ખાતે મોહિત ઉર્ફે લાલુ દોહેરેના જીજાજી રોકાયા હતા જ્યાં અજાણ્યા મરાઠી યુવાને મોહિત ઉર્ફે લાલુ દોહેરેના જીજાજીનો મોબાઈલ ફોન ચોરી કર્યાની શંકા રાખી ચોરી થયેલ ફોન કઢાવવા માટે મોહિત ઉર્ફે લાલુ દોહેરે અને તેના જીજાજી તેમજ જીજાજીના મિત્રએ મરાઠી યુવાનનું ઉદ્દલસિંગ પુત્તુંલાલ દોહેરેની રિક્ષામાં અપહરણ કરી અલગ અલગ જગ્યાએ ફેરવી નોટિફાઈડ ઓફિસ પાસે લાકડાના સપાટાનો માર માર્યો હતો એટલાથી નહીં અટકતા અન્ય રિક્ષા ચાલક લાલુરામ દોહેરેની રિક્ષામાં પિરામણ ગામની સીમમાં ઉમરવાડા જવાના રસ્તા ઉપર માહ્યાવંશીઓની જૂની સ્મશાનવાળી જગ્યા લઈ જઈ ત્યાં ગેસની પાઇપ વડે મોહિત અને લાલુરામ દોહેરેએ ફરી યુવાનને માર મારી મોતને ઘાટ ફરાર થઈ ગયા હતા.પોલીસે ગણતરીના કલાકોમાં ઉદ્દલસિંગ પુત્તુંલાલ દોહેરે અને લાલુરામ દોહેરેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read the Next Article

ભરૂચ: રથયાત્રાના પર્વને અનુલક્ષી પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરાયુ

ભરૂચમાં અષાઢી બીજ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે.જેના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update

ભરૂચમાં નિકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા

અષાઢી બીજના રોજ રથયાત્રાનું આયોજન

પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવાશે

એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજાય

ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ જોડાયા

ભરૂચમાં અષાઢી બીજ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે.જેના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચમાં અષાઢી બીજ નિમિત્તે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે ત્યારે રથયાત્રાના ઉત્સવ પ્રસંગે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્રએ કમરકસી છે. જેના ભાગરૂપે ભરૂચ શહેર એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફ્લેગમાર્ચ શહેરના ફુરજા વિસ્તારમાં આવેલ જગન્નાથ મંદિરેથી નીકળી રવિવારી બજાર, સોની ફળિયુ, લાલ બજાર, લલ્લુભાઈ ચકલાથી હાથીખાના બજાર થઈ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી જેમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ જોડાયા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ હાજરી આપી શહેરીજનોને સુરક્ષા અને શાંતિનો અનુભવ કરાવ્યો હતો.