વર્ષ 2024-25નું બજેટ કેવું છે અને તેની આવનારા વર્ષ પર કેવી અસર પડશે તે અંગે ચર્ચા કરવા હેતુ અંકલેશ્વર ખાતે બજેટ એનાલિસિસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની લોર્ડ્સ પ્લાઝા હોટલ ખાતે ઘી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા ભરૂચ-અંકલેશ્વર ચેપ્ટર દ્વારા વર્ષ 2024-25નું બજેટ કેવું છે અને તેની આવનારા વર્ષ પર કેવી અસર પડશે તે અંગે ચર્ચા કરવા હેતુ બજેટ એનાલિસિસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ વિશે SGST ભરૂચના આસિસ્ટન્ટ કમિશનર ડો. વીરેન્દ્ર પટેલ, કે.શ્રીવત્સન, મનુ દેસાઈ, વરિષ્ઠ CA સાગરમલ પારીક સહિતના આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ચેપ્ટરના પ્રેસિડેન્ટ CMA રાજેન્દ્ર રાઠી સાથે કમિટી સભ્યો તેમજ અંકલેશ્વર, પાનોલી, દહેજ, ઝગડીયા ખાતે વિવિધ ઉદ્યોગોમાં એકાઉન્ટ અને ટેક્સ વિભાગમાં કામ કરતા એકાઉન્ટન્ટ્સે સેમિનારનો લાભ લીધો હતો, જ્યારે CMA શૈલેન્દ્ર સક્સેના, એડવોકેટ મનીષ જૈન, CA અભિષેક નાગોરીએ પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું.