અંકલેશ્વર: નેશનલ હાઇવે પર 2 વાહન વચ્ચે કાર બની સેન્ડવીચ,કારચાલકનું મોત

અંકલેશ્વર નજીક હાઇવે પર ફરી એકવાર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે અંકલેશ્વર નજીક હાઇવે પર સુરતથી વડોદરા તરફ જઈ રહેલ કારના ચાલકને પી.આઇ. ઇન્ડસ્ટ્રીઝ નજીક અકસ્માત નડયો રહ્યો હતો

New Update

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર ટેન્કર અને કાર વચ્ચે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં કારચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું નિપજ્યુ હતું.

અંકલેશ્વર નજીક હાઇવે પર ફરી એકવાર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે અંકલેશ્વર નજીક હાઇવે પર સુરતથી વડોદરા તરફ જઈ રહેલ કારના ચાલકને પી.આઇ. ઇન્ડસ્ટ્રીઝ નજીક અકસ્માત નડયો રહ્યો હતો આગળ ચાલતા વાહન સાથે કાર ભટકાયા બાદ પાછળથી આવતું ટેન્કર કારમાં ઘૂસી ગયું હતું જેના કારણે બે વાહનો વચ્ચે કાર સેન્ડવીચ બની ગઈ હતી.આ અકસ્માતમાં કારચાલકને ગંભીર ઇજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.
બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને કારનું પતરૂ કાપી મૃતદેહને બહાર કાઢ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે આ તરફ અકસ્માતના પગલે નેશનલ હાઇવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું  કારચાલક સુરતનો રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે

 

#ટ્રાફિક જામ #બે વાહનો વચ્ચે કાર સેન્ડવીચ બની #માર્ગઅકસ્માત #કારચાલકનું મોત #નેશનલહાઇવે #અંકલેશ્વર
Here are a few more articles:
Read the Next Article