અંકલેશ્વર: શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં રૂ.1.76 લાખના કેમિકલ પાઉડરની ચોરી, ત્રણ ઈસમોની ધરપકડ

અંકલેશ્વર જીઆઇડીસીમાં ખ્વાજા ચોકડી નજીક આવેલ શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાંથી તસ્કરો રૂપિયા 1 લાખ 76 હજારની કિંમતના 80 કિલો કેમિકલ પાવડરની ચોરી કરી હતી.

New Update
  • અંકલેશ્વરમાં બન્યો હતો ચોરીનો બનાવ

  • શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં થઈ હતી ચોરી

  • રૂ.1.76 લાખના કેમિકલ પાઉડરની ચોરી

  • પોલીસે 3 આરોપીઓની કરી ધરપકડ

  • એક આરોપી વોન્ટેડ

અંકલેશ્વરની શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં છેલ્લા ત્રણ મહિનામાં 80 કિલો કેમિકલ પાવડરની ચોરીમાં ભરૂચ એલસીબીએ ત્રણ તસ્કરોની ધરપકડ કરી અંકલેશ્વર જીઆઇડીસીમાં ખ્વાજા ચોકડી નજીક આવેલ શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાંથી તસ્કરો રૂપિયા 1 લાખ 76 હજારની કિંમતના 80 કિલો કેમિકલ પાવડરની ચોરી કરી હતી.
જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા ભરૂચ એલસીબીએ તપાસ શરૂ કરી હતી. ઉત્તરપ્રદેશના અને હાલ ગડખોલની ગોકુલધામ સોસાયટીમાં રહેતા અર્જુન યાદવ, બાદલ યાદવ તેમજ રણજિત કુવરની ધરપકડ કરી હતી. એલસીબી પોલીસે તેઓ પાસેથી રૂપિયા 1 લાખ 69 હજારની કિંમતનો 77 કિલો કેમિકલ પાવડર અને 20 હજારના બે મોબાઈલ મળી કુલ રૂપિયા 1 લાખ 89 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો. સાથે પ્રભાત મંડલ નામના ઈસમને વોન્ટેડ જાહેર કર્યો હતો.
Read the Next Article

અંકલેશ્વર: ગડખોલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિર યોજાય, રક્તદાતાઓએ કર્યું ઉત્સાહભેર રક્તદાન

અંકલેશ્વરના ગડખોલ ગામ ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વખતે દાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.

New Update
bolld

અંકલેશ્વરના ગડખોલ ગામ ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વખતે દાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.

ભરૂચ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાઓને આયુષ બ્લડ બેન્કના સહયોગથી અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામ ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તરત તે દાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ ગ્રામજનો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા રક્તદાન એ જ મહાદનને સાર્થક કરવા આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ કેન્દ્રો પર રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે જેમાં લોકો ઉત્સાહભેર જોડાઈ છે