અંકલેશ્વર : યુવામિત્ર મંડળ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં વિવિધ શાળાના બાળકો ગરબે ઘૂમ્યા !

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં યુવા મિત્ર મંડળ દ્વારા આયોજિત ગરબા ઉત્સવમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ગરબે ઘુમી માતાજીની આરાધના કરી હતી 

New Update

અંકલેશ્વરમાં નવરાત્રી પર્વની ઉજવણી

યુવા મિત્ર મંડળ દ્વારા કરાયુ છે આયોજન

નવરાત્રી મહોત્સવમાં બાળકોને અપાયું આમંત્રણ

વિવિધ શાળાના એક હજાર બાળકો ગરબે ઘૂમ્યા

મંડળના આગેવાનો રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં યુવા મિત્ર મંડળ દ્વારા આયોજિત ગરબા ઉત્સવમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ગરબે ઘુમી માતાજીની આરાધના કરી હતી 
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ સરદાર પટેલ સેવા ટ્રસ્ટની વાડી ખાતે યુવા મિત્ર મંડળ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. ગરબા ઉત્સવમાં આજરોજ આયોજકો દ્વારા જી.આઈ.ડી.સી.ની વિવિધ શાળા  શ્રી સરદાર પટેલ પ્રાથમિક શાળા, શારદા ભવન સ્કુલ, આંગણવાડી, આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓ માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં અંદાજીત ૧૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ ગરબાના તાલે જુમી ઉઠ્યા હતા.જયારે બાળકોને પ્રોત્સાહિત ગીફ્ટ અને નાસ્તો આપવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં યુવા મિત્ર મંડળના પ્રમુખ હિંમત દેવાણી,સેક્રેટરી ધર્મેશ ડોબરીયા,પ્રદીપ માલવિયા,કાંતિ દુધાત,મહેશ સબલ્પરા તેમજ શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
Read the Next Article

ભરૂચ: અષાઢી બીજે 6 સ્થળોએથી નિકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા, પોલીસ ડ્રોન કેમેરાથી રાખશે નજર

અષાઢી બીજ નિમિત્તે ભરૂચ જિલ્લામાં છથી વધુ રથયાત્રા નિકળશે જેને ધ્યાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આવતીકાલે અષાઢી બીજના

New Update

ભરૂચમાં આવતીકાલે કરવામાં આવ્યું આયોજન

6 સ્થળોએથી રથયાત્રાનું આયોજન

પોલીસનો રહેશે ચુસ્ત બંદોબસ્ત

ડ્રોન કેમેરાથી રાખવામાં આવશે નજર

700થી વધુ પોલીસકર્મીઓ રહેશે તૈનાત

અષાઢી બીજ નિમિત્તે ભરૂચ જિલ્લામાં છથી વધુ રથયાત્રા નિકળશે જેને ધ્યાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આવતીકાલે અષાઢી બીજના પાવન દિવસે ભરૂચ જિલ્લાભરમાં વિવિધ સ્થળોએ કુલ 6 રથયાત્રાઓ યોજાવાની છે. ભરૂચ શહેરમાં ત્રણ, અંકલેશ્વરમાં બે તથા ઝઘડિયામાં એક રથયાત્રા યોજાવાની છે. ભક્તિભાવ અને શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે હેતુસર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.ભરૂચ શહેરની અતિ પૌરાણિક ગણાતી દત્ત મંદિરથી ભોઈવાડ સુધીની રથયાત્રાના માર્ગ પર આજે પોલીસ વિભાગ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી. આ ફ્લેગ માર્ચ ફુરજા ચોકથી શરૂ થઈ લાલ બજાર, ચકલા, હાથીખાના બજાર, અને સોનેરીમહલ સુધી યોજાઈ હતી. સમગ્ર ફ્લેગ માર્ચ ડીવાયએસપી  સી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ સંપન્ન થઈ હતી.રથયાત્રા દરમ્યાન પોલીસ બંદોબસ્તમાં 3 ડીવાયએસપી, 8 પીઆઈ, 23 પીએસઆઈ, 456 હેડ કોન્સ્ટેબલ તથા પોલીસ જવાનો સાથે 266 હોમગાર્ડનો સમાવેશ થાય છે. ઉપરાંત ડ્રોન કેમેરાની મદદથી સમગ્ર યાત્રામાર્ગ ઉપર નજર રાખવામાં આવશે.