અંકલેશ્વર શહેર અને GNFC બસ ડેપોનો રૂ.14 કરોડના ખર્ચે થશે કાયાકલ્પ, એરપોર્ટ જેવી 25 સુવિધા મળશે

અંકલેશ્વર શહેરમાં આવેલ એસટી બસ ડેપો અને વર્કશોપ તેમજ ભરૂચની નર્મદા ચોકડી નજીક આવેલ જીએનએફસી બસ ડેપોનું રૂપિયા ૧૪ કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે.

New Update
  • અંકલેશ્વરમાં આવેલો છે 50 વર્ષ જૂનો ડેપો

  • એસ.ટી.બસ ડેપોનું કરાશે નવીનીકરણ

  • GNFC બસ ડેપોનો પણ થશે કાયાકલ્પ

  • બન્ને ડેપોની કામગીરીનું કરાયુ ખાતમુહૂર્ત

  • સાંસદ મનસુખ વસાવા રહ્યા ઉપસ્થિત

Advertisment
અંકલેશ્વર શહેરમાં આવેલા બસ ડેપો તેમજ ભરૂચના જીએનએફસી બસ ડેપોનું રૂપિયા ૧૪ કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે જેની કામગીરીનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આવેલા બસ ડેપોનું ગુજરાત રાજ્ય માર્ગ અને પરિવહન નિગમ દ્વારા નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત અંકલેશ્વર શહેરમાં આવેલ એસટી બસ ડેપો અને વર્કશોપ તેમજ ભરૂચની નર્મદા ચોકડી નજીક આવેલ જીએનએફસી બસ ડેપોનું પણ નવીનીકરણ કરવામાં આવશે. રૂપિયા ૧૪ કરોડના ખર્ચે બંને ડેપોના થનાર નવીનીકરણના કાર્યનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવા,અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલિતા રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ,અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિતના આગેવાનો તેમજ જીએનએફસી અને એસટી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચના જી.એન.એફ.સી. બસ ડેપોનું રૂ.266.97 લાખ અને અંકલેશ્વરમાં 50 વર્ષ જૂના શહેર ડેપો અને વર્કશોપનું રૂ.1154.18 લાખના ખર્ચે નવીનીકરણ થશે.જીએનએફસીની કામગીરી 11 મહિનામાં તો અંકલેશ્વર ડેપો અને વર્કશોપની કામગીરી 18 મહિનામાં પૂર્ણ થશે ત્યાં સુધી બંને સ્થળે હંગામી ડેપો બનશે. બંને એસટી બસ ડેપોની કાયકલ્પ થતા બસ ડેપોમાં પણ લોકોને એરપોર્ટ જેવી 25 સુવિધા પ્રાપ્ત થશે.
Read the Next Article

ભરૂચ: વાલિયાના કનેરાવ ગામની સીમમમાં સોલાર પ્લાન્ટમાંથી રૂ.10 લાખના માલમત્તાની ચોરી, પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચના વાલિયાના કનેરાવ ગામની સીમમાં આવેલ બે અલગ અલગ સોલાર પ્લાન્ટમાંથી ડી.સી.કેબલ અને અર્થિગ રોડ સહિત 10 લાખના મુદ્દામાલની ચોરી કરી અજાણ્યા ઈસમો

New Update
Screenshot_2025-08-16-18-16-46-98_6012fa4d4ddec268fc5c7112cbb265e7

ભરૂચના વાલિયાના કનેરાવ ગામની સીમમાં આવેલ બે અલગ અલગ સોલાર પ્લાન્ટમાંથી ડી.સી.કેબલ અને અર્થિગ રોડ સહિત 10 લાખના મુદ્દામાલની ચોરી કરી અજાણ્યા ઈસમો ફરાર થઇ ગયા હતા.

Advertisment
ભરૂચના વાલિયા તાલુકાના કનેરાવ ગામની સીમમાં દહીં તળાવ ઉજ્જવલ ટેકસટાઇલ્સ સોલાર પ્લાન્ટ આવેલ છે.જે સોલાર પ્લાન્ટમાં તસ્કરો ત્રાટકયા હતા.અને ડી.સી.કેબલ અને ઇન્વેટર મળી કુલ 6.96 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.જ્યારે નજીકમાં જ આવેલ કોનીકા ઇન્ટિમાં પ્રાઇવેટ લિમિટેડ સોલાર પ્લાન્ટમાં પણ થોડા દિવસો પહેલા કમ્પાઉન્ડની અંદર પ્રવેશ કરી અજાણ્યા તસ્કરોએ ડી.સી.કેબલ અને ઇન્વેટર મળી કુલ 3.92 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.બંને ચોરી અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.