અંકલેશ્વર: શહેરમાં હવે કચરાના ઢગ નહીં જોવા મળે! ન.પા.દ્વારા 13 સ્થળો નક્કી કરી સુશોભનની કામગીરી શરૂ કરાય

અંકલેશ્વર નગર પાલિકા દ્વારા શહેરની ૧૩ જગ્યા ઉપર નક્કી કરાયેલા જી.વી.પી પોઈન્ટના વિકાસ કામોનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. 

New Update

અંકલેશ્વર નગર પાલિકા દ્વારા શહેરની ૧૩ જગ્યા ઉપર નક્કી કરાયેલા જી.વી.પી પોઈન્ટના વિકાસ કામોનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. 

ગુજરાત સરકારના નિર્મલ ગુજરાત 2.0 કાર્યક્રમ અંતર્ગત અંકલેશ્વર શહેર વિવિધ ૧૩ જગ્યા ઉપર ગાર્બેજ વર્નરેબલ પોઇન્ટ નક્કી કરવામાં આવ્યા છે.જેમાં બે સ્થળોએ કેમેરા,ડેકોરેશન અને સુંદરતા સાથે વિકાસના કામો હાથ ધરવામાં આવશે જે પૈકી મોદી નગર બસ સ્ટેન્ડ પાસે આવેલ જી.વી.પી પોઇન્ટના રૂ.15 લાખના કામનું પાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત,ઉપ પ્રમુખ ભાવેશ કાયસ્થના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં કારોબારી ચેરમેન નીલેશ પટેલ અને અન્ય નગર સેવકો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરમાં જાહેર તેમજ આંતરિક માર્ગો પર કચરાના ઢગ પડી રહેતા હોય તેવા 13 સ્પોટ નગર સેવા સદન દ્વારા નક્કી કરવામાં આવ્યા છે જેના આધારે આ સ્થળોએ સુશોભનના કાર્યો કરવામાં આવશે જેથી કરીને શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તેવો અભિગમ દાખવવામા આવ્યો છે
Latest Stories