નવરાત્રીનું અંતિમ ચરણ
ગરબા ગ્રાઉન્ડ પર યુવાધન હિલ્લોળે ચઢ્યું
આઠમના નોરતે ગરબાની રમઝટ
દેશભક્તિના રંગ પર ગરબા
ખેલૈયાઓને કુમકુમ તિલક કરી પ્રવેશ અપાયો
જગત જનની માં જગદંબાની ભક્તિ અને આરાધનાનું પર્વ નવરાત્રી તેના અંતિમ ચરણમાં છે ત્યારે આઠમના નોરતે અંકલેશ્વર જીઆઇડીસીના વિવિધ ગરબા ગ્રાઉન્ડ પર ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘુમ્યા હતા. અંકલેશ્વરમાં ખોડલધામ પરિવાર દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં દેશભક્તિના રંગ જોવા મળ્યા હતા.આયોજકો દ્વારા ખેલૈયાઓને કુમકુમ તિલક કરી ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો ત્યારબાદ દેશભક્તિની થીમ પર ગરબા રમાડવામાં આવ્યા હતા.ભારતીય સેનાના માનમાં આયોજકો દ્વારા ગરબામાં દેશભક્તિની થીમ રાખવામાં આવી હતી જેમાં મન મૂકીને ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા. આ તરફ વિવિધ ગરબા ગ્રાઉન્ડ પર પણ યુવા ધન હિલ્લોળે ચઢયું હતું