અંકલેશ્વર: રામકુંડ ખાતે આયોજિત શ્રી રામ ચરિત માનસ કથાની પુર્ણાહુતી, મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા

અંકલેશ્વરના તીર્થક્ષેત્ર રામકુંડના 66માં વાર્ષિક મહોત્સવ નિમિત્તે શ્રી રામ ચરિત માનસ કથાની રામનવમીના પાવન અવસરે પૂર્ણાંહુતી કરવામાં આવી હતી.

New Update
  • અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલું છે રામકુંડ

  • શ્રી રામ ચરિત માણસ કથાનું કરાયુ હતું આયોજન

  • કથાની આજરોજ પુર્ણાહુતી કરાય

  • ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત

  • મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા

અંકલેશ્વરના તીર્થક્ષેત્ર રામકુંડના 66માં વાર્ષિક મહોત્સવ નિમિત્તે શ્રી રામ ચરિત માનસ કથાની રામનવમીના પાવન અવસરે પૂર્ણાંહુતી કરવામાં આવી હતી.
અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલ સુપ્રસિદ્ધ તીર્થક્ષેત્ર રામકુંડના 66માં વાર્ષિકોત્સવ નિમિત્તે મહંત ગંગાદાસ બાપુના માર્ગદર્શન હેઠળ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ અંતર્ગત શ્રી રામ ચરિત માન્સ કથાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળ સંત પ્રીયાંશુજી મહારાજ રામ કથાનું અમૃતમાયવાણીમાં રસપાન કરાવી રહ્યા હતા. આજરોજ રામનવમીના પાવન અવસરે કથાની પુર્ણાહુતી કરવામાં આવી હતી. આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ,અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, અંકલેશ્વર શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
Read the Next Article

અંકલેશ્વર: મહોરમનું પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા તાજીયા કમિટી દ્વારા તંત્રનો આભાર વ્યક્ત કરાયો

અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું

New Update
Tajiya Commitee
અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં મોહરમનું પર્વ શાંતિપૂર્ણ અને કોમી એખલાસભર્યા વાતાવરણમાં સંપન્ન થયું છે જે બદલ અંકલેશ્વર શહેર તાલુકા તાજીયા કમિટી દ્વારા પ્રાંત અધિકારી, મામલતદાર  કરણસિંહ રાજપૂત, નાયબ પોલીસ અધિક્ષક,ડો.કુશલ ઓઝા,પોલીસ ઇન્સ્પેકટર  પી જી ચાવડા, પાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત, શિક્ષણ સમિતિ ચેરમેન ગણેશ અગ્રવાલ, ભાજપ શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા સહિતના આગેવાનોનો આભાર વ્યક્ત કરી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

Tajiya Commitee Ankleshwar

આ પ્રસંગે કમિટીના પ્રમુખ બખ્તિયાર પટેલ, સેક્રેટરી વસીમ ફડવાલા, ઉપપ્રમુખ અમન પઠાણ, નૂર કુરેશી, લીગલ એડવાઈઝર હારુન મલેક સહિતના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.