અંકલેશ્વર- આમોદમાં કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવાયું, રાશનકાર્ડ ધારકોને તંત્રએ નોટીસ ફટકારતા વિરોધ

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તંત્ર દ્વારા રાશનકાર્ડ ધારકોને નોટીસ ફટકારવામાં આવી રહી છે અને અનાજ મેળવવા પાત્રતા ચકાસવામાં આવી રહી છે જેનો કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે

New Update
  • આમોદ અંકલેશ્વરમાં યોજાયા કાર્યક્રમો

  • કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવાયું

  • રાશન કાર્ડ ધારકોને તંત્રએ નોટીસ ફટકારતા વિરોધ

  • મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા

  • માંગ ન સંતોષાય તો આંદોલનની ચીમકી

અંકલેશ્વર અને તાલુકાના કોંગ્રેસ સમિતિ દ્વારા રાશનકાર્ડ ધારકોને તંત્ર દ્વારા નોટીસ ફટકારવામાં આવતા મામલતદાર કચેરી ખાતે એક આવેદનપત્ર પાઠવ્યું હતું. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તંત્ર દ્વારા રાશનકાર્ડ ધારકોને નોટીસ ફટકારવામાં આવી રહી છે અને અનાજ મેળવવા પાત્રતા ચકાસવામાં આવી રહી છે જેનો કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે ત્યારે આજરોજ અંકલેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રભાતજીનથી મામલતદાર કચેરી કરણસિંહ રાજપૂતને કાર્યકારી પ્રમુખ સંજયસિંહ રાજ સહિતના આગેવાનોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર જો સરકાર ગરીબ અને આદિવાસી પરિવારોના NFSA હેઠળના હક્કોને સુરક્ષિત રાખવા તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.
આ તરફ આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખની આગેવાની હેઠળ આમોદ તાલુકા કોંગ્રેસના આગેવાનો દ્વારા ગરીબો રેશનકાર્ડ ધારકોના હક્કો સુરક્ષિત રાખવા માટે આજ રોજ આમોદ નાયબ મામલતદારને કૉંગ્રેસના આગેવાનોએ આવેદનપત્ર પાઠવ્યુ હતું.આ બાબતે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલે જણાવ્યુ હતુ કે જો ગરીબ અને આદિવાસી પરિવારોની અન્ન સુરક્ષા સુરક્ષિત રાખવા તાત્કાલિક કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર  આંદોલન કરવામાં આવશે એવી ચીમકી આપવામા આવી છે.
Latest Stories