અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે કુખ્યાત કંજર ગેંગના સાગરીતની ધરપકડ કરી 5 ગુનાનો ભેદ ઉકેલ્યો, હાઇવે પર ધાડના ગુનાને આપતો હતો અંજામ

વાહન ચાલકોને માર મારી ધાડના ગુનાને અંજામ આપનાર કુખ્યાત કંજર ગેંગના સાગરીતની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.આ સાથે જ પોલીસને પાંચ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી

New Update
Kanjar Gang
અંકલેશ્વર અને પાનોલીમાં ટ્રક ડ્રાઇવર તેમજ અન્ય વાહન ચાલકોને માર મારી ધાડના ગુનાને અંજામ આપનાર કુખ્યાત કંજર ગેંગના સાગરીતની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.આ સાથે જ પોલીસને પાંચ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમને હ્યુમન સોર્સ આધારે માહિતી મળી હતી કે  પાનોલી અને અંકલેશ્વર વિસ્તારમાં એક વર્ષ અગાઉ હાઇવે પર ટ્રક ડ્રાઇવર તથા રાહદારીઓને કોઇના કોઇ બહાને ઉભી રખાવી હાઇવે નજીકમાં અવાવરૂ જગ્યાએ ખેંચી લઇ જઇ માર મારી ધાડ કરતી -કંજર ગેંગ' પકડાય હતી.
આ કંજર ગેંગનો સાગરીત રામલાલ શેતાનીયા (કંજર) છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો છે અને તે અંકલેશ્વરમાં વાલીયા ચોકડી ખાતે જોવામાં આવ્યો છે. જેથી એલ.સી.બી.ટીમ દ્વારા અંકલેશ્વરમાં અલગ અલગ જગ્યાએ વોચ ગોઠવી  આરોપીને વાલીયા ચોકડી નજીકથી ઝડપી પાડી તેની પુછપરછ કરતા તે એક વર્ષ અગાઉ કંજર ટોળકી સાથે હતો અને તેની સાથેના માણસો પકડાઇ જતા તે કોસબાથી ભાગી ગયેલો હોવાનું બહાર આવ્યું હતું.
આરોપી અંકલેશ્વર શહેર બી.ડીવીઝન પોલીસ મથકના  ધાડ-૦૧ તથા મોબાઇલ ચોરી-૦૧ તથા પાનોલી પોલીસ મથકના ધાડના -૦૨ તેમજ રાજપારડી પોલીસ મથકના વર્ષ ૨૦૧૮ની ઘરફોડ ચોરીના ૦૧ ગુનામાં વોન્ટેડ હોવાનું બહાર આવ્યું હતું.પોલીસે આરોપીની ધરપકડ કરી તેને પાનોલી પોલીસના હવાલે કર્યો છે.
Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.