અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે કુખ્યાત કંજર ગેંગના સાગરીતની ધરપકડ કરી 5 ગુનાનો ભેદ ઉકેલ્યો, હાઇવે પર ધાડના ગુનાને આપતો હતો અંજામ

વાહન ચાલકોને માર મારી ધાડના ગુનાને અંજામ આપનાર કુખ્યાત કંજર ગેંગના સાગરીતની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.આ સાથે જ પોલીસને પાંચ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી

New Update
Kanjar Gang
અંકલેશ્વર અને પાનોલીમાં ટ્રક ડ્રાઇવર તેમજ અન્ય વાહન ચાલકોને માર મારી ધાડના ગુનાને અંજામ આપનાર કુખ્યાત કંજર ગેંગના સાગરીતની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.આ સાથે જ પોલીસને પાંચ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમને હ્યુમન સોર્સ આધારે માહિતી મળી હતી કે  પાનોલી અને અંકલેશ્વર વિસ્તારમાં એક વર્ષ અગાઉ હાઇવે પર ટ્રક ડ્રાઇવર તથા રાહદારીઓને કોઇના કોઇ બહાને ઉભી રખાવી હાઇવે નજીકમાં અવાવરૂ જગ્યાએ ખેંચી લઇ જઇ માર મારી ધાડ કરતી -કંજર ગેંગ' પકડાય હતી.
આ કંજર ગેંગનો સાગરીત રામલાલ શેતાનીયા (કંજર) છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો છે અને તે અંકલેશ્વરમાં વાલીયા ચોકડી ખાતે જોવામાં આવ્યો છે. જેથી એલ.સી.બી.ટીમ દ્વારા અંકલેશ્વરમાં અલગ અલગ જગ્યાએ વોચ ગોઠવી  આરોપીને વાલીયા ચોકડી નજીકથી ઝડપી પાડી તેની પુછપરછ કરતા તે એક વર્ષ અગાઉ કંજર ટોળકી સાથે હતો અને તેની સાથેના માણસો પકડાઇ જતા તે કોસબાથી ભાગી ગયેલો હોવાનું બહાર આવ્યું હતું.
આરોપી અંકલેશ્વર શહેર બી.ડીવીઝન પોલીસ મથકના  ધાડ-૦૧ તથા મોબાઇલ ચોરી-૦૧ તથા પાનોલી પોલીસ મથકના ધાડના -૦૨ તેમજ રાજપારડી પોલીસ મથકના વર્ષ ૨૦૧૮ની ઘરફોડ ચોરીના ૦૧ ગુનામાં વોન્ટેડ હોવાનું બહાર આવ્યું હતું.પોલીસે આરોપીની ધરપકડ કરી તેને પાનોલી પોલીસના હવાલે કર્યો છે.
Read the Next Article

ભરૂચ : દિલ્હીમાં લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસના સમારોહમાં વાગરાના અખોડ ગામના સરપંચને આમંત્રણ, મોડેલ ગામ તરીકે અખોડનો વિકાસ

ભરૂચ જિલ્લામાં ઓડીએફ પ્લસ મોડેલ ગામમાં સારું કામ કરીને ગામને સ્વચ્છ બનાવી રહ્યા છે. જેને લઈને ગુજરાત રાજયમાંથી ૩ સરપંચની પસંદગી કરવામાં આવી છે

New Update
MixCollage-13-Aug-2025-08-19-PM-4

ભરૂચ જિલ્લામાં ઓડીએફ પ્લસ મોડેલ ગામમાં સારું કામ કરીને ગામને સ્વચ્છ બનાવી રહ્યા છે. જેને લઈને ગુજરાત રાજયમાંથી ૩ સરપંચની પસંદગી કરવામાં આવી છે.

જે દિલ્હી લાલ કિલ્લા ખાતે યોજાનાર સ્વતંત્રતા દિવસના સમારોહમાં હાજરી આપશે. જેમાં ભરૂચ જિલ્લાના અખોડ ગામના સરપંચ નરેન્દ્ર સોલંકી ને સ્વતંત્રતા દિવસના સમારોહમાં ડીડી ડબલ્યુ ખાસ મહેમાન તરીકે હાજરી આપવામાં માટે આમંત્રણ આપ્યું છે. જે દિલ્હી લાલ કિલ્લા ખાતે યોજાનાર સ્વતંત્રતા દિવસના સમારોહમાં હાજરી આપશે.
ભરૂચ જિલ્લાનાં વાગરા તાલુકાના અખોડ ગામનાં સરપંચ  નરેન્દ્રસિંહ સોલંકીએ ગામની વિકાસગાથા વર્ણવતા જણાવ્યું હતું કે, અમારા ગામને જિલ્લામાં "મોડેલ વિલેજ ઓફ રૂરલ ડેવલપમેન્ટ" તરીકે ઓળખવામાં આવે છે, અને તેનું કારણ સ્પષ્ટ છે. અખોડ ગામ સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે.ગામના દરેક ઘરમાં ૧૦૦% શૌચાલયની સુવિધા છે, જે સ્વચ્છતા તરફનું પહેલું અને સૌથી મોટું પગલું છે. આ ઉપરાંત, અખોડમાં કચરાનું સંચાલન અનોખી રીતે થાય છે. દરેક ઘરમાંથી કચરો ભેગો કરી તેનું પૂરતું સેગ્રિગેશન કરવામાં આવે છે, જેમાં ભીના અને સૂકા કચરાને અલગ પાડવામાં આવે છે. સૂકા કચરામાંના પ્લાસ્ટિકને રિસાયક્લિંગ માટે વેચી દેવામાં આવે છે, જ્યારે ભીના કચરામાંથી ઉત્તમ ગુણવત્તાનું ખાતર બનાવી ગામના ખેડૂતોને ખેતી માટે મફત વિતરણ કરવામાં આવે છે. આનાથી પર્યાવરણની સુરક્ષા સાથે આર્થિક લાભ પણ થઈ રહ્યો છે.
સાથોસાથ  અખોડ ગામમાં સુયોજિત ગટર વ્યવસ્થા પણ છે. અહીંના ગ્રે-વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટથી પાણીને શુદ્ધ કરીને ખેતી માટે ફરીથી ઉપયોગમાં લેવામાં આવે છે, જે પાણી બચાવવાની દિશામાં એક પ્રેરણાદાયક પગલું છે.વિકાસની આ ગાથા માત્ર ભૌતિક સુવિધાઓ પૂરતી સીમિત નથી. ગામમાં લોકો જાગૃત રહે તે માટે જાહેર સ્થળો પર IEC (Information, Education and Communication) હેઠળ વિવિધ યોજનાકીય માહિતીઓ આપવામાં આવે છે. ભીંતચિત્રો, સૂત્રો અને ભવાઈ જેવા પરંપરાગત માધ્યમોનો ઉપયોગ કરીને ગ્રામજનોને શિક્ષણ અને જાગૃતિ પૂરી પાડવામાં આવે છે.