અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે NH 48 પરથી વિદેશી દારૂ ભરેલ કાર ઝડપી પાડી, રૂ.3.50 લાખનો મુદ્દામાલ જપ્ત

પોલીસે 45 હજારથી વધુનો દારૂ અને 3 લાખની કાર મળી કુલ 3.50 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને ઝાડેશ્વર ગામના દુબઈ ટેકરી ખાતે રહેતો પ્રગ્નેશ કાંતિ વસાવાને ઝડપી પાડ્યો

New Update
  • ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી

  • નેશનલ હાઇવે પરથી દારૂનો જથ્થો ઝડપાયો

  • કારમાં ભરેલો હતો દારૂ

  • રૂ.3.50 લાખનો મુદ્દામાલ જપ્ત

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વર હાઇવે ઉપર મોતાલી ગામની અમરાવતી ખાડીના બ્રિજ પાસેથી સ્વીફ્ટ કારમાં લઇ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો.
ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સુરત બાજુથી ભરૂચ તરફ વિદેશી દારૂનો જથ્થો ભરી સ્વીફ્ટ કાર પસાર થનાર છે.જેવી બાતમીના આધારે પોલીસે અંકલેશ્વર હાઇવે ઉપર મોતાલી ગામની અમરાવતી ખાડીના બ્રિજ પાસે વોચ ગોઠવી હતી.તે દરમિયાન બાતમી વાળી કાર આવતા પોલીસે તેને અટકાવી અંદર તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 36 નંગ બોટલ મળી આવી હતી.
પોલીસે 45 હજારથી વધુનો દારૂ અને 3 લાખની કાર મળી કુલ 3.50 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને ઝાડેશ્વર ગામના દુબઈ ટેકરી ખાતે રહેતો પ્રગ્નેશ કાંતિ વસાવાને ઝડપી પાડ્યો હતો.જેની પોલીસ પૂછપરછ કરતા વિદેશી દારૂનો જથ્થો તેઓના ગામનો બુટલેગર નવીન રણછોડ વસાવાએ કોસંબાના નંદાવ ગામ ખાતે લેવા મોકલ્યો હતો.જ્યાં ચિરાગ નામના ઇસમ પાસેથી જથ્થો લાવ્યો હોવાની કબૂલાત કરી હતી.
Read the Next Article

ભરૂચ: આમોદ ન.પા.માં ભાજપના જ આગેવાન અને કોન્ટ્રાકટરે આત્મવિલોપની ચીમકી ઉચ્ચારી, બાકી પેમેન્ટ માટે ટકાવારી માંગતી હોવાના આક્ષેપ

ભરૂચને આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર એવા ભાજપના જ આગેવાને બાકી પેમેન્ટ બાબતે 15મી ઓગસ્ટના રોજ આત્મવિલોપન કરી લેવાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે

New Update
  • ભરૂચની આમોદ નગરપાલિકાનો વિવાદ

  • કોન્ટ્રાકટરે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી

  • બાકી પેમેન્ટ ન ચૂકવાતા આક્ષેપ

  • શાસકો ટકાવારી માંગતા હોવાના આક્ષેપ

  • પ્રમુખે તમામ આક્ષેપ ફગાવ્યા

ભરૂચ ને આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર એવા ભાજપના જ આગેવાને બાકી પેમેન્ટ બાબતે 15મી ઓગસ્ટના રોજ આત્મવિલોપન કરી લેવાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે સાથે જ નગરપાલિકાના પ્રમુખથી મારી અધિકારીઓ બાકી પેમેન્ટની ચુકવણી માટે ટકાવારી માંગતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે.
ભરૂચની આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર અને ભાજપના જ  રૂ.14.20 લાખનું પેમેન્ટ બાકી હોવા છતાં ચુકવણી ન થતા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો વચ્ચે કોન્ટ્રાક્ટરે 15મી ઓગષ્ટના રોજ નગરપાલિકા પરિસરમાં આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ભાજપના આગેવાન મૈલેશ મોદી લાંબા સમયથી નગરપાલિકામાં  કોન્ટ્રાકટર તરીકે કામ કરે છે.ભાજપના ન આગેવાન અને કોન્ટ્રાક્ટર મૈલેશ મોદીએ જણાવ્યું હતું 31-10-2023 થી 31-10-2024 દરમિયાન કરેલા સ્વભંડોળના વિકાસ કામોના રૂ.13.10 લાખમાંથી રૂ.12.60 લાખ હજુ બાકી છે, સાથે બીજા સ્વભંડોળના કામની રકમ મેળવી કુલ રૂ.14.20 લાખનું પેમેન્ટ આઠ મહિનાથી અટક્યું છે.
તેઓએ આક્ષેપ કર્યો છે કે બાકી પેમેન્ટ માટે નગરપાલિકાના પ્રમુખ, પદાધિકારીઓ અને અધિકારીઓ ટકાવારી માગે છે.તેમના મુજબ ચીફ ઓફિસર 3%, નગરપાલિકા બોડી 7%, હિસાબી શાખા 3% અને એન્જિનિયર 1% કમિશન લે છે. આ રેશિયો તમામ કોન્ટ્રાક્ટરો માટે નક્કી છે અને નફાકારક કામોમાં સીધો હિસ્સો પણ માંગવામાં આવે છે. 
કોન્ટ્રાકટરે કરેલા આક્ષેપ અંગે આમોદ નગરપાલિકાના પ્રમુખ જલ્પાબેન પટેલે જણાવ્યું હતું કે પેમેન્ટ સ્વભંડોળના અભાવે અટક્યું છે કારણ કે નગરપાલિકાની આવક અને વેરા વસૂલાત ઓછી હોવાથી પગાર અને પી.એફ. ચુકવવામાં મુશ્કેલી પડે છે. સ્વભંડોળ પ્રાપ્ત થયા બાદ કોન્ટ્રાક્ટરને ચુકવણી કરી દેવાશે.