અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે ભડકોદ્રા ગામેથી કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

ભરૂચ એલસીબીએ અંકલેશ્વરના ભડકોદરા ગામના ભાથીજી મંદિર ફળિયા પાછળથી વિદેશી દારૂ ભરી કાર સાથે બે ખેપિયાઓને 2.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

author-image
By Connect Gujarat
New Update

ભરૂચ એલસીબીએ અંકલેશ્વરના ભડકોદરા ગામના ભાથીજી મંદિર ફળિયા પાછળથી વિદેશી દારૂ ભરી કાર સાથે બે ખેપિયાઓને 2.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

ભરૂચ એસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાથમી મળી હતી કે કોસમડી તરફથી ભડકોદરા ગામ બાજુ એક ફોરવીલ ગાડી નંબર-જી.જે.19.એ.એફ.253માં વિદેશી દારૂ ભરી બે ઇસમો ભડકોદ્રા ગામમાં બુટલેગરોને વિદેશી દારૂ આપવા આવી રહ્યા છે જેવી બાતમીના આધારે પોલીસે ભડકોદરા ગામના ભાથીજી મંદિર ફળિયા પાછળ વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળી ફોર વહીલ આવતા પોલીસે તેને અટકાવી અંદર તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 396 નંગ બોટલ મળી આવી હતી
પોલીસે 50 હજારનો દારૂ અને 2 લાખની કાર તેમજ બે મોબાઈલ મળી કુલ 2.70 લાખનો મુદ્દામાલ કબજે કરી સુરતના મોટા મિયા માંગરોલના મસ્જિદ ફળિયામાં રહેતો દિવ્યેશ અરવિંદ સોની અને મોહસીન ઇબ્રાહિમ રાવતને ઝડપી પાડ્યો હતો.પોલીસે વિદેશી દારૂ અંગે બંનેની પૂછપરછ કરતા તે જથ્થો મહારાષ્ટ્રના ખાપર ખાતે રહેતો લૂકા નામના ઇસમ પાસેથી લઈ આવી ભડકોદ્રા ગામના અતુલ વસાવા અને હરેશ વસાવાને આપવા આવ્યા હોવાની કબૂલાત કરી હતી.પોલીસે તે ત્રણેય ઇસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
Read the Next Article

ભરૂચ: અષાઢી બીજે 6 સ્થળોએથી નિકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા, પોલીસ ડ્રોન કેમેરાથી રાખશે નજર

અષાઢી બીજ નિમિત્તે ભરૂચ જિલ્લામાં છથી વધુ રથયાત્રા નિકળશે જેને ધ્યાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આવતીકાલે અષાઢી બીજના

New Update

ભરૂચમાં આવતીકાલે કરવામાં આવ્યું આયોજન

6 સ્થળોએથી રથયાત્રાનું આયોજન

પોલીસનો રહેશે ચુસ્ત બંદોબસ્ત

ડ્રોન કેમેરાથી રાખવામાં આવશે નજર

700થી વધુ પોલીસકર્મીઓ રહેશે તૈનાત

અષાઢી બીજ નિમિત્તે ભરૂચ જિલ્લામાં છથી વધુ રથયાત્રા નિકળશે જેને ધ્યાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આવતીકાલે અષાઢી બીજના પાવન દિવસે ભરૂચ જિલ્લાભરમાં વિવિધ સ્થળોએ કુલ 6 રથયાત્રાઓ યોજાવાની છે. ભરૂચ શહેરમાં ત્રણ, અંકલેશ્વરમાં બે તથા ઝઘડિયામાં એક રથયાત્રા યોજાવાની છે. ભક્તિભાવ અને શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે હેતુસર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.ભરૂચ શહેરની અતિ પૌરાણિક ગણાતી દત્ત મંદિરથી ભોઈવાડ સુધીની રથયાત્રાના માર્ગ પર આજે પોલીસ વિભાગ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી. આ ફ્લેગ માર્ચ ફુરજા ચોકથી શરૂ થઈ લાલ બજાર, ચકલા, હાથીખાના બજાર, અને સોનેરીમહલ સુધી યોજાઈ હતી. સમગ્ર ફ્લેગ માર્ચ ડીવાયએસપી  સી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ સંપન્ન થઈ હતી.રથયાત્રા દરમ્યાન પોલીસ બંદોબસ્તમાં 3 ડીવાયએસપી, 8 પીઆઈ, 23 પીએસઆઈ, 456 હેડ કોન્સ્ટેબલ તથા પોલીસ જવાનો સાથે 266 હોમગાર્ડનો સમાવેશ થાય છે. ઉપરાંત ડ્રોન કેમેરાની મદદથી સમગ્ર યાત્રામાર્ગ ઉપર નજર રાખવામાં આવશે.