અંકલેશ્વર: ગડખોલ ગામે જર્જરીત પાણીની ટાંકી 11 જ સેકન્ડમાં થઇ જમીનદોસ્ત, સલામતીના ભાગરૂપે ટાંકી ઉતારી લેવાય

ગડખોલ ગામે જર્જરીત પાણીની ટાંકી સુરક્ષા અને સલામતી સાથે ટાંકીને જમીનદોસ્ત કરવામાં આવી હતી. માત્ર 11 જ સેકન્ડમાં આખે આખી ટાંકી જમીન દોસ્ત થઈ

New Update
gadkhol water tank Collaps
અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામ ખાતે આવેલ પાણીની ટાંકી સલામતીના ભાગરૂપે ઉતારી લેવામાં આવી હતી. માત્ર 11 સેકન્ડમાં પાણીની ટાંકી જમીનદોસ્ત થઈ હતી અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામ ખાતે આરોગ્ય કેન્દ્રની સામે પાણીની ટાંકી આવેલી છે આ પાણીની ટાંકી અત્યંત જર્જરીત થઈ ગઈ હતી.
તાજેતરમાં જ એક યુવાન આ ટાંકીમાં પડી ગયો હતો જેને 12 કલાક બહાર બહાર કાઢવામાં આવ્યો હતો ત્યારે આજરોજ આ ટાંકીને ઉતારી લેવામાં આવી હતી. સુરક્ષા અને સલામતી સાથે ટાંકીને જમીનદોસ્ત કરવામાં આવી હતી. માત્ર 11 જ સેકન્ડમાં આખે આખી ટાંકી જમીન દોસ્ત થઈ હતી.
Read the Next Article

“વિશ્વ રક્તદાન દિવસ”  : જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ અને રમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહા રક્તદાન શિબિર યોજાય...

જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ અને રમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું

New Update
  • આજે સ્વૈચ્છિક રક્તદાતાઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવાનો દિવસ

  • જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ-રમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટનું આયોજન

  • રેડક્રોસ બ્લડ બેન્ક ખાતે મહા રક્તદાન શિબિરનું આયોજન કરાયું

  • રમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 100મી રક્તદાન શિબિર યોજાય

  • મોટી સંખ્યામાં ઉપસ્થિત રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું

ભરૂચમાં જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ અને રમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.

વિશ્વ રક્તદાન દિવસ દુનિયાભરના સ્વૈચ્છિક રક્તદાતાઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે ઉજવવામાં આવે છેત્યારે આજરોજ તા. 14મી જૂન એટલે કેવિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે ભરૂચના સેવાશ્રમ હોસ્પિટલ પરિસરમાં આવેલ રેડક્રોસ બ્લડ બેન્ક ખાતે જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ અને રમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કેરમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ યોજાયેલ 100મી રક્તદાન શિબિર હતી. આ રક્તદાન શિબિરના આયોજન દ્વારા સમાજમાં સકારાત્મક સંદેશ ફેલાયો હતોઅને અનેક લોકોએ પણ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચના મૃણાલ કાપડિયાસેક્રેટરી રશ્મિકાંત મેનગરરમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક રશ્મિકાંત કંસારા સહિત મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.