અંકલેશ્વર : અમરાવતી નદીના પૂરથી જુના કાસીયા ગામના દત્ત ગુપ્તવાસ અને ખેડૂતોની મહામૂલી જમીનનું ધોવાણ..!

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જુના કાશીયા ગામ પાસેથી પસાર થતી અમરાવતી  નદીમાં આવેલા પૂરમાં  જુના કાસીયા ગામના દત્ત ગુપ્તવાસ અને ખેડૂતોની મહામૂલી જમીન ગરકાવ થઈ ગઈ છે.

New Update

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જુના કાશીયા ગામ પાસેથી પસાર થતી અમરાવતી  નદીમાં આવેલા પૂરમાં  જુના કાસીયા ગામના દત્ત ગુપ્તવાસ અને ખેડૂતોની મહામૂલી જમીન ગરકાવ થઈ ગઈ છે.

 ભરૂચ જિલ્લાના નેત્રંગ-વાલિયા અને અંકલેશ્વરમાં પડેલા ધોધમાર વરસાદના પગલે અમરાવતી નદી  ગાંડીતુર બની  હતી. જેમાં પશુ તળાઈ જવા સાથે રોડ પણ ધોવાઈ ગયા હતા. આ વચ્ચે વધુ એક ભયાવહ દ્રશ્યો સામે આવ્યા છે. નર્મદા નદીમાં જ્યાં અમરાવતી નદી વિલીન થાય છેતેવા જુના કાશીયા ગામ નજીકના મુખ પ્રદેશમાં ખેડૂતોની મહામૂલી જમીન અમરાવતીના નીર ભરખી ગયા હતા. એક જ રાતમાં 30થી 50 વીઘા જમીન પાણીમાં મહામુલા પાક સાથે ગરક થઇ ગઈ હતી.

ગત રોજ બનેલી ઘટનામાં દત્ત પરિવાર માટે આસ્થાનું કેન્દ્ર એવા નારેશ્વરના દત્ત અવતારી શ્રી  રંગ અવધૂત બાપજીના ગુપ્ત એકાંત વાસની આંબાવાડી સુધી ધોવાણ પહોંચતા આશ્રમની આંબાવાડીના 7 જેટલા આંબા સાથે 4 વીઘા જેટલી જમીન પાણીમાં ગરક થઇ જવા સાથે અમરાવતીના નીર આશ્રમ તરફ 30 ફૂટ અંદર સુધી ધસી આવ્યા હતા. જેને લઇ આશ્રમ ખાતે રહેતા પૂજક પરિવાર ભારે ચિંતામાં મુકાઈ જવા સાથે ભયભીત બની ઉઠ્યો છે.  ખાસ કરીને નારેશ્વરના દત્ત અવતારી શ્રી રંગ અવધૂત બાપજીના ભક્તોનું આસ્થાનું સ્થાન હોવાથી સરકારી તંત્રના જે તે વિભાગને તાત્કાલિક વરસાદી પાણી તથા અમરાવતી નદીના રેલના પાણીથી વધુ નુકશાન નહીં થાય તે અંગે યોગ્ય પગલાં લેવા દત્ત પરિવારના ભક્તોએ  માંગ કરી છે.

Read the Next Article

અંકલેશ્વર : અંદાડા નજીક ગૌચરણમાં બનેલા RCC રોડ સહિતના ગેરકાયદે દબાણો દૂર કરવા સ્થાનિકોની માંગ...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ નજીક ગૌચરણમાં પાકા રસ્તાઓ સહિતના અન્ય દબાણો દૂર કરવાની માંગ સાથે સ્થાનિકો સહિત માલધારી સમાજએ વિરોધ નોંધાવ્યો હતો.

New Update
  • અંદાડા ગામ નજીક ગૌચરણમાં થયેલા દબાણનો મામલો

  • RCC પાકા રસ્તાઓ સહિતના અન્ય દબાણો ઊભા કરાયા

  • સ્થાનિકો સહિત માલધારી સમાજ દ્વારા વિરોધ નોંધાવાયો

  • ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે સ્થાનિકોએ માંગ કરી

  • નોટીસની અવગણના કરી બિલ્ડરોની મનમાની : સ્થાનિક

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ નજીક ગૌચરણમાં પાકા રસ્તાઓ સહિતના અન્ય દબાણો દૂર કરવાની માંગ સાથે સ્થાનિકો સહિત માલધારી સમાજએ વિરોધ નોંધાવ્યો હતો.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામને નેશનલ હાઈવે સાથે જોડતા માર્ગને અડીને આવેલ ગૌચરણમાં છેલ્લા ઘણા સમયથી પાકા રસ્તાઓ તેમજ અન્ય દબાણો ઉભા કરવામાં આવ્યા છે. અંદાડા ગ્રામ પંચાયત હસ્તકના સરકારી ગૌચરમાં કેટલાંક બિલ્ડરો દ્વારા પોતે બનાવેલ સોસાયટીમાં જવા-આવવા માટેના પાકા RCC રસ્તો બનાવી દેવામાં આવ્યો છે. એટલું જ નહીંબિલ્ડરો દ્વારા કેટલાંક અન્ય પ્રકારના દબાણો ઉભા કરી સરકારી ગૌચારણમાં ગેરકાયદેસર કબજા ટક કરી બેઠા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કેઅંદાડા ગામને નેશનલ હાઈવે સાથે જોડતા માર્ગને અડીને આવેલ ગૌચરણમાં હાલમાં બની રહેલ પાકા RCC રસ્તાના કામને તાત્કાલિક અસરથી રોકી દેવા ગ્રામ પંચાયત દ્વારા નોટીસ આપવામાં આવી હતી. તેમ છતાં નોટીસની અવગણના કરીને બિલ્ડરો દ્વારા કામ ચાલુ રાખવામાં આવ્યું છેત્યારે ગુજરાત સરકારના ગૌચર અધિનિયમ અને જોગવાઈઓને ધ્યાનમાં લઈ અંદાડા ગ્રામ પંચાયતના સત્તા ક્ષેત્રમાં આવેલ ગૌચરમાં બિલ્ડરો દ્વારા જેટલા પણ પાકા RCC રસ્તાઓ સહિત દબાણ કરવામાં આવ્યું છે. જેને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ ઉઠી છે.