અંકલેશ્વર: ભડકોદ્રા ગામે રૂ.26 લાખના ખર્ચે પ્રવેશદ્વારનું નિર્માણ, MLA ઇશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ

ભડકોદ્રા ગામ ખાતે ભરૂચ જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી નિર્માણ પામેલ પ્રવેશદ્વારનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું...

New Update
  • અંકલેશ્વરના ભડકોદ્રા ગામે નિર્માણ

  • પ્રવેશદ્વારનું નિર્માણ કરાયુ

  • રૂ.26 લાખનો કરાયો ખર્ચ

  • ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ

  • આગેવાનો રહ્યા ઉપસ્થિત

Advertisment
અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામ ખાતે ભરૂચ જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી નિર્માણ પામેલ પ્રવેશદ્વારનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું
છેવાડાના વિસ્તારોમાં પણ વિકાસ થાય તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવે છે ત્યારે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતને અડીને આવેલ ભડકોડ્રા ગામમાં ભરૂચ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ આરતીબહેન પટેલની ગ્રાન્ટમાંથી રૂપિયા 26 લાખના ખર્ચે પ્રવેશ દ્વારનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનો આજરોજ લોકાર્પણ સમારોહ યોજાયો હતો.
અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે પ્રવેશદ્વારનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ આરતીબેન પટેલ, અંકલેશ્વર તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પા પટેલ, કારોબારી અધ્યક્ષ મીનાક્ષી પટેલ,અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડીયા, અંકલેશ્વર નોટીફાઇડ એરિયા ભાજપના પ્રમુખ જય તેરૈયા સહિતના આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Advertisment
ભડકોદ્રા ગામમાં રૂપિયા 97 લાખના ખર્ચે ગટર લાઈ તેમજ રૂપિયા બે કરોડના ખર્ચે આરસીસી રોડ અને પેવર બ્લોકની કામગીરી ચાલી રહી છે જેનું આવનારા દિવસોમાં લોકાર્પણ કરવામાં આવશે.આ સાથે જ નજીકમાં આવેલ કાપોદ્રા ગામમાં લોકોની અવરજવર માટે રૂ.1.40 કરોડમાં ખર્ચે બનાવવામાં આવેલ બ્રિજનું પણ લોકાર્પણ કરાયુ હતું.
Advertisment
Read the Next Article

ભરૂચ: મનરેગા કૌભાંડમાં હાંસોટના 4 ગામોમાં પોલીસની તપાસ, પંચકેસ સહિતની પ્રક્રિયા પૂર્ણ કરાય

ભરૂચમાં પણ મનરેગા કૌભાંડ બહાર આવ્યું છે.જેમાં બે એજન્સીએ મળી 11 ગામોમાં મનરેગા હેઠળ થયેલા કામોમાં ગેરરીતિ આચરી રૂપિયા 19.64 લાખ સરકાર પાસે વસૂલ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાય 

New Update
  • ભરૂચમાં બહાર આવ્યું મનરેગા કૌભાંડ

  • 3 તાલુકાના ગામોમાં કૌભાંડ આચરાયું

  • પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

  • ગામોમાં પંચકેસ સહિતની પ્રક્રિયા શરૂ કરાય

  • 9 પોલીસકર્મીઓનો તપાસ ટીમમાં સમાવે સમાવેશ થાય છે 

Advertisment

 

ભરૂચ જિલ્લામાં બહાર આવેલ મનરેગા કૌભાંડમાં પોલીસની ટીમ દ્વારા આજરોજ હાંસોટ તાલુકાના 4 ગામોમાં તપાસ કરી પંચકેસ સહિતની કાર્યવાહી કરી હતી ભરૂચમાં પણ મનરેગા કૌભાંડ બહાર આવ્યું છે.જેમાં બે એજન્સીએ મળી 11 ગામોમાં મનરેગા હેઠળ થયેલા કામોમાં ગેરરીતિ આચરી રૂપિયા 19.64 લાખ સરકાર પાસે વસૂલ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાય  હતી.આ બે એજન્સીઓમાં વેરાવળની જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એજન્સીનો સમાવેશ થાય છે. આ મામલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ભરૂચ જિલ્લા પોલીસવડા મયુર ચાવડા દ્વારા સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી છે. જેમાં 3 અધિકારીઓ અને 6 પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે. આ અંગે તપાસ અધિકારી આર.એમ.વસાવાએ જણાવ્યુ હતું કે ટીમ દ્વારા આજરોજ હાંસોટ તાલુકાના સમલી, કંટીયાજાળ, બોલાવ અને સુણેવખુદ ગામમાં તપાસ કરવામાં આવી હતી.પોલીસકર્મીઓ દ્વારા પંચકેસ સહિતની કાર્યવાહી કરવામાં આવી છે.ભરૂચ જિલ્લાના કુલ 56 ગામોમાં 7.30 કરોડનું કૌભાંડ આચરાયુ હોવાની આશંકા પોલીસ ફરિયાદમાં વ્યક્ત કરવામાં આવી છે જેમાં હાંસોટ તાલુકાના સૌથી વધુ ગામોનો સમાવેશ થાય છે.

Advertisment