અંકલેશ્વર: હાંસોટ પંથકના ખેડૂતોએ અખાત્રીજ નિમિત્તે કર્યું પૂજન અર્ચન, સારી ઉપજની આશા

ખેતીમાં સારી ઉપજ આવે તે માટે અન્નની પૂજા અને ભૂમિપૂજન કર્યુ હતું. અખાત્રીજના આ દિવસથી ૠતુ પરિવર્તન થાય છે તેથી આ દિવસથી ખેડૂતો ખેતીનો પ્રારંભ કરે છે.બીજી માન્યતા અનુસાર માતા અન્નપૂર્ણાનો જન્મ પણ આ દિવસે થયો હતો

New Update
  • આજે અખાત્રીજનું પર્વ

  • અખાત્રીજનું શાસ્ત્રોમાં અનેરું મહત્વ

  • ખેડૂતોએ કર્યું ભૂમી પૂજન

  • સારી ઉપજ માટે પૂજન અર્ચન કર્યું

  • ખેતઓજારોનું પૂજન કરાયુ

અંકલેશ્વર હાસોટ પંથકના ખેડૂતોએ આજરોજ અખાત્રીજના પર્વ નિમિત્તે ભૂમિ પૂજન કર્યું હતું અને સમગ્ર વર્ષ દરમિયાન સારી ઉપજ રહે તેવી કામના કરી હતી અંકલેશ્વર હાંસોટ પંથકના ખેડૂતોએ અખાત્રીજના દિવસે ભૂમિપૂજન કર્યું હતું.ખેતરમાં દીવો કર્યા બાદ શ્રી ફળ વધેરી પૂજન અર્ચન કરવામાં આવ્યુ હતું. આ સાથે જ બળદ,હળ સહિત ખેતીના સાધનોનું પણ પૂજન કરી ખેતીનું મુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ખેતીમાં સારી ઉપજ આવે તે માટે અન્નની પૂજા અને ભૂમિપૂજન કર્યુ હતું. અખાત્રીજના આ દિવસથી ૠતુ પરિવર્તન થાય છે તેથી આ દિવસથી ખેડૂતો ખેતીનો પ્રારંભ કરે છે.બીજી માન્યતા અનુસાર માતા અન્નપૂર્ણાનો જન્મ પણ આ દિવસે થયો હતો. તેથી એવું માનવામાં આવે છે કે અક્ષય તૃતીયાના દિવસે રસોડા અને અનાજની પૂજા કરવાની સાથે ભૂખ્યાને ભોજન અવશ્ય આપવું જોઈએ.
આ દિવસે ભગવાન કૃષ્ણએ પાંડવોને તેમના વનવાસ દરમિયાન 'અક્ષય પત્ર' અર્પણ કર્યું હતું. અક્ષય પત્ર ક્યારેય ખાલી નથી હોતું. તે હંમેશા ભોજનથી ભરેલું હોય છે, જેમાંથી પાંડવોને ભોજન મળતું હતું. અનાજના ભંડારો હંમેશા ભર્યા રહે તે માટે ખેડૂતો દ્વારા અખાત્રીજના દિવસે વિશેષ પૂજન અર્ચન કરવામાં આવે છે
Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.