અંકલેશ્વર: ગોયાબજારમાં આવેલ સરકારી શાળામાં ગેસ સિલિન્ડર લીક થતા આગ, 190 વિદ્યાર્થીઓને અન્ય સ્થળે ખસેડાયા

અંકલેશ્વર શહેરમાં આવેલા ગોયા બજાર સ્થિત મુખ્ય શાળા નંબર એકમાં આજરોજ બપોરના સમયે મધ્યાહન ભોજનની કામગીરી ચાલી રહી હતી આ દરમિયાન ગેસ સિલિન્ડર અચાનક જ લીક થતા આગ ફાટી નીકળી

New Update
  • અંકલેશ્વરમાં મોટી દુર્ઘટના ટળી

  • સરકારી શાળામાં ગેસ સિલિન્ડર લીક થતા આગ

  • ગોયા બજારમાં આવેલી છે શાળા

  • 190 વિદ્યાર્થીઓને અન્ય સ્થળે ખસેડાયા

  • આગ પર કાબુ મેળવાયો

અંકલેશ્વરના ગોયા બજારમાં આવેલી સરકારી શાળામાં મોટી દુર્ઘટના ટળી હતી. શાળામાં મધ્યાહન ભોજનની કામગીરી દરમિયાન ગેસ સિલિન્ડર લીક થતા આગ ફાટી નીકળી હતી.
અંકલેશ્વર શહેરમાં આવેલા ગોયા બજાર સ્થિત મુખ્ય શાળા નંબર એકમાં આજરોજ બપોરના સમયે મધ્યાહન ભોજનની કામગીરી ચાલી રહી હતી આ દરમિયાન ગેસ સિલિન્ડર અચાનક જ લીક થતા આગ ફાટી નીકળી હતી.આગના પગલે દોડધામ મચી જવા પામી હતી. સુરક્ષા અને સલામતીના ભાગરૂપે શાળામાં અભ્યાસ કરતા 190 વિદ્યાર્થીઓને અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ તેમજ શાળાના શિક્ષકોએ ફાયર ઇન્સ્ટિગયૂટરનો ઉપયોગ કરી આગ પર કાબુ મેળવ્યો હતો. જેના પગલે મોટી જાનહાની ટળી હતી આ તરફ અંકલેશ્વર નગર સેવાસદનના ફાયર ફાઈટર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ઉનાળાની કાળજાળ ગરમી વચ્ચે આગ લાગવાના બનાવવામાં વધારો થયો છે ત્યારે ગરમીના પગલે આગ લાગી હોવાનો પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
Read the Next Article

ભરૂચ: અંગારેશ્વર ગામે વાલ્મિકી સમાજના વૃદ્ધને હેરાનગતિ કરાતી હોવાના આક્ષેપ,કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

ભરૂચના વાલ્મિકી સમાજ દ્વારા અંગારેશ્વર ગામે વાલ્મિકી સમાજના વૃદ્ધને કેટલાક શખ્સો હેરાનગતિ કરતા હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

New Update
  • ભરૂચ કલેકટરને પાઠવાયું આવેદનપત્ર

  • વાલ્મિકી સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવાયું

  • વૃદ્ધને હેરાનગતિ કરાતી હોવાના આક્ષેપ

  • વૃદ્ધનું મકાન તોડી પાડી દીકરીને માર મરાયો

ભરૂચના વાલ્મિકી સમાજ દ્વારા અંગારેશ્વર ગામે વાલ્મિકી સમાજના વૃદ્ધને કેટલાક શખ્સો હેરાનગતિ કરતા હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભરૂચના વાલ્મિકી સમાજના આગેવાનો દ્વારા આજરોજ ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતું જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ તાલુકાના અંગારેશ્વર ગામે રહેતા જગદીશ સોલંકીના ઘરે નિકોરા ગામમા રહેતા તોસીફ રાજ, સબ્બીર, મોઈન, સલીમ તથા સરફરાજ સહિતના શખ્સોએ જગદીશભાઈની દિકરી જમાઈને મકાન ખાલી કરી દેવા ધમકી આપી હતી 
ત્યાર બાદ બીજા દિવસે તોસિફ રાજ અને અન્ય શખ્સોએ જેસીબીથી મકાન તોડી પાડી દીકરીને માર માર્યો હતો અને શારીરિક અડપલા પણ કર્યા હોવાના આક્ષેપ કર્યા છે.મકાન અંગેનો મામલો કોર્ટમાં હોવા છતાં માથાભારે ઈસમો દાદાગીરી કરી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે આ સમગ્ર મામલે વાલ્મિકી સમાજ અને વૃદ્ધ દ્વારા ન્યાયની માંગ કરવામાં આવી છે.