અંકલેશ્વર: ગોયાબજારમાં આવેલ સરકારી શાળામાં ગેસ સિલિન્ડર લીક થતા આગ, 190 વિદ્યાર્થીઓને અન્ય સ્થળે ખસેડાયા

અંકલેશ્વર શહેરમાં આવેલા ગોયા બજાર સ્થિત મુખ્ય શાળા નંબર એકમાં આજરોજ બપોરના સમયે મધ્યાહન ભોજનની કામગીરી ચાલી રહી હતી આ દરમિયાન ગેસ સિલિન્ડર અચાનક જ લીક થતા આગ ફાટી નીકળી

New Update
  • અંકલેશ્વરમાં મોટી દુર્ઘટના ટળી

  • સરકારી શાળામાં ગેસ સિલિન્ડર લીક થતા આગ

  • ગોયા બજારમાં આવેલી છે શાળા

  • 190 વિદ્યાર્થીઓને અન્ય સ્થળે ખસેડાયા

  • આગ પર કાબુ મેળવાયો

Advertisment
અંકલેશ્વરના ગોયા બજારમાં આવેલી સરકારી શાળામાં મોટી દુર્ઘટના ટળી હતી. શાળામાં મધ્યાહન ભોજનની કામગીરી દરમિયાન ગેસ સિલિન્ડર લીક થતા આગ ફાટી નીકળી હતી.
અંકલેશ્વર શહેરમાં આવેલા ગોયા બજાર સ્થિત મુખ્ય શાળા નંબર એકમાં આજરોજ બપોરના સમયે મધ્યાહન ભોજનની કામગીરી ચાલી રહી હતી આ દરમિયાન ગેસ સિલિન્ડર અચાનક જ લીક થતા આગ ફાટી નીકળી હતી.આગના પગલે દોડધામ મચી જવા પામી હતી. સુરક્ષા અને સલામતીના ભાગરૂપે શાળામાં અભ્યાસ કરતા 190 વિદ્યાર્થીઓને અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ તેમજ શાળાના શિક્ષકોએ ફાયર ઇન્સ્ટિગયૂટરનો ઉપયોગ કરી આગ પર કાબુ મેળવ્યો હતો. જેના પગલે મોટી જાનહાની ટળી હતી આ તરફ અંકલેશ્વર નગર સેવાસદનના ફાયર ફાઈટર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ઉનાળાની કાળજાળ ગરમી વચ્ચે આગ લાગવાના બનાવવામાં વધારો થયો છે ત્યારે ગરમીના પગલે આગ લાગી હોવાનો પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
Advertisment
Read the Next Article

અંકલેશ્વર જીઆઇડીસી ખાતે ગાના મ્યુઝિક લવર્સ ગૃપ દ્વારા કવિ સંમેલન યોજાશે

અંકલેશ્વર જીઆઇડીસીના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે તારીખ 1લી જૂન રવિવારના રોજ રાત્રે 8 કલાકે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું જેમાં કવિરસનો થાળ પીરસવામાં આવશે.

New Update
gana music lover group

અંકલેશ્વર જીઆઇડીસીના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે તારીખ 1લી જૂન રવિવારના રોજ રાત્રે 8 કલાકે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. અંકલેશ્વરમાં સામાજિક કાર્યક્રમો માટે પ્રયત્નશીલ ગાના મ્યુઝિક લવર્સ ગૃપ દ્વારા દિપ કેમના વિનોદ જાગાણીના આર્થિક સહયોગથી આગામી તારીખ 1લી જૂન રવિવારે રાત્રે 8 કલાકે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

Advertisment

Kavi sammelan

આ પ્રસંગે ગુજરાતી સાહિત્યના મુંબઈના કવિઓ હિતેન આનંદપુરા,મુકેશ જોષી,સુરેશ ઝવેરી,જ્હોની શાહ,અર્ચના શાહ,તેમજ ભરૂચના કિરણ જોગીદાસ,હેમાંગ જોષી દ્વારા કવિરસનો થાળ પીરસવામાં આવશે.

Advertisment