અંકલેશ્વર: NH 48 પર આદર્શ માર્કેટના સ્ક્રેપ ગોડાઉનમાં આગથી અફરાતફરી, ફાઉર વિભાગે આગ પર મેળવ્યો કાબુ !

અંકલેશ્વર નેશનલ હાઇવેને અડીને આવેલ આદર્શ માર્કેટના ગોડાઉનમાં આગ ફાટી નિકળતા દોડધામ મચી જવા પામી હતી.ફાયર ફાયટરોએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.

New Update
scrap godown Fire

અંકલેશ્વરમાં ફરી એકવાર નેશનલ હાઇવેને અડીને આવેલ આદર્શ માર્કેટના ગોડાઉનમાં આગ ફાટી નિકળતા દોડધામ મચી જવા પામી હતી.ફાયર ફાયટરોએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.

Advertisment
અંકલેશ્વર નેશનલ હાઇવેને અડીને આવેલ  સ્ક્રેપ માર્કેટ આગની ઘટનાઓ માટે જાણીતું બન્યું છે.અવારનવાર આગની ઘટનાઓ બનતા સ્થાનિકો પણ દહેશતમાં જીવી રહ્યા છે.તેવામાં આજરોજ આદર્શ માર્કેટના ગોડાઉનમાં આગ ફાટી નિકળી હતી.આગને પગલે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા.આગને કારણે ફાયર વિભાગમાં જાણ કરવામાં આવતા ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા.અને પાણીનો મારો ચલાવી આગ બુજાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.
આ આગની ઘટનામાં કોઈને પણ જાનહાની નહીં થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.અત્રે ઉલ્લેખનીય છેકે થોડા દિવસો પહેલા જ હાઇવેને અડીને આવેલા ગોડાઉનોમાં આગની ઘટના બની હતી.જે આગ સતત ત્રણ દિવસ ચાલી હતી ત્યારે તંત્ર દ્વારા ફાયર સેફટીને લઈ કડક ચેકીંગ કરવામાં આવે એ જરૂરી છે. આજની ઘટનાની જાણ થતા ની સાથે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ ક પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બનાવ સંદર્ભે તપાસ શરૂ કરી હતી.
Advertisment
Read the Next Article

અંકલેશ્વર: કમોસમી વરસાદ સાથે પ્રદૂષણના દ્રશ્યો સામે આવ્યા, રાસાયણિક પાણી ખાડીમાં વહ્યું !

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં સી પમ્પીંગ સ્ટેશન ગેટ અને કેનાલ ઓવરફલો થતા રાસાયણિક પાણી અમરાવતી નદી અને છાપરા ખાડીમાં વહી ગયું જીપીસીબી દ્વારા નમૂના લેવામાં આવ્યા

New Update
  • અંકલેશ્વરમાં કમોસમી વરસાદ

  • કમોસમી વરસાદ સાથે પ્રદૂષણના દ્રશ્યો

  • પ્રદુષિત પાણી ઓવરફ્લો થયું

  • લાખો લીટર પાણી ખાડીમાં વહ્યું

  • જીપીસીબી દ્વારા નમૂના લેવામાં આવ્યા

Advertisment
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં સી પમ્પીંગ સ્ટેશન ગેટ અને કેનાલ ઓવરફલો થતા રાસાયણિક પાણી અમરાવતી નદી અને છાપરા ખાડીમાં વહી ગયું હતું. હજુ ચોમાસુ બેઠું નથી એ પૂર્વે જ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વરસાદી પાણી સાથે રાસાયણિક પાણી વિપુલ માત્રામાં વહી ગયું હતું.10 દિવસમાં બીજી વાર પડેલા માવઠામાં પ્રથમ માવઠામાં અમરાવતી નદીમાં માછલાંના મોત થયા હતા અને હવે બીજા માવઠામાં જળ સંપદા અને જમીન સંપદાને વ્યાપક નુકશાન થવાના દ્રશ્યો સામે આવ્યા છે.
ખાસ કરીને સી પમ્પીંગ સ્ટેશન પાસે નોટીફાઈડ વિભાગ દ્વારા બનાવેલ પાળો અને તેની નજીક મુકેલ ગેટ પર ઓવરફ્લો થઇને ઔદ્યોગિક વસાહતનું રાસાયણિક પાણી ખાડીમાં ધોધ સ્વરૂપે વહી રહ્યું હતું.આ અંગે જીવદયા પ્રેમીઓ જીપીસીબીને જાણ કરતા અધિકારીઓએ ત્વરિત અસરથી સ્થળ પર દોડી આવ્યા હતા અને સેમ્પલ લીધા હતા તેમજ નોટીફાઈડ વિભાગના અધિકારીઓ અને ઉદ્યોગ મંડળને પ્રિ મોન્સૂન કામગીરી અંતર્ગત પાળો ઉંચો કરવા તાકીદ કરવામાં આવી હતી. 
Advertisment