અંકલેશ્વર: NH 48 પર આદર્શ માર્કેટના સ્ક્રેપ ગોડાઉનમાં આગથી અફરાતફરી, ફાઉર વિભાગે આગ પર મેળવ્યો કાબુ !

અંકલેશ્વર નેશનલ હાઇવેને અડીને આવેલ આદર્શ માર્કેટના ગોડાઉનમાં આગ ફાટી નિકળતા દોડધામ મચી જવા પામી હતી.ફાયર ફાયટરોએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.

New Update
scrap godown Fire

અંકલેશ્વરમાં ફરી એકવાર નેશનલ હાઇવેને અડીને આવેલ આદર્શ માર્કેટના ગોડાઉનમાં આગ ફાટી નિકળતા દોડધામ મચી જવા પામી હતી.ફાયર ફાયટરોએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.

અંકલેશ્વર નેશનલ હાઇવેને અડીને આવેલ  સ્ક્રેપ માર્કેટ આગની ઘટનાઓ માટે જાણીતું બન્યું છે.અવારનવાર આગની ઘટનાઓ બનતા સ્થાનિકો પણ દહેશતમાં જીવી રહ્યા છે.તેવામાં આજરોજ આદર્શ માર્કેટના ગોડાઉનમાં આગ ફાટી નિકળી હતી.આગને પગલે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા.આગને કારણે ફાયર વિભાગમાં જાણ કરવામાં આવતા ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા.અને પાણીનો મારો ચલાવી આગ બુજાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.
આ આગની ઘટનામાં કોઈને પણ જાનહાની નહીં થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.અત્રે ઉલ્લેખનીય છેકે થોડા દિવસો પહેલા જ હાઇવેને અડીને આવેલા ગોડાઉનોમાં આગની ઘટના બની હતી.જે આગ સતત ત્રણ દિવસ ચાલી હતી ત્યારે તંત્ર દ્વારા ફાયર સેફટીને લઈ કડક ચેકીંગ કરવામાં આવે એ જરૂરી છે. આજની ઘટનાની જાણ થતા ની સાથે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ ક પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બનાવ સંદર્ભે તપાસ શરૂ કરી હતી.
Read the Next Article

અંકલેશ્વર: NH 48 પર ટ્રાફિકજામની રોજિંદી સમસ્યા, બિસ્માર માર્ગોના પગલે સમસ્યા

અંકલેશ્વર નેશનલ હાઇવે પર  આમલાખાડી પરના બિસ્માર બ્રિજ અને હાઇવેનો માર્ગ ખખડધજ બનતા સતત ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. અંકલેશ્વર નેશનલ હાઇવે

New Update
MixCollage-09-Jul-2025-08-21-PM-8778

અંકલેશ્વર નેશનલ હાઇવે પર  આમલાખાડી પરના બિસ્માર બ્રિજ અને હાઇવેનો માર્ગ ખખડધજ બનતા સતત ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ આમલાખાડી પરનો બ્રિજ છેલ્લા ઘણા સમયથી બિસ્માર બન્યો છે.બીજી તરફ ચોમાસુ જામતા જ હાઇવે પર ખાડાઓની ભરમાર છે.તેવામાં રોજેરોજ ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થતા વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે.વાહનોનું ભારણ અને બ્રિજ જર્જરિત,રસ્તા પર ખાડાઓ પડતા વાહન ચાલકો પોતાનો કિંમતી સમય સાથે ઇંધણ બગાડી રહ્યા છે.દિવસે દિવસે માથાના દુખાવા સમાન બનેલ આ ટ્રાફિકની સમસ્યા હલ કરવામાં આવે તે જરૂરી છે.તંત્ર યોગ્ય નિરાકરણ લાવે એવી વાહનચાલકો માંગ કરી રહ્યા છે