અંકલેશ્વર: GIDCમાં ભર બપોરે ધુમ્મસનું આવરણ જોવા મળ્યું, હવા પ્રદૂષણના કારણે સ્થિતિ સર્જાય હોવાનું અનુમાન

ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું.જીઆઇડીસીના જીતાલી- સારંગપુર વિસ્તારમાં હવા પ્રદુષણના કારણે ધુમ્મસની ચાદર પથરાઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

author-image
By Connect Gujarat Desk
New Update
Ankleshwar Air Pollution
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આજરોજ ભર બપોરના સમયે ધુમ્મસની ચાદર જોવા મળી હતી હવા પ્રદુષણના કારણે ધુમ્મસનું આવરણ છવાયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

દિલ્હીની જેમ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતનું પ્રદૂષણ પણ બેકાબૂ થઈ રહ્યું હોવાના દ્રશ્યો નજરે પડી રહ્યા છે.આજરોજ ભર બપોરના સમયે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું.જીઆઇડીસીના જીતાલી- સારંગપુર વિસ્તારમાં હવા પ્રદુષણના કારણે ધુમ્મસની ચાદર પથરાઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

અંકલેશ્વર નોટિફાઇડ એરીયા ઓથોરીટી દ્વારા અંકલેશ્વરમાં હવાની ગુણવત્તા ન બગડે તે માટે છેલ્લા કેટલાક દિવસોથી વોટર સ્પ્રિંકલ દ્વારા પાણીનો છંટકાવ  કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે ભર બપોરના સમયે ધુમ્મસનું આવરણ છવાયું હતું.

કોઈક બે જવાબદાર ઉદ્યોગ દ્વારા તેમના ઉદ્યોગમાંથી ગેસ છોડવામાં આવ્યો હોવાની પણ આ શંકા સેવાય રહી છે ત્યારે આ બાબતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તપાસ કરી જરૂરી કાર્યવાહી કરે તેવી લોકોમાં માંગ ઉઠી છે. આ તરફ અંકલેશ્વર જીઆઇડીસીનો AQI એટલે કે એરક્વોલિટી ઇન્ડેક્ષ સામાન્ય શ્રેણીમાં નોંધાયો હતો.જોકે પ્રદૂષણના મામલે અંકલેશ્વર જીઆઇડીસી વારંવાર વિવાદમાં સપડાતી જોવા મળે છે.

Read the Next Article

ભરૂચ: રથયાત્રાના પર્વને અનુલક્ષી પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરાયુ

ભરૂચમાં અષાઢી બીજ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે.જેના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update

ભરૂચમાં નિકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા

અષાઢી બીજના રોજ રથયાત્રાનું આયોજન

પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવાશે

એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજાય

ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ જોડાયા

ભરૂચમાં અષાઢી બીજ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે.જેના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચમાં અષાઢી બીજ નિમિત્તે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે ત્યારે રથયાત્રાના ઉત્સવ પ્રસંગે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્રએ કમરકસી છે. જેના ભાગરૂપે ભરૂચ શહેર એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફ્લેગમાર્ચ શહેરના ફુરજા વિસ્તારમાં આવેલ જગન્નાથ મંદિરેથી નીકળી રવિવારી બજાર, સોની ફળિયુ, લાલ બજાર, લલ્લુભાઈ ચકલાથી હાથીખાના બજાર થઈ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી જેમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ જોડાયા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ હાજરી આપી શહેરીજનોને સુરક્ષા અને શાંતિનો અનુભવ કરાવ્યો હતો.