અંકલેશ્વર: ગાના મ્યુઝિક લવર્સ ક્લબ દ્વારા કાવ્યોત્સવનો કાર્યક્રમ યોજાયો, કવિતાઓનો પીરસાયો રસથાળ

અંકલેશ્વર જીઆઇડીસીમાં કાર્યરત ગાના મ્યુઝિક લવર્સ ક્લબ દ્વારા જીઆઇડીસીમાં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે કાવ્યોત્સવ નામનો કાર્યક્રમ યોજાયો હતો

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • ગાના મ્યુઝિક લવર્સ ક્લબ દ્વારા આયોજન

  • કાવ્યોત્સવ નામક કાર્યક્રમ યોજાયો

  • કવિતાઓનો રસથાળ પીરસાયો

  • કાવ્યરસિકોએ કાર્યક્રમ માણ્યો

અંકલેશ્વરના ગાના મ્યુઝિક લવર ક્લબ દ્વારા કાવ્યોત્સવ નામનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં કવિતાઓનો રસથાર પીસાયો હતો.
અંકલેશ્વર જીઆઇડીસીમાં કાર્યરત ગાના મ્યુઝિક લવર્સ ક્લબ દ્વારા જીઆઇડીસીમાં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે કાવ્યોત્સવ નામનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં જાણીતા કવિઓ મુકેશ જોશી, હિતેન આનંદપરા, સુરેશ ઝવેરી, અર્ચના શાહ,હેમાંગ જોશી અને કિરણ જોગીદાસ રોશન દ્વારા કવિતાઓનો રસથાળ પીરસવામાં આવ્યો હતો.દીપ કેમિકલ કંપનીના વિનોદ જાગાણીનો આ કાર્યક્રમમાં આર્થિક સહયોગ સાંપડ્યો હતો આ કાર્યક્રમને કાવ્ય રસિકોએ માણ્યો હતો.
Read the Next Article

અંકલેશ્વરથી વાલિયા-નેત્રંગને જોડતા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, કોંગ્રેસે આંદોલનની ચીમકી ઉચ્ચારી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.

New Update
  • અંકલેશ્વરથી નેત્રંગને જોડતા માર્ગની કામગીરી

  • રૂ.55 કરોડના ખર્ચે માર્ગનું થઈ રહ્યું છે નિર્માણ

  • માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ

  • કોંગ્રેસ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચરાય

  • કોર્ટ કેસની પણ ચીમકી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.
ભરૂચના વાલિયા તાલુકાના સહકારી આગેવાન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપસિંહ માંગરોલા બાદ નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરી અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મિલી ભગતથી હલકી ગુણવત્તાની કરવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.અંકલેશ્વર-વાલિયા અને નેત્રંગને જોડતો રાજ્ય ધોરીમાર્ગ નંબર-13 પ્રથમ વરસાદે જ બિસ્માર બન્યો છે.ઠેરઠેર ખાડાઓ અને માર્ગ તૂટી ગયો હોવાથી તેમાં યોગ્ય સામગ્રી વાપરવા નહીં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડ સામે આવ્યું છે.તે રીતે 55 કરોડના ખર્ચે બની રહેલ નેત્રંગ-અંકલેશ્વર માર્ગમાં ભ્રષ્ટાચાર થયો હોવા સાથે અધિકારી,કોન્ટ્રાકટર સહિત લાગતા વળતા વિભાગના મંત્રીનો હાથ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.જો આ કામગીરી સારી ગુણવત્તાની નહીં કરવામાં આવે તો તાળાબંધીની ચીમકી ઉચ્ચારવામા આવી છે.અને  માર્ગનું નિર્માણ કરનાર શિવાલય ઈંફાસ્ટ્રક્ચર એજન્સી તેમજ અધિકારી સામે કોર્ટ કેસ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામા આવી છે.