અંકલેશ્વર: GIDC પોલીસે ડેટોક્ષ કંપની નજીક ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 6 જુગારીની કરી ધરપકડ

ખુલ્લી જગ્યામાં ઝાડીઓમાં જુગારધામ ચાલી રહ્યું છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડી સ્થળ પરથી રોકડા મળી કુલ 6 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો

New Update
gambling accused arest
અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે ડેટોક્ષ કંપનીની સામે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 6 જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ડેટોક્ષ કંપનીની સામે ખુલ્લી જગ્યામાં ઝાડીઓમાં જુગારધામ ચાલી રહ્યું છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.
પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ 6 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને બાપુનગર ઓવર બ્રિજ પાસે રહેતો જુગારી સોયેબ ઉર્ફ ભુરો યુસુફ નવાબ,વસીમ મોહમંદ અલી સૈયદ,બશીર રહેમાન શેખ,મોહમંદ યુસુફ નાયબ અને ગુલામ મુસ્તુફા મલેક તેમજ રાજેશ શિવ પ્રસાદ ઠાકુરને ઝડપી પાડ્યો હતો.
Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories