અંકલેશ્વર: ભરણ ગામે ઘરની બહાર સુતેલા પરિવારના મકાનમાંથી સોના-ચાંદીના ઘરેણા મળી રૂ.17 લાખના માલમત્તાની ચોરી !

અંકલેશ્વર તાલુકાના ભરણ ગામના સુથાર ફળિયામાં તસ્કરોએ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણાં તેમજ રોકડા મળી કુલ 17.56 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા

New Update
  • અંકલેશ્વરના ભરણ ગામનો બનાવ

  • મકાનમાંથી સોના-ચાંદીના દાગીનાની ચોરી

  • પરિવાર ઘરની બહાર સૂતો હતો અને તસ્કરો ત્રાટકયા

  • રૂ.17 લાખથી વધુના મુદ્દામાલની ચોરી

  • પાનોલી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ

Advertisment
અંકલેશ્વર તાલુકાના ભરણ ગામના સુથાર ફળિયામાં તસ્કરોએ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણાં તેમજ રોકડા મળી કુલ 17.56 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા
અંકલેશ્વર તાલુકાના ભરણ ગામના સુથાર ફળિયામાં રહેતી ભારતીબેન ભાવેશ પટેલ  પોતાના પરિવાર સાથે ઘરના દરવાજાને બંધ કરી મમઓટલા ઉપર સુઈ ગયા હતા તે દરમિયાન તસ્કરો ત્રાટકી ઘરનો દરવાજો  ખોલી અંદર પ્રવેશ કર્યો હતો અને સોના-ચાંદીના ઘરેણાં તેમજ રોકડા 1.62 લાખ મળી કુલ 17.56 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા 
તસ્કરો એ પ્રમાણે સમાન વેર વિખેર કર્યા વગર ચોરી કરી હતી કે પરિવાર ને સવારે ઉઠ્યા બાદ પણ ચોરીની ખબર ના પડી હતી. સવારે 8 વાગ્યા બાદ વિવિધ રૂમમાં સફાઈ કરતી વેળા દાગીના બોક્સ કબાટ નીચેથી મળતા ચોરી થઈ હોવાનું માલુમ પડયું હતું. એ પહેલા પરિવારના સભ્યો એ 2 થી 3 વાર તિજોરી ખોલી હોવા છતાં ચોરી થઈ હોવાનો અહેસાસ થયો ન હતો.સવારે સફાઈ દરમ્યાન કબાટ નીચેથી ઘરેણાના ખાલી બોક્સ મળ્યા હતા જે બાદ ચોરી અંગેની જાણ થતા તેઓએ પોલીસને જાણ કરી હતી. બનાવની સાથે જ પાનોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે.
Advertisment
Latest Stories