અંકલેશ્વર: રાજપીપળા ચોકડી નજીક અકસ્માતમાં GRD જવાનનું મોત, ટ્રકચાલકે બાઈકને મારી હતી ટક્કર

અંકલેશ્વર ગ્રામરક્ષક દળમાં ફરજ બજાવતા જવાન ગોવિંદ વસાવા આજરોજ તેમની બાઇક પર ફરજ પર જઈ રહ્યા હતા તે દરમિયાન રાજપીપળા ચોકડી નજીક બેફામ રીતે દોડતા ટ્રકના ચાલકે બાઈકને ટક્કર મારી હતી

New Update
  • અંકલેશ્વરમાં બન્યો બનાવ

  • રાજપીપળા ચોકડી નજીક સર્જાયો અકસ્માત

  • ટ્રકચાલકે બાઇકને મારી ટક્કર

  • બાઈક સવાર જી.આર.ડી.જવાનનું મોત

  • અન્ય એક મહિલાને ઇજા

અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક બાઇક સવાર ગ્રામ રક્ષક દળના જવાનને ટ્રક ચાલકે ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં જી.આર.ડી.જવાનનું મોત નિપજ્યું હતું.
અંકલેશ્વર ગ્રામરક્ષક દળમાં ફરજ બજાવતા જવાન ગોવિંદ વસાવા આજરોજ તેમની બાઇક પર ફરજ પર જઈ રહ્યા હતા તે દરમિયાન રાજપીપળા ચોકડી નજીક બેફામ રીતે દોડતા ટ્રકના ચાલકે બાઈકને ટક્કર મારી હતી જેમાં સર્જાયેલા માર્ગ અકસ્માતમાં જીઆરડી જવાનનું મોત નિપજ્યું હતું જ્યારે બાઈક સવાર અન્ય મહિલા હીરાબેન પરમારને ઈજા પહોંચતા તેમને પ્રથમ અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર અર્થે  સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ટ્રકમાં કેમિકલ વેસ્ટ ભરેલુ હોવાનું સામે આવ્યું છે ત્યારે પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read the Next Article

ભરૂચ જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહ યોજાયો...

ભરૂચ જિલ્લાના પંચાયત સભાખંડ ખાતે જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • જિલ્લા પંચાયત સભાખંડ ખાતે યોજાયો વિશેષ કાર્યક્રમ

  • જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા આયોજન

  • નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહનું આયોજન કરાયું

  • ડ્રાઇવર એસોસિએશનના અધ્યક્ષ રહ્યા વિશેષ ઉપસ્થિત

  • સરકાર સમક્ષ ડ્રાઇવર વર્ગની સમસ્યા રજૂ કરવાનો ઉદ્દેશ્ય

ભરૂચ જિલ્લાના પંચાયત સભાખંડ ખાતે જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લાના પંચાયત સભાખંડમાં જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં અવસાન પામેલા ડ્રાઇવરોના સ્મરણાર્થે 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. ત્યારબાદ ભરૂચ જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશનના અધ્યક્ષ કનુ વાળંદ અને ભુપેન્દ્ર પરમારની આગેવાની હેઠળ નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહ યોજાયો હતો. આ સાથે જ ડ્રાઇવર કેડરના ઘટતા પ્રમાણ અને તેની પરિસ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

આ પ્રસંગે મુખ્ય અતિથિ બેચર રાઠોડે જણાવ્યું હતું કે, “નિવૃત થયેલા ડ્રાઇવરોને સરકાર તરફથી મળતી રિટાયરમેન્ટ સ્કીમના તમામ હકો સમયસર અને યોગ્ય રીતે મળી રહે તે જરૂરી છે. જેથી તેમનું જીવન સુખમય બની રહે.” આ કાર્યક્રમનો ઉદ્દેશ માત્ર સન્માન નથી. પરંતુ રાજ્ય સરકાર અને તંત્ર સમક્ષ ડ્રાઇવર વર્ગની જરૂરિયાતો અને સમસ્યાઓ રજૂ કરવાનો પણ હતો.