અંકલેશ્વર: GIDCની ગોલ્ડન ચોકડી નજીક ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ સર્જાતા દોડધામ

અંકલેશ્વર જી.આઇ.ડી.સી.ની ગોલ્ડન ચોકડી નજીક વીજ કંપનીની કામગીરી દરમિયાન ગુજરાત ગેસની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું. જેને પગલે નાસભાગ મચી જવા પામી

New Update
  • અંકલેશ્વર જીઆઈડીસીમાં બન્યો બનાવ

  • ગુજરાત ગેસની લાઈનમાં ભંગાણ

  • વીજ કંપનીની કામગીરી દરમ્યાન ભંગાણ 

  • સદનસીબે આગ ન ફાટી નીકળી

  • સમારકામ હાથ ધરાયુ

અંકલેશ્વર જી.આઇ.ડી.સી.ની ગોલ્ડન ચોકડી નજીક વીજ કંપનીની કામગીરી દરમિયાન ગુજરાત ગેસની લાઈનમાં ભંગાણ સર્જાતા નાસભાગ મચી જવા પામી હતી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વારંવાર દક્ષિણ ગુજરાત વીજ કંપનીની અન્ડર લાઈનની કામગીરી દરમિયાન ગેસ લાઈનમાં ભંગાણ સર્જાઈ રહ્યું છે.ત્યારે આજરોજ ફરી અંકલેશ્વર જી.આઇ.ડી.સી.ની ગોલ્ડન ચોકડી નજીક વીજ કંપનીની કામગીરી દરમિયાન ગુજરાત ગેસની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું.
જેને પગલે નાસભાગ મચી જવા પામી હતી.આ અંગે ગેસ કંપની અને ડીપીએમસી ફાયર વિભાગમાં જાણ કરવામાં આવતા લાશ્કરો સ્થળ પર દોડી આવ્યા હતા.અને ગેસ પુરવઠો બંધ કરવાની કામગીરી હાથ ધરી હતી આ ઘટનામાં કોઈને પણ જાનહાની નહિ થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત તારીખ-૨૨મી જાન્યુઆરીના રોજ ચાણક્ય વિદ્યાલય નજીક વીજ કંપની દ્વારા ઇલેક્ટ્રીકેશનની કામગીરી દરમિયાન ગેસની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું.જે ઘટનામાં બાળક સહીત બે લોકો દાઝી ગયા હતા ત્યારે અંકલેશ્વર જીઆઇડીસીમાં વીજ કંપની દ્વારા કરાતા ખોદકામના કારણે વારંવાર ગુજરાત ગેસની લાઈનમાં ભંગાણ સર્જાય છે અને આગના બનાવો બને છે ત્યારે આ કામગીરી દરમિયાન તકેદારી રાખવામાં આવે તે અત્યંત જરૂરી છે.
Read the Next Article

ભરૂચ: નેત્રંગના ધાંણીખુટ પાસે કરજણ નદી પર બનાવાયેલ બ્રિજ જર્જરીત હાલતમાં, તાત્કાલિક સમારકામની માંગ

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે. ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા

New Update
MixCollage-12-Jul-2025-

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે.

ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર નેત્રંગ તાલુકાના ધાંણીખુટ ગામ પાસેથી વહેતી કરજણ નદી પર વર્ષો જુનો નિમાઁણ થયેલ બ્રિજ પણ જજઁરીત હાલતમાં થઈ ગયો છે.
આ બ્રિજ ભરૂચ અને નર્મદા તેમજ મહારાષ્ટ્ર રાજ્યને જોડતો  બ્રિજ છે. હાલ આ બ્રિજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના તાબા હેઠળ છે. અંકલેશ્વર,ભરૂચ, વડોદરા અને દહેજ જીઆઇડીસીના ઔદ્યોગિક એકમોમાં બનતી ભારેખમ મશીનરીઓ  મોટા વાહનો મારફત મહારાષ્ટ્ર થઈ અન્ય રાજ્યોમાં જાય છે.બાકી અન્ય ભારદારી વાહનો પણ રોજેરોજ આ બ્રિજ પરથી પસાર થઇ રહ્યા છે. તેવા સંજોગો ગંભીરા બ્રિજની બનેલ દુર્ઘટના બાદ સ્થાનિક રહીશોમાં આ બ્રિજની જજઁરીત હાલત જોઈ ને ભય સતાવી રહ્યો છે તેવા સંજોગોમાં જીલ્લા કલેક્ટર તેમજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના અધિકારીઓ આ બ્રિજની તાત્કાલિક તપાસ હાથ ધરે તેમજ બ્રિજ આજુબાજુ તુટી ગયેલ રેલીંગની મરામત કરે એવી માંગ ઉઠી છે.