અંકલેશ્વર: GIDCની ગોલ્ડન ચોકડી નજીક ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ સર્જાતા દોડધામ

અંકલેશ્વર જી.આઇ.ડી.સી.ની ગોલ્ડન ચોકડી નજીક વીજ કંપનીની કામગીરી દરમિયાન ગુજરાત ગેસની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું. જેને પગલે નાસભાગ મચી જવા પામી

New Update
  • અંકલેશ્વર જીઆઈડીસીમાં બન્યો બનાવ

  • ગુજરાત ગેસની લાઈનમાં ભંગાણ

  • વીજ કંપનીની કામગીરી દરમ્યાન ભંગાણ 

  • સદનસીબે આગ ન ફાટી નીકળી

  • સમારકામ હાથ ધરાયુ

અંકલેશ્વર જી.આઇ.ડી.સી.ની ગોલ્ડન ચોકડી નજીક વીજ કંપનીની કામગીરી દરમિયાન ગુજરાત ગેસની લાઈનમાં ભંગાણ સર્જાતા નાસભાગ મચી જવા પામી હતી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વારંવાર દક્ષિણ ગુજરાત વીજ કંપનીની અન્ડર લાઈનની કામગીરી દરમિયાન ગેસ લાઈનમાં ભંગાણ સર્જાઈ રહ્યું છે.ત્યારે આજરોજ ફરી અંકલેશ્વર જી.આઇ.ડી.સી.ની ગોલ્ડન ચોકડી નજીક વીજ કંપનીની કામગીરી દરમિયાન ગુજરાત ગેસની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું.
જેને પગલે નાસભાગ મચી જવા પામી હતી.આ અંગે ગેસ કંપની અને ડીપીએમસી ફાયર વિભાગમાં જાણ કરવામાં આવતા લાશ્કરો સ્થળ પર દોડી આવ્યા હતા.અને ગેસ પુરવઠો બંધ કરવાની કામગીરી હાથ ધરી હતી આ ઘટનામાં કોઈને પણ જાનહાની નહિ થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત તારીખ-૨૨મી જાન્યુઆરીના રોજ ચાણક્ય વિદ્યાલય નજીક વીજ કંપની દ્વારા ઇલેક્ટ્રીકેશનની કામગીરી દરમિયાન ગેસની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું.જે ઘટનામાં બાળક સહીત બે લોકો દાઝી ગયા હતા ત્યારે અંકલેશ્વર જીઆઇડીસીમાં વીજ કંપની દ્વારા કરાતા ખોદકામના કારણે વારંવાર ગુજરાત ગેસની લાઈનમાં ભંગાણ સર્જાય છે અને આગના બનાવો બને છે ત્યારે આ કામગીરી દરમિયાન તકેદારી રાખવામાં આવે તે અત્યંત જરૂરી છે.
Read the Next Article

ભરૂચ-અંકલેશ્વરમાં વટસાવિત્રીના વ્રતની શ્રદ્ધાભેર ઉજવણી, સૌભાગ્યવતી સ્ત્રીઓએ પતિના લાંબા આયુષ્યની કરી કામના

વટના વૃક્ષ નીચે બેસીને જ સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનને પુનર્જીવિત કર્યા હતા.વટ સાવિત્રી વ્રત કરીને સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ-સમૃદ્ધિની કામના કરે છે.

New Update
  • આજે વટ સાવિત્રીના વ્રતની ઉજવણી

  • ભરૂચ જિલ્લામાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરાય

  • સૌભાગ્યવતી સ્ત્રીઓએ વ્રત રાખ્યુ

  • વટ દેવતાની શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કરી પૂજા

  • પતિના લાંબા આયુષ્યની કરી કામના

ભરૂચ શહેર અને જિલ્લામાં વટ સાવિત્રીના વ્રતની અત્યંત ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી સૌભાગ્યવતી સ્ત્રીઓએ પોતાના પતિના લાંબા આયુષ્યની કામના કરી હતી
ભરૂચના વિવિધ મંદિરો,વડના ઝાડ નીચે સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા વટ સાવિત્રીના વ્રતની શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી અને પોતાના પતિના લાંબા આયુષ્ય માટે કામના કરવામાં આવી હતી  શાસ્ત્રો મુજબ, વટના વૃક્ષ નીચે બેસીને જ સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનને પુનર્જીવિત કર્યા હતા.વટ સાવિત્રી વ્રત કરીને સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ-સમૃદ્ધિની કામના કરે છે.
આ દિવસે મહિલાઓ વ્રત રાખીને વટ વૃક્ષ પાસે જઇને વિધિવત પૂજા કરે છે. આ સાથે જ વટ વૃક્ષની પરિક્રમા કરે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આમ કરવાથી પતિના જીવનમાં આવનારી દરેક બાધા દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિ સાથે લાંબા આયુષ્યની પ્રાપ્તિ થાય છે. વટના વૃક્ષમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો વાસ છે તેવી પણ માન્યતા છે આથી અત્યંત ભક્તિ ભાવપૂર્વક આ પૂજન કરવામાં આવે છે
આ તરફ અંકલેશ્વરમાં પણ વટસાવિત્રીના વ્રતની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
અંકલેશ્વરના વિવિધ મંદિરો અને ગામોમાં  સૌભાગ્યવતી  મહિલાઓ દ્વારા વટ સાવિત્રીના વ્રતની શ્રધ્ધાભેર ઉજવણી કરી હતી અને   પતિના લાંબા આયુષ્ય માટે કામના કરી હતી.અંકલેશ્વરમાં રત્નેશ્વર ,અંતરનાથ ,માંડવેશ્વર મહાદેવ મંદિર અને સુરવાડી ખોડીયાર માતાજીના મંદિર સહિતના  સ્થળોએ વટસાવિત્રીના વ્રતનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું.