અંકલેશ્વર: પાનોલી GIDCમાં ગૌ વંશ કાંસમાં ખાબકયુ, ફાયર વિભાગે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી જીવ બચાવ્યો

પાનોલી જી.આઈ.ડી.સીમાં મહારાજા નગર પાસે ગ્રીન બેલ્ટ નજીક કાંસની બાજુના ખાડામાં ગૌ વંશ પડી જતા દોડધામ મચી જવા પામી ફાયર વિભાગે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી જીવ બચાવ્યો

New Update
  • અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીનો બનાવ

  • વરસાદી કાંસમાં ગૌ વંશ ખાબકયું

  • રાહદારીઓએ ફાયર વિભાગને કરી જાણ

  • ફાયર વિભાગે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું

  • દોઢ કલાકની જહેમત બાદ જીવ બચાવાયો

અંકલેશ્વરની પાનોલી જી.આઈ.ડી.સીમાં કાંસની બાજુના ખાડામાં પડેલ ગૌ વંશને ફાયર ફાયટરોએ રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો હતો.અંકલેશ્વરની પાનોલી જી.આઈ.ડી.સીમાં મહારાજા નગર પાસે ગ્રીન બેલ્ટ નજીક કાંસની બાજુના ખાડામાં ગૌ વંશ પડી જતા દોડધામ મચી જવા પામી હતી.
આ અંગે રાહદારીઓએ પાનોલી ફાયર વિભાગમાં જાણ કરવામાં આવતા ફાયર ફાયટરો સ્થળ પર દોડી આવ્યા હતા અને ગૌ વંશને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયુ હતું.લગભગ દોઢ કલાકની જહેમત બાદ ફાયર ફાયટરોએ ગૌ વંશને બહાર કાઢી તેનો જીવ બચાવ્યો હતો.ફાયર ફાયટરોના સેવા કાર્યની સૌ કોઈએ પ્રશંસા કરી હતી.
Read the Next Article

ભરૂચ : નંદેલાવ બ્રિજ નીચે કેમિકલ ભરેલું કન્ટેનર પિલર સાથે ધડાકાભેર અથડાતા મંગલદીપ સોસાયટીની દિવાલ તૂટી

ભરૂચની મઢુલી ચોકડી નજીક કેમિકલ ભરેલ કન્ટેનરના ચાલકે નવા બ્રિજના પિલરને ટક્કર મારી હતી. ત્યારબાદ કન્ટેનર મંગલદીપ સોસાયટીની કમ્પાઉન્ડ વોલ સાથે અથડાતા અફરાતફરી મચી હતી

New Update
  • નંદેલાવ બ્રિજ પાસે સર્જાયો અકસ્માત

  • બેલગામ કન્ટેનર બ્રિજના પિલરમાં ભટકાયું

  • પિલર બાદ મંગલદીપ સોસાયટીમાં પણ અથડાયું

  • સોસાયટીના મંદિરની દીવાલ તૂટતા નુકસાન

  • જાનહાની ટળતા લોકોએ લીધો રાહતનો શ્વાસ

ભરૂચની મઢુલી ચોકડી નજીક કેમિકલ ભરેલ કન્ટેનરના ચાલકે નવા બ્રિજના પિલરને ટક્કર મારી હતી. ત્યારબાદ કન્ટેનર મંગલદીપ સોસાયટીની કમ્પાઉન્ડ વોલ સાથે અથડાતા અફરાતફરી મચી હતી.
 
ભરૂચ દહેજ બાયપાસ માર્ગ પર નંદેલાવ પાસે નવા બ્રિજ નીચે ગુરુવારે એક ગંભીર અકસ્માત થયો હતો. હજીરા અદાણીથી કેમિકલ ભરેલું કન્ટેનર દહેજ સ્થિત મેઘમણી કંપનીમાં જઈ રહ્યું હતું. એ દરમિયાન કન્ટેનર ચાલકનો સ્ટિયરિંગ પર નિયંત્રણ ખોરવાતા કન્ટેનર સીધું નવા પિલરને અથડાઈને સીધુ મંગલદીપ સોસાયટીની મંદિરે જોડાયેલી કમ્પાઉન્ડ વોલમાં ટકરાયું હતું.

આ અકસ્માતમાં બ્રિજના પિલર સાથે સાથે મંદિરની દિવાલને પણ ગંભીર નુકસાન થયું હતું. જોકે, ઘટના દરમિયાન કોઈપણ જાતની જાનહાની ન પહોંચતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. કન્ટેનરનો ચાલક દ્વારા કન્ટેનરને બેલગામ દોડાવવામાં આવી રહ્યું હતું.ઘટનાના પગલે સ્થળ પર તાત્કાલિક ફાયર વિભાગ તથા પોલીસ દોડી આવી હતી. ભારે વજનના કેમિકલ ભરેલા કન્ટેનરને સ્થળ પરથી દૂર કરવા ત્રણ હાઇડ્રાની મદદ લેવાઈ હતી. લાંબા સમય બાદ માર્ગ પર સર્જાયેલો ટ્રાફિક પુનઃ રાબેતા મુજબ થયો હતો.મંગલદીપ સોસાયટીના પ્રમુખ જીતુ  પ્રજાપતિએ જણાવ્યું હતું કે,કન્ટેનર અમારા મંદિરની દીવાલ તોડી ઘૂસી ગયું હતું. સદનસીબે કોઈ વ્યક્તિ ત્યાં નહોતી. પરંતુ આવી ઘટનાઓથી ભવિષ્યમાં વધુ ગંભીર પરિસ્થિતિ ઉભી ન થાય એ માટે પગલાં લેવા જરૂરી છે.