અંકલેશ્વર: નવ નિર્મિત કન્યા શાળા-3ના મકાનનું MLA ઇશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ

અંકલેશ્વરમાં નવ નિર્મિત કન્યા શાળા નંબર-3ના મકાનનું આજરોજ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

New Update

અંકલેશ્વરમાં નવ નિર્મિત કન્યા શાળા નંબર-3ના મકાનનું આજરોજ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ઔધ્યોગિક ગૃહોની સામાજિક જવાબદારીના ભાગરૂપે કોહાન્સ લાઈફ સાયન્સીસ દ્વારા અંકલેશ્વર નગર પાલિકા સંચાલિત કન્યા શાળા નંબર-3ના મકાનનું  નિર્માણ કરવામાં આવ્યું છે જે શાળાના મકાનનું આજરોજ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે તકતી અનાવરણ કરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ લોકાર્પણના કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત,ઉપ પ્રમુખ ભાવેશ કાયસ્થ,કારોબારી ચેરમેન નિલેષ પટેલ,સુનિલ ઉત્તરવાર, કોહાન્સ લાઈફ સાયન્સીસના ડો.નાગેન્દ્ર બાબુ,ગૌરવ બહાદુર તેમજ આમંત્રિતો અને નગર સેવકો ઉપર્થિત રહ્યા હતા.
Read the Next Article

અંકલેશ્વર: રામકુંડ ખાતે તેરસ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરાયુ

દર વર્ષે રામકુંડના મહંત ગંગાદાસ મહારાજ દ્વારા ટર્સ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજે તેરસ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

New Update
MixCollage-08-Jul-2025-08-38-PM-8313

દર વર્ષે રામકુંડના મહંત ગંગાદાસ મહારાજ દ્વારા ટર્સ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવે છે.

જેના ભાગરૂપે આજે તેરસ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. 
જેમાં સંતોને પ્રસાદી જમાડીતેઓને ભેટ સ્વરૂપે છત્રી આપવામાં આવી હતી. આ ભંડારાનો 350થી વધુ સાધુ સંતોએ લાભ લીધો હતો.