New Update
અંકલેશ્વરમાં જયાબહેન મોદી હોસ્પિટલમાં યોજાયો કાર્યક્રમ
નવી પેથોલોજી લેબનું કરાયુ ઉદ્ઘાટન
ગુલબ્રાન્ડસેન કંપની દ્વારા અપાયું યોગદાન
લેબની કામગીરી બનશે વધુ ઝડપી
આમંત્રીતો રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી મલ્ટીસ્પેશ્યલીટી હોસ્પિટલ ખાતે નવી પેથોલોજી લેબનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે આગેવાનો અને આમંત્રીતો ઉપસ્થિત રહ્યા હતા.
અંકલેશ્વર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેંટ સોસાઇટી દ્વારા સંચાલિત શ્રીમતી જયાબેન મોદી મલ્ટીસ્પેશ્યલીટી હોસ્પિટલ ખાતે નવી પેથોલોજી લેબનું લોકાર્પણ ગુલબ્રાન્ડસેન ટેકનોલોજીસ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના, પ્રેસિડેન્ટ વિક્રમ સિંઘલ દ્વારા કરવામાં આવ્યું હતું.નવી પેથોલોજી લેબ જે જૂની પેથોલોજી લેબ કરતાં વધુ અત્યાધુનિક અને વધુ નવા સાધનોથી સજ્જ છે. લેબ અંતર્ગત આવતી કામગીરી હવે વધુ ઝડપ અને સરળ બનશે. નવી પેથોલોજી લેબનું નિર્માણ કરવા માટે ખાસ ગુલબ્રાન્ડસેન ટેકનોલોજીસ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું યોગદાન મળ્યું છે. કંપનીના આ યોગદાનથી લોકોને વધુ આધુનિક અને ઝડપી સેવા પ્રદાન કરવામાં આવશે.આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડીયા,સંજય સિંઘ,ટ્રસ્ટના અશોક પંજવાણી, હિતેન આનંદપુરા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
Latest Stories