અંકલેશ્વર: જયાબહેન મોદી હોસ્પિટલમાં અત્યાધુનિક પેથોલોજી લેબનું ઉદ્ઘાટન

અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી મલ્ટીસ્પેશ્યલીટી હોસ્પિટલ ખાતે નવી પેથોલોજી લેબનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે આગેવાનો અને આમંત્રીતો ઉપસ્થિત રહ્યા હતા.

New Update
અંકલેશ્વરમાં જયાબહેન મોદી હોસ્પિટલમાં યોજાયો કાર્યક્રમ
Advertisment
નવી પેથોલોજી લેબનું કરાયુ ઉદ્ઘાટન
ગુલબ્રાન્ડસેન કંપની દ્વારા અપાયું યોગદાન
લેબની કામગીરી બનશે વધુ ઝડપી
આમંત્રીતો રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી મલ્ટીસ્પેશ્યલીટી હોસ્પિટલ ખાતે નવી પેથોલોજી લેબનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે આગેવાનો અને આમંત્રીતો ઉપસ્થિત રહ્યા હતા.
Advertisment
અંકલેશ્વર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેંટ સોસાઇટી દ્વારા સંચાલિત શ્રીમતી જયાબેન મોદી મલ્ટીસ્પેશ્યલીટી હોસ્પિટલ ખાતે નવી પેથોલોજી લેબનું લોકાર્પણ ગુલબ્રાન્ડસેન ટેકનોલોજીસ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના, પ્રેસિડેન્ટ  વિક્રમ સિંઘલ દ્વારા કરવામાં આવ્યું હતું.નવી પેથોલોજી લેબ જે જૂની પેથોલોજી લેબ કરતાં વધુ અત્યાધુનિક અને વધુ નવા સાધનોથી સજ્જ છે. લેબ અંતર્ગત આવતી કામગીરી હવે વધુ ઝડપ અને સરળ બનશે. નવી પેથોલોજી લેબનું નિર્માણ કરવા માટે ખાસ ગુલબ્રાન્ડસેન ટેકનોલોજીસ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું યોગદાન મળ્યું છે. કંપનીના આ યોગદાનથી લોકોને વધુ આધુનિક અને ઝડપી સેવા પ્રદાન કરવામાં આવશે.આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડીયા,સંજય સિંઘ,ટ્રસ્ટના અશોક પંજવાણી, હિતેન આનંદપુરા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
Advertisment
Read the Next Article

ભરૂચ ટ્રક અને સરકારી જીપ વચ્ચે અકસ્માત, જંબુસરના પ્રાંત અધિકારીનો ચમત્કારિક બચાવ

ભરૂચ જિલ્લાના આમોદ ચાર રસ્તા નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જંબુસરના પ્રાંત અધિકારી ડો. એસ.એમ. ગાંગુલીની સરકારી જીપને ટ્રક ચાલકે

New Update
accident આમોદ

ભરૂચ જિલ્લાના આમોદ ચાર રસ્તા નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જંબુસરના પ્રાંત અધિકારી ડો. એસ.એમ. ગાંગુલીની સરકારી જીપને ટ્રક ચાલકે અચાનક ટક્કર મારતા ઘટનાની તીવ્રતા વધી હતી. આ અકસ્માત દરમિયાન ગાંગુલી સાહેબનો ચમત્કારિક બચાવ થયો હતો.

Advertisment

પ્રાપ્ત માહિતી અનુસાર, ટ્રક ચાલકે જીપને ઓવરટેક કરવાનો પ્રયાસ કરતાં તેની વાહન પરનો કાબૂ ગુમાવી બેઠો અને સીધી ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે નજીકના વિસ્તારમાં ટ્રાફિક જામ જેવી સ્થિતિ ઊભી થઇ હતી. ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ દોડી આવી હતી અને ઘટના સ્થળ પર કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પોલીસ ટ્રાફિકને નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો હતો, અકસ્માત અંગે આગળની તપાસ હાથ ધરાઈ છે. સ્થાનિક લોકોના કહેવા મુજબ, જો જીપ થોડી સેકન્ડ પણ આગળ વધી ગઈ હોત, તો મોટો વિઘાટ સર્જાઈ શક્યો હોત. સદભાગ્યે કોઈ જાનહાનિ ટળી છે.

Advertisment