અંકલેશ્વર: જયાબહેન મોદી હોસ્પિટલમાં અત્યાધુનિક પેથોલોજી લેબનું ઉદ્ઘાટન

અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી મલ્ટીસ્પેશ્યલીટી હોસ્પિટલ ખાતે નવી પેથોલોજી લેબનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે આગેવાનો અને આમંત્રીતો ઉપસ્થિત રહ્યા હતા.

New Update
અંકલેશ્વરમાં જયાબહેન મોદી હોસ્પિટલમાં યોજાયો કાર્યક્રમ
Advertisment
નવી પેથોલોજી લેબનું કરાયુ ઉદ્ઘાટન
ગુલબ્રાન્ડસેન કંપની દ્વારા અપાયું યોગદાન
લેબની કામગીરી બનશે વધુ ઝડપી
આમંત્રીતો રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી મલ્ટીસ્પેશ્યલીટી હોસ્પિટલ ખાતે નવી પેથોલોજી લેબનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે આગેવાનો અને આમંત્રીતો ઉપસ્થિત રહ્યા હતા.
Advertisment
અંકલેશ્વર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેંટ સોસાઇટી દ્વારા સંચાલિત શ્રીમતી જયાબેન મોદી મલ્ટીસ્પેશ્યલીટી હોસ્પિટલ ખાતે નવી પેથોલોજી લેબનું લોકાર્પણ ગુલબ્રાન્ડસેન ટેકનોલોજીસ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના, પ્રેસિડેન્ટ  વિક્રમ સિંઘલ દ્વારા કરવામાં આવ્યું હતું.નવી પેથોલોજી લેબ જે જૂની પેથોલોજી લેબ કરતાં વધુ અત્યાધુનિક અને વધુ નવા સાધનોથી સજ્જ છે. લેબ અંતર્ગત આવતી કામગીરી હવે વધુ ઝડપ અને સરળ બનશે. નવી પેથોલોજી લેબનું નિર્માણ કરવા માટે ખાસ ગુલબ્રાન્ડસેન ટેકનોલોજીસ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું યોગદાન મળ્યું છે. કંપનીના આ યોગદાનથી લોકોને વધુ આધુનિક અને ઝડપી સેવા પ્રદાન કરવામાં આવશે.આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડીયા,સંજય સિંઘ,ટ્રસ્ટના અશોક પંજવાણી, હિતેન આનંદપુરા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
Advertisment
Read the Next Article

ભરૂચ : ઇતિહાસના સાક્ષી, અવગણનાના શિકાર બન્યા નર્મદા ઘાટ,પર્યટન સ્થળ તરીકે  પુનઃવિકાસની ઉઠી પોકાર

સ્થાનિક રહીશો અને ધાર્મિક સંગઠનો મુજબ, ભૂતકાળમાં આ ઘાટો પર ધાર્મિક ક્રિયાઓ, પવિત્ર સ્નાન, તહેવાર અને આરતી જેવી પરંપરાઓ નિયમિત રીતે થતા હતા.

author-image
By Connect Gujarat Desk
New Update
  • નર્મદા ઘાટ બન્યા દુર્દશાનો શિકાર

  • ઇતિહાસના સાક્ષી ઘાટોની અવગણના

  • પવિત્ર ઘાટ પર સંતો અને ઋષિઓએ કર્યા છે તપ

  • વારાણસી મુજબ જ નર્મદા ઘાટનાં વિકાસનો પોકાર

  • પર્યટન સ્થળ તરીકે ઘાટનાં વિકાસ માટે ઉઠી માંગ 

Advertisment

ભરૂચના નર્મદા કિનારાનાં ઘાટ આજે પોતાના અસ્તિત્વ માટે ઝઝૂમી રહ્યા છે. સ્થાનિક રહીશો અને ધાર્મિક સંગઠનો મુજબભૂતકાળમાં આ ઘાટો પર ધાર્મિક ક્રિયાઓપવિત્ર સ્નાનતહેવાર અને આરતી જેવી પરંપરાઓ નિયમિત રીતે થતા હતા. આ ઘાટો પર સંતો અને ઋષિઓએ તપ કર્યા હતા,તો કેટલાક ઘાટો ઐતિહાસિક યુદ્ધો અને યાત્રાઓના સાક્ષી રહ્યા છે. આજના સમયમાં આ ઘાટો તૂટી ગયેલી પાળીઓકચરો અને પાણીના ભરાવા સહિત ગંદકી જેવી સમસ્યાઓથી ઘેરાયેલા છે.

ભરૂચની જનતાનું કહેવું છે કે સરકાર દ્વારા 'સ્ટેચ્યુ ઓફ યુનિટીજેવા વિશ્વવિખ્યાત પ્રોજેક્ટ પર કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યોપણ એ જ નર્મદા નદીના પવિત્ર ઘાટો આજે પણ મૂળભૂત સુવિધાઓથી વંચિત છે. ત્યાં લાઇટિંગ,પીવાનું પાણી,શૌચાલય કે બેસવાની વ્યવસ્થાઓ પણ ઉપલબ્ધ નથી.

સ્થાનિક સામાજિક કાર્યકરોઐતિહાસિક રસ ધરાવતા લોકો અને ધાર્મિક સંગઠનો સરકારને આગ્રહ કરી રહ્યા છે કે નર્મદા ઘાટોનું દસ્તાવેજી કરણ કરવામાં આવેઅને તેમની પૌરાણિક તથા ઐતિહાસિક મહત્તાને પ્રકાશમાં લાવીને ઘાટોનું સૌંદર્યકરણ કરવામાં આવે. સાથે જ ઘાટોની કથાઓ અને ઇતિહાસ દર્શાવતું દ્રશ્ય અને ઓડિયો માર્ગદર્શન દિવાલ ચિત્રો અને સાંસ્કૃતિક કાર્યક્રમો શરૂ કરવાથી ધાર્મિક પર્યટન વધારી શકાય તેવી લાગણી લોકો વ્યક્ત કરી રહ્યા છે. 

Advertisment