અંકલેશ્વર: વિદેશોમાં ક્રિસમસ વેકેશનના પગલે ઉદ્યોગોને થશે અસર, રૂ.500 કરોડનું નુકશાન થાય એવો અંદાજ

યુરોપ અને યુએસએ સહિત વિદેશોમાં ક્રિસમસ વેકેશનને કારણે અંકલેશ્વર સહીત ભરૂચ જિલ્લાના વિવિધ ઉદ્યોગોના આયાત નિકાસનું માળખુ ડામાડોળ બની જશે.

New Update
વિદેશોમાં ક્રિસમસ વેકેશનનો જામશે માહોલ
ભરૂચ અંકલેશ્વરના ઉદ્યોગો મુકાશે મુશ્કેલીમાં
આયાત નિકાસ પર પડશે અસર
રૂ.500 કરોડનો ફટકો પડે એવું અનુમાન
પ્રતિવર્ષ સર્જાય છે આ પરિસ્થિતિ
યુરોપ અને યુએસએ સહિત વિદેશોમાં ક્રિસમસ વેકેશનને કારણે અંકલેશ્વર સહીત ભરૂચ જિલ્લાના વિવિધ ઉદ્યોગોના આયાત નિકાસનું માળખુ ડામાડોળ બની જશે. તેમજ સ્થાનિક ઉદ્યોગોને રૂ. ૫૦૦ કરોડનો આર્થિક ફટકો પડે તેવુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
વિશ્વના આંતરરાષ્ટ્રીય બજારમાં આગામી ક્રિસમસના તહેવાર અંતર્ગત બે મહિના સુધી છુટ્ટીઓની નોબત સર્જાય છે.યુરોપ, યુએસએ સહીત અન્ય મોટેભાગના દેશોમાં ક્રિસમસ વેકેશનને કારણે વૈશ્વિક ધંધા રોજગારની ચેઇન તૂટી જતી હોય છે. નવેમ્બર માસથી જ ત્યાંનો સમુદાય ધંધાકીય પ્રવૃતિઓ આગામી બે માસ સુધી આટોપી દેતા હોય છે જેની અસર ભારતીય ઉપરાંત મિડલિસ્ટ દેશોના ઉદ્યોગ આલમને વર્તાય છે. ભરૂચ જિલ્લાની સાત જેટલી ઔદ્યોગિક વસાહતોના અનેક ફાર્મા, ડાઇઝ, પેસ્ટીસાઈડ સહિતના ઉદ્યોગોની આયાત નિકાસનું સમગ્ર માળખુ ખોરંભે પડી જતુ હોય છે. રો મટીરીયલની આયાત અટકી જતી હોય છે તો ફિનિશિંડ પ્રોડક્ટની નિકાસ અટકી જતી હોય છે તો ધંધાકીય આર્થિક લેવડ દેવડના વ્યવહારો પણ હંગામી ધોરણે બંધ થઇ જતા હોય છે. એક અનુમાન મુજબ ભરૂચ જિલ્લાના ઉદ્યોગોના આ વેકેશનને પગલે અંદાજે રૂ. ૫૦૦ કરોડનો આર્થિક વ્યવહારો ખોરંભે પડતા હોય છે.એક તરફ વિશ્વભરમાં આર્થિક મંદીની બોલબાલા, અનેક દેશોમાં યુદ્ધગ્રસ્ત માહોલ ઉપરાંત હવે ક્રિસમસ વેકેશનમાં છુટ્ટીનો માહોલ સ્થાનિક ઉદ્યોગોમાટે વરુણીમાં મુકનારો બની રહે છે.
Read the Next Article

અંકલેશ્વર : કોસમડી ગામે વીજ તાર તૂટીને પડવાથી બે અબોલ પશુઓના વીજ કરંટથી મોત

અંકલેશ્વરનાકોસમડી ખાડીમાં વીજ કંપનીનો જીવતો વીજ તાર તૂટીને પડ્યો હતો.જેના કારણે ચારો ચરતા અબોલ પશુઓને વીજ કરંટ લગતા બે અબોલ પશુઓના નિપજ્યા મોત

New Update
  • કોસમડીમાં વીજ તાર તૂટીને પડવાનો મામલો

  • બે મહિલાઓ પશુ ચરાવવા માટે ગઈ હતી 

  • સાંજે પરત ફરીથી વેળાએ બની ઘટના

  • ખાડી પાસે વીજ તાર તૂટીને પડ્યો હતો

  • વીજ કરંટ લાગતા બે અબોલ પશુઓના નિપજ્યા મોત

અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામની ખાડી પાસે વીજ લાઈનનો એક તાર તૂટીને પડ્યો હતો,જેનો કરંટ બે અબોલ પશુઓને લગતા મોતને ભેટ્યા હતા. અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામના નવાપરા ફળિયામાં રહેતા જમણા વસાવા અને રેવા વસાવા પોતાની ભેંસોને ચરાવવા માટે ગામની સીમમાં ગયા હતા,ત્યાંથી સાંજના સુમારે પરત ફરતી વેળાએ એક દુર્ઘટના સર્જાય હતી.

જેમાં કોસમડી ખાડીમાં વીજ કંપનીનો જીવતો વીજ તાર તૂટીને પડ્યો હતો.જેના કારણે ચારો ચરતા અબોલ પશુઓને વીજ કરંટ લાગ્યો હતો,વીજ કરંટના જોરદાર ઝટકાથી એક ભેંસ અને પાડાના મોત નિપજ્યા હતા,ઘટના અંગે જમના વસાવાએ જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી.