અંકલેશ્વર: વિદેશોમાં ક્રિસમસ વેકેશનના પગલે ઉદ્યોગોને થશે અસર, રૂ.500 કરોડનું નુકશાન થાય એવો અંદાજ

યુરોપ અને યુએસએ સહિત વિદેશોમાં ક્રિસમસ વેકેશનને કારણે અંકલેશ્વર સહીત ભરૂચ જિલ્લાના વિવિધ ઉદ્યોગોના આયાત નિકાસનું માળખુ ડામાડોળ બની જશે.

New Update
વિદેશોમાં ક્રિસમસ વેકેશનનો જામશે માહોલ
Advertisment
ભરૂચ અંકલેશ્વરના ઉદ્યોગો મુકાશે મુશ્કેલીમાં
આયાત નિકાસ પર પડશે અસર
રૂ.500 કરોડનો ફટકો પડે એવું અનુમાન
પ્રતિવર્ષ સર્જાય છે આ પરિસ્થિતિ
યુરોપ અને યુએસએ સહિત વિદેશોમાં ક્રિસમસ વેકેશનને કારણે અંકલેશ્વર સહીત ભરૂચ જિલ્લાના વિવિધ ઉદ્યોગોના આયાત નિકાસનું માળખુ ડામાડોળ બની જશે. તેમજ સ્થાનિક ઉદ્યોગોને રૂ. ૫૦૦ કરોડનો આર્થિક ફટકો પડે તેવુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
Advertisment
વિશ્વના આંતરરાષ્ટ્રીય બજારમાં આગામી ક્રિસમસના તહેવાર અંતર્ગત બે મહિના સુધી છુટ્ટીઓની નોબત સર્જાય છે.યુરોપ, યુએસએ સહીત અન્ય મોટેભાગના દેશોમાં ક્રિસમસ વેકેશનને કારણે વૈશ્વિક ધંધા રોજગારની ચેઇન તૂટી જતી હોય છે. નવેમ્બર માસથી જ ત્યાંનો સમુદાય ધંધાકીય પ્રવૃતિઓ આગામી બે માસ સુધી આટોપી દેતા હોય છે જેની અસર ભારતીય ઉપરાંત મિડલિસ્ટ દેશોના ઉદ્યોગ આલમને વર્તાય છે. ભરૂચ જિલ્લાની સાત જેટલી ઔદ્યોગિક વસાહતોના અનેક ફાર્મા, ડાઇઝ, પેસ્ટીસાઈડ સહિતના ઉદ્યોગોની આયાત નિકાસનું સમગ્ર માળખુ ખોરંભે પડી જતુ હોય છે. રો મટીરીયલની આયાત અટકી જતી હોય છે તો ફિનિશિંડ પ્રોડક્ટની નિકાસ અટકી જતી હોય છે તો ધંધાકીય આર્થિક લેવડ દેવડના વ્યવહારો પણ હંગામી ધોરણે બંધ થઇ જતા હોય છે. એક અનુમાન મુજબ ભરૂચ જિલ્લાના ઉદ્યોગોના આ વેકેશનને પગલે અંદાજે રૂ. ૫૦૦ કરોડનો આર્થિક વ્યવહારો ખોરંભે પડતા હોય છે.એક તરફ વિશ્વભરમાં આર્થિક મંદીની બોલબાલા, અનેક દેશોમાં યુદ્ધગ્રસ્ત માહોલ ઉપરાંત હવે ક્રિસમસ વેકેશનમાં છુટ્ટીનો માહોલ સ્થાનિક ઉદ્યોગોમાટે વરુણીમાં મુકનારો બની રહે છે.
Advertisment
Read the Next Article

ભરૂચ : સાવરણી વેચીને જીવન ગુજારતા વૃદ્ધ દંપતી તબિયત બગડતાં રસ્તા પર ઢળી પડ્યા, શંકાસ્પદ કોરોના લક્ષણો જોઈ હોસ્પિટલ ખસેડાયા

ભરૂચના મુલદ ચોકડી વિસ્તારમાં લુણાવાડાના મૂળ રહેવાસી અને હાલ સાવરણી વેચીને પોતાનું જીવન નિર્વાહ કરતા વૃદ્ધ દંપતી અચાનક તબિયત બગડતાં રસ્તા પર ઢળી પડ્યા હતા.

New Update
ભરૂચ 1222

ભરૂચના  મુલદ ચોકડી વિસ્તારમાં લુણાવાડાના મૂળ રહેવાસી અને હાલ સાવરણી વેચીને પોતાનું જીવન નિર્વાહ કરતા વૃદ્ધ દંપતી અચાનક તબિયત બગડતાં રસ્તા પર ઢળી પડ્યા હતા.

Advertisment

આ ઘટના સમયે ત્યાં નજીક રિક્ષા લઈને ઉભેલા શખ્સે માનવતા દેખાડી અને તત્કાલ ભરૂચ 108 ઇમરજન્સી સેવાને જાણ કરી હતી.108 ની ટીમ ઘટનાસ્થળે તરત પહોંચી અને દંપતીને પ્રાથમિક સારવાર આપી. આ દરમિયાન તેમનામાં શંકાસ્પદ કોરોના વાયરસના લક્ષણો જોવા મળતાં, સલામતીના પગલાં તરીકે બંનેને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.હાલ સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા દર્દીઓની વધુ તપાસ અને કોરોના રિપોર્ટ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

Advertisment