વિદેશોમાં ક્રિસમસ વેકેશનનો જામશે માહોલ
ભરૂચ અંકલેશ્વરના ઉદ્યોગો મુકાશે મુશ્કેલીમાં
આયાત નિકાસ પર પડશે અસર
રૂ.500 કરોડનો ફટકો પડે એવું અનુમાન
પ્રતિવર્ષ સર્જાય છે આ પરિસ્થિતિ
યુરોપ અને યુએસએ સહિત વિદેશોમાં ક્રિસમસ વેકેશનને કારણે અંકલેશ્વર સહીત ભરૂચ જિલ્લાના વિવિધ ઉદ્યોગોના આયાત નિકાસનું માળખુ ડામાડોળ બની જશે. તેમજ સ્થાનિક ઉદ્યોગોને રૂ. ૫૦૦ કરોડનો આર્થિક ફટકો પડે તેવુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
વિશ્વના આંતરરાષ્ટ્રીય બજારમાં આગામી ક્રિસમસના તહેવાર અંતર્ગત બે મહિના સુધી છુટ્ટીઓની નોબત સર્જાય છે.યુરોપ, યુએસએ સહીત અન્ય મોટેભાગના દેશોમાં ક્રિસમસ વેકેશનને કારણે વૈશ્વિક ધંધા રોજગારની ચેઇન તૂટી જતી હોય છે. નવેમ્બર માસથી જ ત્યાંનો સમુદાય ધંધાકીય પ્રવૃતિઓ આગામી બે માસ સુધી આટોપી દેતા હોય છે જેની અસર ભારતીય ઉપરાંત મિડલિસ્ટ દેશોના ઉદ્યોગ આલમને વર્તાય છે. ભરૂચ જિલ્લાની સાત જેટલી ઔદ્યોગિક વસાહતોના અનેક ફાર્મા, ડાઇઝ, પેસ્ટીસાઈડ સહિતના ઉદ્યોગોની આયાત નિકાસનું સમગ્ર માળખુ ખોરંભે પડી જતુ હોય છે. રો મટીરીયલની આયાત અટકી જતી હોય છે તો ફિનિશિંડ પ્રોડક્ટની નિકાસ અટકી જતી હોય છે તો ધંધાકીય આર્થિક લેવડ દેવડના વ્યવહારો પણ હંગામી ધોરણે બંધ થઇ જતા હોય છે. એક અનુમાન મુજબ ભરૂચ જિલ્લાના ઉદ્યોગોના આ વેકેશનને પગલે અંદાજે રૂ. ૫૦૦ કરોડનો આર્થિક વ્યવહારો ખોરંભે પડતા હોય છે.એક તરફ વિશ્વભરમાં આર્થિક મંદીની બોલબાલા, અનેક દેશોમાં યુદ્ધગ્રસ્ત માહોલ ઉપરાંત હવે ક્રિસમસ વેકેશનમાં છુટ્ટીનો માહોલ સ્થાનિક ઉદ્યોગોમાટે વરુણીમાં મુકનારો બની રહે છે.