અંકલેશ્વર: નવદુર્ગા માતાજીના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત કળશ યાત્રા નિકળી !

અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલ આનંદ વિહાર સોસાયટીમાં નિર્માણ પામેલ નવદુર્ગા માતાજીના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત કળશ યાત્રાનું આયોજન કરાયુ હતું

New Update

અંકલેશ્વરમાં મંદિરનું કરવામાં આવ્યું નિર્માણ

ગડખોલ વિસ્તારમાં નવદુર્ગા માતાજીના મંદિરનું નિર્માણ

મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ

કળશ યાત્રાનું કરાયુ આયોજન

મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા

અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલ આનંદ વિહાર સોસાયટીમાં નિર્માણ પામેલ નવદુર્ગા માતાજીના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત કળશ યાત્રાનું આયોજન કરાયુ હતું

અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલ આનંદ વિહાર સોસાયટીમાં છેલ્લા બાર વર્ષની નવદુર્ગા માતાજીના મંદિરનું નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું હતું આ નિર્માણ કાર્ય પૂર્ણ થતા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત શોભાયાત્રા નીકળી હતી.આજથી 13મી ઓક્ટોબર સુધી અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલ આનંદ વિહાર સોસાયટી ખાતે નવદુર્ગા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.જેના ભાગરૂપે આજરોજ કળશ યાત્રા નીકળી હતી.જે યાત્રા સોસાયટીમાંથી નીકળી વિવિધ વિસ્તારમાં ફરી હતી

કરસ યાત્રા દરમિયાન પાવન શ્રીલંકા નર્મદાનું જળ ભરી માતાજી પર અભિષેક કરવામાં આવશે આ કળશ યાત્રામાં ગામના આગેવાન રોહન પટેલ અને સોસાયટીના પ્રમુખ સહિતના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
Latest Stories