અંકલેશ્વરમાં મંદિરનું કરવામાં આવ્યું નિર્માણ
ગડખોલ વિસ્તારમાં નવદુર્ગા માતાજીના મંદિરનું નિર્માણ
મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ
કળશ યાત્રાનું કરાયુ આયોજન
મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા
અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલ આનંદ વિહાર સોસાયટીમાં છેલ્લા બાર વર્ષની નવદુર્ગા માતાજીના મંદિરનું નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું હતું આ નિર્માણ કાર્ય પૂર્ણ થતા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત શોભાયાત્રા નીકળી હતી.આજથી 13મી ઓક્ટોબર સુધી અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલ આનંદ વિહાર સોસાયટી ખાતે નવદુર્ગા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.જેના ભાગરૂપે આજરોજ કળશ યાત્રા નીકળી હતી.જે યાત્રા સોસાયટીમાંથી નીકળી વિવિધ વિસ્તારમાં ફરી હતી