અંકલેશ્વર: સિગ્નેચર ગેલેરીયામાંથી કાફેની આડમાં ચાલતા હુક્કાબાર પર LCBના દરોડા, ત્રણ શખ્સોની ધરપકડ

ભરૂચના અંકલેશ્વરના સિગ્નેચર ગેલેરીયા કોમ્પ્લેક્ષમાં કાફેની આડમાં ચાલતા હુક્કાબાર પર LCB પોલીસે દરોડા પડ્યા હતા,અને હુક્કાને લગતી સામગ્રી સહિત 77 હજારથી વધુના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. 

New Update
  • 31st પહેલા પોલીસની કાર્યવાહી

  • કાફેની આડમાં ધમધમતો હતો હુક્કાબાર

  • LCB પોલીસે કરી રેડ

  • પોલીસે ત્રણ આરોપીઓની કરી ધરપકડ

  • રૂ.77હજારનો મુદ્દામાલ કર્યો જપ્ત

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના સિગ્નેચર ગેલેરીયા કોમ્પ્લેક્ષમાં કાફેની આડમાં ચાલતા હુક્કાબાર પરLCB પોલીસે દરોડા પડ્યા હતા,અને હુક્કાને લગતી સામગ્રી સહિત77હજારથી વધુના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી.

ભરૂચ જિલ્લામાં31stમાં વિદેશી દારૂ સહિત નસીલા પદાર્થનો વેપલો અટકાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી રહી છે.ત્યારે ભરૂચLCBનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતોતે દરમિયાન મળેલી બાતમીને આધારે સિગ્નેચર ગેલેરીયા કોમ્પ્લેક્ષમાં10-10કાફેમાં ગેરકાયદેસર રીતે ચાલતા હુક્કાબાર પર રેડ કરી હતી.

પોલીસે સ્થળ પરથી હુક્કાની ચિલમ હુક્કા નંગ-8,હુક્કાની પાઈપ નંગ-8અને ઇલેક્ટ્રિક સગડી તેમજ વિવિધ ફ્લેવર મળી કુલ77હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો,અને હવા મહેલ સ્થિત યુરો બિલ્ડિંગમાં રહેતો મોહમંદ સોયેબ હનીફખાન પઠાણ,રહેમતખાણ હનીખાન પઠાણ તેમજ અબ્દુલ રહેમાન શેખને ઝડપી પાડી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

Read the Next Article

ભરૂચ: રંગવાટીકા સોસા.માં મકાનની સેફટી ટેન્કમાં ખાબકેલ આખલાનું મોત, ફાયર વિભાગે મૃતદેહ બહાર કાઢ્યો

ભરૂચ શહેરની રંગવાટિકા સોસાયટી વિસ્તારમાં નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટના હિરેન શાહ અને રમેશ દવેને કોઈ અજાણ્યા શખ્સે ફોન કરી માહિતી આપી હતી કે

New Update
IMG-20250710-WA0004

ભરૂચ શહેરની રંગવાટિકા સોસાયટી વિસ્તારમાં નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટના હિરેન શાહ અને રમેશ દવેને કોઈ અજાણ્યા શખ્સે ફોન કરી માહિતી આપી હતી કે આ વિસ્તારના એક નવા બાંધકામમાં બનાવવામાં આવેલી સેફ્ટી ટાંકીમાં એક આંખલો પડી ગયો છે.

માહિતિ મળતાની સાથે જ બંને ટ્રસ્ટી તાત્કાલિક પોતાની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તપાસ દરમ્યાન આ સેફ્ટી ટાંકીમાં એક આંખલો મૃત હાલતમાં જોવા મળ્યો હતો. બાદમાં તાત્કાલિક ભરૂચ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી તેમનો સહકાર લેવામાં આવ્યો હતો.ફાયર વિભાગની ટીમે ટાંકામાંથી મૃત આખલાને બહાર કાઢી પોતાની કામગીરી પૂરી કરી હતી. ત્યારબાદ ટ્રસ્ટના સ્વયંસેવકો દ્વારા આખલાની અંતિમ વિધિ કરાઈ હતી