અંકલેશ્વર: સિગ્નેચર ગેલેરીયામાંથી કાફેની આડમાં ચાલતા હુક્કાબાર પર LCBના દરોડા, ત્રણ શખ્સોની ધરપકડ

ભરૂચના અંકલેશ્વરના સિગ્નેચર ગેલેરીયા કોમ્પ્લેક્ષમાં કાફેની આડમાં ચાલતા હુક્કાબાર પર LCB પોલીસે દરોડા પડ્યા હતા,અને હુક્કાને લગતી સામગ્રી સહિત 77 હજારથી વધુના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. 

New Update
  • 31st પહેલા પોલીસની કાર્યવાહી

  • કાફેની આડમાં ધમધમતો હતો હુક્કાબાર

  • LCB પોલીસે કરી રેડ

  • પોલીસે ત્રણ આરોપીઓની કરી ધરપકડ

  • રૂ.77 હજારનો મુદ્દામાલ કર્યો જપ્ત

Advertisment

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના સિગ્નેચર ગેલેરીયા કોમ્પ્લેક્ષમાં કાફેની આડમાં ચાલતા હુક્કાબાર પર LCB પોલીસે દરોડા પડ્યા હતા,અને હુક્કાને લગતી સામગ્રી સહિત 77 હજારથી વધુના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. 

ભરૂચ જિલ્લામાં 31stમાં વિદેશી દારૂ સહિત નસીલા પદાર્થનો વેપલો અટકાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી રહી છે.ત્યારે ભરૂચ LCBનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતોતે દરમિયાન મળેલી બાતમીને આધારે સિગ્નેચર ગેલેરીયા કોમ્પ્લેક્ષમાં 10-10 કાફેમાં ગેરકાયદેસર રીતે ચાલતા હુક્કાબાર પર રેડ કરી હતી.

પોલીસે સ્થળ પરથી હુક્કાની ચિલમ હુક્કા નંગ-8,હુક્કાની પાઈપ નંગ-8 અને ઇલેક્ટ્રિક સગડી તેમજ વિવિધ ફ્લેવર મળી કુલ 77 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો,અને હવા મહેલ સ્થિત યુરો બિલ્ડિંગમાં રહેતો મોહમંદ સોયેબ હનીફખાન પઠાણ,રહેમતખાણ હનીખાન પઠાણ તેમજ અબ્દુલ રહેમાન શેખને ઝડપી પાડી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

 

 

Advertisment
Read the Next Article

ભરૂચ: NH 48 પર વરેડિયા ચોકડી નજીક રસ્તો ઓળંગતા જૈન સાધ્વીને ટેમ્પાએ મારી ટક્કર, સેવિકાનું મોત, સાધ્વીજી ઇજાગ્રસ્ત

સેવિકાના માથા પરથી આઇસર ટેમ્પાનું ટાયર ફરી વળતા સ્થળ પર જ મૃત્યુ થયું હતું. જ્યારે ઇજાગ્રસ્ત સાધ્વીજીને સારવાર અર્થે 108 માં ભરૂચ સિવિલમાં ખસેડાયા

New Update
Palej Police
રાજસ્થાનના પાલીથી જૈન સાધ્વીજી મધુ સુધાજી વિહાર માટે નીકળ્યા હતા. આજે મળસ્કે તેઓ ભરૂચ હાઇવે પર વરેડિયા સુંદર વિહાર ધામથી નીકળી અસુરીયા જૈન વિહાર ધામે જઈ રહ્યાં હતાં. તેઓ સાથે અર્ટિગાના લઈ ડ્રાઈવર વિહારમાં સાથે હતા. વરેડિયા ચોકડી વ્હિલચેરમાં સાધ્વીજીને ક્રોસ કરાવી સેવિકા ગજરા બેન મેઘવાલ પાલેજ - ભરૂચની લેન તરફ જઈ રહ્યા હતા. ત્યારે ત્રીજી લેનમાં આવેલા આઇસર ટેમ્પા ચાલકે વ્હીલચેરને અડફેટે લઈ ફંગોળી દીધી હતી.
Advertisment W3.CSS
જેમાં સાધ્વી મહારાજજી અને સેવિકા રસ્તા પર પટકાયા હતા. સેવિકાના માથા પરથી ટેમ્પાનું ટાયર ફરી વળતા સ્થળ પર જ મૃત્યુ થયું હતું. જ્યારે ઇજાગ્રસ્ત સાધ્વીજીને 108 માં ભરૂચ સિવિલમાં ખસેડાયા હતા. પાલેજ પોલીસ મથકે ટેમ્પા ચાલક અચ્છેલાલ યાદવ સામે ગુનો દાખલ કરાયો હતો.