અંકલેશ્વર: સિગ્નેચર ગેલેરીયામાંથી કાફેની આડમાં ચાલતા હુક્કાબાર પર LCBના દરોડા, ત્રણ શખ્સોની ધરપકડ

ભરૂચના અંકલેશ્વરના સિગ્નેચર ગેલેરીયા કોમ્પ્લેક્ષમાં કાફેની આડમાં ચાલતા હુક્કાબાર પર LCB પોલીસે દરોડા પડ્યા હતા,અને હુક્કાને લગતી સામગ્રી સહિત 77 હજારથી વધુના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. 

New Update
  • 31st પહેલા પોલીસની કાર્યવાહી

  • કાફેની આડમાં ધમધમતો હતો હુક્કાબાર

  • LCB પોલીસે કરી રેડ

  • પોલીસે ત્રણ આરોપીઓની કરી ધરપકડ

  • રૂ.77 હજારનો મુદ્દામાલ કર્યો જપ્ત

Advertisment

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના સિગ્નેચર ગેલેરીયા કોમ્પ્લેક્ષમાં કાફેની આડમાં ચાલતા હુક્કાબાર પર LCB પોલીસે દરોડા પડ્યા હતા,અને હુક્કાને લગતી સામગ્રી સહિત 77 હજારથી વધુના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. 

ભરૂચ જિલ્લામાં 31stમાં વિદેશી દારૂ સહિત નસીલા પદાર્થનો વેપલો અટકાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી રહી છે.ત્યારે ભરૂચ LCBનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતોતે દરમિયાન મળેલી બાતમીને આધારે સિગ્નેચર ગેલેરીયા કોમ્પ્લેક્ષમાં 10-10 કાફેમાં ગેરકાયદેસર રીતે ચાલતા હુક્કાબાર પર રેડ કરી હતી.

પોલીસે સ્થળ પરથી હુક્કાની ચિલમ હુક્કા નંગ-8,હુક્કાની પાઈપ નંગ-8 અને ઇલેક્ટ્રિક સગડી તેમજ વિવિધ ફ્લેવર મળી કુલ 77 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો,અને હવા મહેલ સ્થિત યુરો બિલ્ડિંગમાં રહેતો મોહમંદ સોયેબ હનીફખાન પઠાણ,રહેમતખાણ હનીખાન પઠાણ તેમજ અબ્દુલ રહેમાન શેખને ઝડપી પાડી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

 

 

Advertisment
Latest Stories
Read the Next Article

ભરૂચ: વાલિયા-ઝઘડિયામાં લિગ્નાઇટ પ્રોજેક્ટના વિરોધમાં તા.1લી જૂને BTSની વિશાળ રેલી, રાજકારણમાં ગરમાવો

લિગનાઇટ પ્રોજેક્ટ માટે આદિવાસી વિસ્તારમાં આવેલા વાલીયા-ઝઘડીયા તાલુકાના ૨૦ થી વધુ ગામો વિસ્થાપિત થનાર છે અને ૩૦૦૦ હેક્ટરથી વધુ જમીન સંપાદન કરનાર છે

New Update
અંબાજી-ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારમાં આદિવાસી સમાજના હક્ક અને અધીકારી માટે ભીલીસ્તાન ટાઇગર સેના અગ્રેસરની ભુમિકામાં હોય છે.જેમાં જીએમડીસી લિગનાઇટ પ્રોજેક્ટ માટે ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા વાલીયા-ઝઘડીયા તાલુકાના ૨૦ થી વધુ ગામો વિસ્થાપિત થનાર છે અને ૩૦૦૦ હેક્ટરથી વધુ જમીન સંપાદન કરનાર છે.જેથી  વાલીયા-ઝઘડીયા તાલુકાના તમામ ખેડુતો સાથે જીએમડીસીએ લોક સુનાવણી યોજી હતી પરંતુ તમામ ખેડુતોએ તેનો વિરોધ કયૉ હતો.ભીલીસ્તાન ટાઇગર સેનાના રાષ્ટ્રીય પ્રમુખ-ડેડીયાપાડાના પુવઁધારાસભ્ય મહેશ વસાવાએ વાલીયા-ઝઘડીયા લિગનાઇટ પ્રોજેક્ટના વિરોધમાં તા.૧ જુને વિશાળ રેલીનું આયોજન કયુઁ છે જેના પગલે રાજકણમાં ગરમાવો આવી ગયો છે.
Advertisment
Latest Stories