અંકલેશ્વર: સિગ્નેચર ગેલેરીયામાંથી કાફેની આડમાં ચાલતા હુક્કાબાર પર LCBના દરોડા, ત્રણ શખ્સોની ધરપકડ

ભરૂચના અંકલેશ્વરના સિગ્નેચર ગેલેરીયા કોમ્પ્લેક્ષમાં કાફેની આડમાં ચાલતા હુક્કાબાર પર LCB પોલીસે દરોડા પડ્યા હતા,અને હુક્કાને લગતી સામગ્રી સહિત 77 હજારથી વધુના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. 

New Update
  • 31st પહેલા પોલીસની કાર્યવાહી

  • કાફેની આડમાં ધમધમતો હતો હુક્કાબાર

  • LCB પોલીસે કરી રેડ

  • પોલીસે ત્રણ આરોપીઓની કરી ધરપકડ

  • રૂ.77 હજારનો મુદ્દામાલ કર્યો જપ્ત

Advertisment

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના સિગ્નેચર ગેલેરીયા કોમ્પ્લેક્ષમાં કાફેની આડમાં ચાલતા હુક્કાબાર પર LCB પોલીસે દરોડા પડ્યા હતા,અને હુક્કાને લગતી સામગ્રી સહિત 77 હજારથી વધુના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. 

ભરૂચ જિલ્લામાં 31stમાં વિદેશી દારૂ સહિત નસીલા પદાર્થનો વેપલો અટકાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી રહી છે.ત્યારે ભરૂચ LCBનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતોતે દરમિયાન મળેલી બાતમીને આધારે સિગ્નેચર ગેલેરીયા કોમ્પ્લેક્ષમાં 10-10 કાફેમાં ગેરકાયદેસર રીતે ચાલતા હુક્કાબાર પર રેડ કરી હતી.

પોલીસે સ્થળ પરથી હુક્કાની ચિલમ હુક્કા નંગ-8,હુક્કાની પાઈપ નંગ-8 અને ઇલેક્ટ્રિક સગડી તેમજ વિવિધ ફ્લેવર મળી કુલ 77 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો,અને હવા મહેલ સ્થિત યુરો બિલ્ડિંગમાં રહેતો મોહમંદ સોયેબ હનીફખાન પઠાણ,રહેમતખાણ હનીખાન પઠાણ તેમજ અબ્દુલ રહેમાન શેખને ઝડપી પાડી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

 

 

Advertisment
Read the Next Article

ભરૂચ : ઇતિહાસના સાક્ષી, અવગણનાના શિકાર બન્યા નર્મદા ઘાટ,પર્યટન સ્થળ તરીકે  પુનઃવિકાસની ઉઠી પોકાર

સ્થાનિક રહીશો અને ધાર્મિક સંગઠનો મુજબ, ભૂતકાળમાં આ ઘાટો પર ધાર્મિક ક્રિયાઓ, પવિત્ર સ્નાન, તહેવાર અને આરતી જેવી પરંપરાઓ નિયમિત રીતે થતા હતા.

author-image
By Connect Gujarat Desk
New Update
  • નર્મદા ઘાટ બન્યા દુર્દશાનો શિકાર

  • ઇતિહાસના સાક્ષી ઘાટોની અવગણના

  • પવિત્ર ઘાટ પર સંતો અને ઋષિઓએ કર્યા છે તપ

  • વારાણસી મુજબ જ નર્મદા ઘાટનાં વિકાસનો પોકાર

  • પર્યટન સ્થળ તરીકે ઘાટનાં વિકાસ માટે ઉઠી માંગ 

Advertisment

ભરૂચના નર્મદા કિનારાનાં ઘાટ આજે પોતાના અસ્તિત્વ માટે ઝઝૂમી રહ્યા છે. સ્થાનિક રહીશો અને ધાર્મિક સંગઠનો મુજબભૂતકાળમાં આ ઘાટો પર ધાર્મિક ક્રિયાઓપવિત્ર સ્નાનતહેવાર અને આરતી જેવી પરંપરાઓ નિયમિત રીતે થતા હતા. આ ઘાટો પર સંતો અને ઋષિઓએ તપ કર્યા હતા,તો કેટલાક ઘાટો ઐતિહાસિક યુદ્ધો અને યાત્રાઓના સાક્ષી રહ્યા છે. આજના સમયમાં આ ઘાટો તૂટી ગયેલી પાળીઓકચરો અને પાણીના ભરાવા સહિત ગંદકી જેવી સમસ્યાઓથી ઘેરાયેલા છે.

ભરૂચની જનતાનું કહેવું છે કે સરકાર દ્વારા 'સ્ટેચ્યુ ઓફ યુનિટીજેવા વિશ્વવિખ્યાત પ્રોજેક્ટ પર કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યોપણ એ જ નર્મદા નદીના પવિત્ર ઘાટો આજે પણ મૂળભૂત સુવિધાઓથી વંચિત છે. ત્યાં લાઇટિંગ,પીવાનું પાણી,શૌચાલય કે બેસવાની વ્યવસ્થાઓ પણ ઉપલબ્ધ નથી.

સ્થાનિક સામાજિક કાર્યકરોઐતિહાસિક રસ ધરાવતા લોકો અને ધાર્મિક સંગઠનો સરકારને આગ્રહ કરી રહ્યા છે કે નર્મદા ઘાટોનું દસ્તાવેજી કરણ કરવામાં આવેઅને તેમની પૌરાણિક તથા ઐતિહાસિક મહત્તાને પ્રકાશમાં લાવીને ઘાટોનું સૌંદર્યકરણ કરવામાં આવે. સાથે જ ઘાટોની કથાઓ અને ઇતિહાસ દર્શાવતું દ્રશ્ય અને ઓડિયો માર્ગદર્શન દિવાલ ચિત્રો અને સાંસ્કૃતિક કાર્યક્રમો શરૂ કરવાથી ધાર્મિક પર્યટન વધારી શકાય તેવી લાગણી લોકો વ્યક્ત કરી રહ્યા છે. 

Advertisment