અંકલેશ્વર: લાયન્સ ક્લબ દ્વારા મહિલાઓ માટે વિનામૂલ્યે કેન્સર નિદાન કેમ્પ યોજાયો

લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વરની વિવિધ શાખાઓ દ્વારા અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ લાયન્સ સ્કુલ ખાતે વિના મુલ્યે મહિલાઓ માટે કેન્સર નિદાન કેમ્પ યોજાયો 

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • લાયન્સ ક્લબ દ્વારા આયોજન કરાયું

  • મહિલાઓ માટે કેન્સર નિદાન કેમ્પ યોજાયો

  • લાયન્સ સ્કૂલ ખાતે આયોજન કરાયું

  • ગુજરાત કેન્સર સેન્ટરનો સહયોગ સાંપડ્યો

લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વરની વિવિધ શાખાઓ દ્વારા અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ લાયન્સ સ્કુલ ખાતે વિના મુલ્યે મહિલાઓ માટે કેન્સર નિદાન કેમ્પ યોજાયો 
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ લાયન્સ સ્કુલ ખાતે વિના મુલ્યે મહિલાઓ માટે લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન,લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા અને ગુજરાત કેન્સર અને રીસર્ચ ઇન્સ્ટીટયુટ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે કેન્સર નિદાન કેમ્પ યોજાયો હતો જેમાં રીજીયન ચેર પર્સન લાયન શૈલેશ પટેલ,ઝોન ચેર પર્સન જીવણ સાવલિયા અને જી.એસ.ટી ડીસ્ટ્રીક્ટ કો-ઓર્ડીનેટર પ્રિયંકા જૈન રાવલ સહિતના મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
કેમ્પમાં કેન્સર હોસ્પીટલના નિષ્ણાંત તબીબોની ટીમે સ્તન કેન્સર,ગર્ભાશયના મુખના કેન્સરના લક્ષણોનું ચેકઅપ કરવા સાથે શંકાસ્પદ લક્ષણો ધરાવતી મહિલાઓનો મેમોગ્રાફી ટેસ્ટ અને પેપ્સમિયર ટેસ્ટ કરવામાં આવ્યો હતો જયારે તબીબોએ કેન્સરના લક્ષણો તેમજ તેના નિદાન અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.આ કેમ્પમાં લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમનના પ્રમુખ મનીષા દુધાત,સેક્રેટરી પ્રીતિ ચૌહાણ,ખજાનચી શિલ્પા પટેલ,પ્રોજેક્ટ ચેરમેન સુનીતા ગજેરા અને પ્રોજેક્ટ કો-ચેરમેન પ્રેરણા પટેલ,હીના મારકણા સહીત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Read the Next Article

ભરૂચ : નિકોરાના આનંદીમાં આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાઈ,800થી વધુ બહેનોએ લીધો લાભ

નિકોરા ધ્યાની ધામ આનંદીમાં આશ્રમ ખાતે 13 વર્ષથી વધુ વયની રાજપુત દીકરીઓ માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 800થી વધુ રાજપૂત દિકરીઓએ લીધો શિબિરમાં ભાગ

New Update
  • સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન વિષય પર યોજાઈ શિબિર

  • નિકોરા આનંદીમાં ધ્યાની ધામ આશ્રમ ખાતે યોજાઈ શિબિર

  • રાજપૂત સમાજની દીકરીઓ માટે કરાયું આયોજન

  • 800થી વધુ રાજપૂત દિકરીઓએ લીધો શિબિરમાં ભાગ

  • રાજપૂત યુવા સંઘ પ્રેરિત મહિલા સંઘના હોદેદારોનું કરાયું સન્માન

ભરૂચના નિકોરા આનંદીમાં આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાઈ હતી. જેમાં800થી વધારે બહેનોએ આ શિબિરનો લાભ લીધો હતો.

ભરૂચ તાલુકાના નિકોરા ગામેમાં નર્મદા નદીના કિનારે આનંદીમાં ધ્યાની ધામ આશ્રમ ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પ્રેરિત મહિલા સંઘ અને યુવા પાંખ ભરૂચ જિલ્લા દ્વારા આયોજિત સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિરમાં800બહેનોએ શિબિરનો લાભ લીધો હતો.

નિકોરા ધ્યાની ધામ આનંદીમાં આશ્રમ ખાતે13વર્ષથી વધુ વયની રાજપુત દીકરીઓ માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ આધુનિક યુગમાં પરિવારમાં સાંસ્કૃતિક સમસ્યાઓ થાય છેમેરેજ પછી  પોતાના જીવનમાં મૂલ્યવાન સમજણ આવે સાસરિયામાં પણ સંયુક્ત કુટુંબ સાથે રહી સમાજ અને પોતાનું નામ રોશન કરે તેવા ઉમદા હેતુથી સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં800થી વધુ દીકરીઓએ ઉપસ્થિત રહી પોતાના જીવનમાં પરિવર્તન માટેની હાંકલ  કરી હતી. આ સાથે જ આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના નવ  નિયુક્ત હોદ્દેદારોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.