અંકલેશ્વર : મહાદેવની મહારાત્રી એટલે મહાશિવરાત્રી,શિવજીએ માનવ સ્વરૂપ ધારણ કરીને પૃથ્વી પર કરી હતી સજીવ પદ્યરામણી

દેવાધિદેવ મહાદેવની મહારાત્રિ એટલે મહાશિવરાત્રી. આ મહારાત્રીએ નિરાકાર ગણાતા શિવજીએ માનવસ્વરૃપ ધારણ કરીને પૃથ્વી પર સજીવ પદ્યરામણી કરી હોવાની માન્યતા છે.

New Update

દેવાધિદેવ મહાદેવની મહારાત્રિ એટલે મહાશિવરાત્રી

Advertisment

શિવજીએ માનવસ્વરૂપ ધારણ કરીને પૃથ્વી પર કરી હતી પદ્યરામણી

અણુએ અણુમાં રહેલા વ્યાપક ચૈતન્યનું દ્વિતીય નામ છે શિવ

જીવત્વમાંથી શિવત્વમાં પ્રેરણા આપનાર શુભ દિવસ

કનેક્ટ ગુજરાતના માધ્યમથી જાણો મહાશિવરાત્રીનું મહત્વ  

દેવાધિદેવ મહાદેવની મહારાત્રિ એટલે મહાશિવરાત્રી. આ મહારાત્રીએ નિરાકાર ગણાતા શિવજીએ માનવસ્વરૃપ ધારણ કરીને પૃથ્વી પર સજીવ પદ્યરામણી કરી હોવાની માન્યતા છે. એટલે જ તો શિવરાત્રીનું મહાપર્વએ જીવ અને શિવનાં મહામિલનનું પ્રતિક ગણાયું છે.આ પાવન અવસર પર કનેક્ટ ગુજરાતની ટીમે અંકલેશ્વર જીઆઇડીસીના પશુપતિનાથ મહાદેવ મંદિરની મુલાકાત લઈને ભક્તોની ધર્મભીની આસ્થા જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

મહામાસની કૃષ્ણ પક્ષની ચૌદશની શિવરાત્રીભગવાન શિવજીને ખૂબ જ પ્રિય છે.જેનો શિવતત્વ સાથે ગાઢ સંબંધ સંકળાયેલો છે.આવી આ મહાશિવરાત્રિ એટલે વ્યષ્ટિમાંથી સમાષ્ટિમાંજીવત્વમાંથી શિવત્વમાં પ્રેરણા આપનાર શુભદિવસ.જેનો અંતિમ ઉદ્દેશજીવતરની એક એક ક્ષણને શિવત્વયુક્ત કરવાની છે.

Advertisment

શિવ અને શક્તિએ વિશ્વનાં એવા સનાતન યુગલ છે કે સદીઓથી આ દેશની આધ્યાત્મિક પરંપરા સાથે જોડાયેલા છે.ભગવાન શિવજીનાં અગણિત રૂપ છે.તેનું અનાદિ અને નિરાકાર રૂપ એટલે શિવલિંગજે માનવ આકૃતિમાં નથી. શિવજીનાં પ્રાગટય સમય રાત્રીનો છેજે મહાશિવરાત્રી કહેવાય છે. આ પર્વ એટલે પરમાત્મામાં થયેલા શિવનાં દિવ્ય અવતારનું પાવન પર્વ.

શિવજી અણુથી પણ સૂક્ષ્મ અને પર્વતથી વધારે મહાન છેતેઓ દરેક જીવની હૃદય ગુહામાં વાસ કરે છે.અણુએ અણુમાં રહેલા વ્યાપક ચૈતન્યનું દ્વિતીય નામ છેશિવ. જીવ આત્મા છેતો શિવ પરમાત્મા છે.

કનેક્ટ ગુજરાતની ટીમ દ્વારા અંકલેશ્વર જીઆઈડીસીના ભક્તોની આસ્થાનું કેન્દ્ર શ્રી પશુપતિનાથ મહાદેવ મંદિરની મુલાકાત લઈને મહાશિવરાત્રીના પાવન પર્વનું માહાત્મ્ય જાણવાનો પ્રયાસ કર્યો હતો,અને મહારાજ  વીરેન્દ્ર ઓઝા સાથે ખાસ વાતચીત કરી હતી.

Advertisment
Read the Next Article

અંકલેશ્વર-વાલીયા મુખ્ય માર્ગની દયનિય હાલતને લઈને AAP દ્વારા મામલતદાર કચેરીએ આવેદન પાઠવાયું...

અત્યંત જર્જરિત માર્ગની હાલત સામે આમ આદમી પાર્ટી અંકલેશ્વર શહેર પ્રમુખ નિતીન વસાવાએ અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી...

New Update
  • અંકલેશ્વર-વાલીયા મુખ્ય માર્ગની દયનિય હાલત

  • આમ આદમી પાર્ટી દ્વારા રજૂઆત કરવામાં આવી

  • મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવાયું

  • વહેલી તકે બિસ્માર માર્ગના સમારકામની માંગ કરી

  • સમારકામ હાથ નહીં ધરાય તો આંદોલનની ચીમકી

Advertisment

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-વાલીયા મુખ્ય માર્ગની દયનિય હાલતને લઈને અંકલેશ્વર આમ આદમી પાર્ટી શહેર પ્રમુખની આગેવાનીમાં મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરથી વાલિયાને જોડતો મુખ્ય માર્ગ છેલ્લા ઘણા વર્ષોથી ખખડધજ હાલતમાં છે. જેના કારણે અનેક વાહનચાલકો અને રાહદારીઓને દૈનિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તાજેતરમાં આ જ માર્ગ પર થયેલા માર્ગ અકસ્માતમાં એક રાહદારીનું કરૂણ મોત થતાં સ્થાનિકોમાં રોષની લાગણી છવાઈ હતીત્યારે અત્યંત જર્જરિત માર્ગની હાલત સામે આમ આદમી પાર્ટી અંકલેશ્વર શહેર પ્રમુખ નિતીન વસાવાએ અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી. પાઠવાયેલ આવેદનમાં તાકીદે બિસ્માર રસ્તાનું સમારકામ શરૂ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.

નિતીન વસાવાએ જણાવ્યું હતું કે, "અંકલેશ્વર-વાલિયા રોડ પર અકસ્માતોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. અનેકવાર લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. સરકાર તરફથી કોઈ પગલાં લેવામાં આવતાં નથીજે લોકોને જીવના જોખમમાં નાખે છે." જો આગામી 10 દિવસમાં માર્ગનું સમારકામ શરૂ નહીં થાયતો આ મામલે આંદોલન શરૂ કરવાની અંકલેશ્વર આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખે ચીમકી ઉચ્ચારી છે.

Advertisment